Danta Prakrutik Kheti: ખેડૂતોની પ્રાકૃતિક ખેતીનો ચમત્કાર, Dr. Vivek Kumar Bhatt સાથે Studio On Wheels
- Studio On Wheels માં Banaskantha ના Danta તાલુકાના ખેડૂતોની સફળતાની કહાની
- Dr. Vivek Kumar Bhatt દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ
- Zero Budget Natural Farming (ZBNF) ના ફાયદા
- રાસાયણિક ખાતર વગર Strawberry અને ફૂલોની ખેતી
- ત્રણ પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી આવક બમણી કરી
STUDIO ON WHEELS: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના દાંતા તાલુકામાં Studio On Wheels ની યાત્રા દરમિયાન ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) દ્વારા લેવામાં આવેલી ગ્રાઉન્ડ રિપોર્ટમાં ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ (ZBNF) અથવા પ્રાકૃતિક ખેતીના અસરકારક ફાયદા સામે આવ્યા છે. આ રિપોર્ટમાં ત્રણ પ્રગતિશીલ ખેડૂતોની સફળતાની વાતો છે, જેમણે રાસાયણિક ખાતર અને દવાઓ છોડીને દેશી ગાયના ગોબર, ગૌમૂત્ર, જીવામૃત અને બીજામૃત જેવા કુદરતી સાધનોનો ઉપયોગ કરીને ખેતીમાં ક્રાંતિ લાવી છે. આ પદ્ધતિથી ખર્ચ લગભગ શૂન્ય થયો છે અને આવક બમણી કરતાં વધુ થઈ છે.
Studio On Wheels માં Banaskantha ના Danta તાલુકાના ખેડૂતોની સફળતાની કહાની
ખેડૂત શાકીર ખાન પઠાણ પાછલા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. તેઓ 15 એકર જમીનમાં ઘઉં, મકાઈ, બાજરી અને શાકભાજીનું વાવેતર કરે છે. જીવામૃત, બીજામૃત, જૂની છાશ અને અડધો લિટર ગૌમૂત્રનો છંટકાવ કરીને ઝેરી રસાયણોનો ત્યાગ કર્યો છે. પહેલાં રાસાયણિક ખેતીમાં ખર્ચ વધુ અને નફો ઓછો હતો, પરંતુ હવે ખર્ચ નહિવત્ થયો છે અને ઉત્પાદનમાં સુધારો થયો છે. ગયા વર્ષે 50 બોરી ઘઉં મળ્યા હતા. તેઓ કહે છે કે શરૂઆતમાં સંઘર્ષ રહે છે, પરંતુ ધીમે ધીમે ફાયદો થાય છે અને જમીન સ્વસ્થ રહે છે. અમને અત્યાર સુધીમાં સારૂં પરિણામ મળ્યું છે નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરીને જમીન સારી રાખી શકાય,બધા મહેનત પૈસા કમાવવા માટે જ કરે છે,વડીલોએ શિખવાડ્યું તે રીતે આગળ વધ્યા,પ્રિમિયમ પ્રાઈઝ ટ્રાયબલ વિસ્તારમાં ઓછી મળે,થોડો સપોર્ટ વધારે મળે તો સારૂં છે ખેડૂત શાકીર ખાન પઠાણ સરકારના સબસિડી અને પ્રયાસોની પણ તેઓ પ્રશંસા કરે છે.
View this post on Instagram
સ્ટ્રોબેરી અને શાકભાજીનું સફળ વાવેતર કરતા જયંતીભાઈ બુંબડીયા
છોટા બામોદર ગામના ખેડૂત જયંતીભાઈ બુંબડીયા પણ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ સ્ટ્રોબેરી (Strawberry) અને શાકભાજીનું સફળ વાવેતર કરી રહ્યા છે. તેઓ મિશ્ર પાક પદ્ધતિ અપનાવીને શાકભાજી (મરચું, રીંગણ, ટામેટું), સ્ટ્રોબેરી અને સક્કરટેટીનું વાવેતર કરે છે. એક હેક્ટર જમીનમાં આ પદ્ધતિ અપનાવીને તેઓ કહે છે કે સ્ટ્રોબેરીમાં કોઈ દવાની જરૂર પડતી નથી, માત્ર ફંગસનું ધ્યાન રાખવું પડે છે. જીવામૃત અને બીજામૃતના ઉપયોગથી સારું ઉત્પાદન મળે છે અને લાભ વધુ થાય છે. પહેલાં કરતાં આવક ડબલ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, અનેક ખેડૂતો જોવા અને જાણવા માટે આવે છે,અધિકારીઓ પણ આવે છે તપાસ કરીને જાય છે,આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ આવ્યા અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓએ માહિતી આપી હવે પહેલા કરતા ડબલ આવક થઈ ગઈ છે આમ અનેક ખેડૂતો અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ તેમના ખેતરની મુલાકાત લે છે અને પ્રેરણા લે છે.
ફૂલોની ખેતી દ્વારા લાખોની કમાણી કરતા ખેડૂત તુલસીભાઈ જોષી
તુલસીભાઈ જોષી પહેલાં સામાન્ય ખેતી (ઘઉં, મકાઈ, શેરડી) કરતા હતા, પરંતુ હવે ફૂલોની ખેતી (ગુલાબ, ગલગોટા) પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સરકારના ખેડૂતલક્ષી કાર્યક્રમોનો લાભ લઈને તેઓ પ્રગતિશીલ ખેડૂત તરીકે બે વખત એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. માતાજીની કૃપાથી ફૂલોનું વેચાણ સરળતાથી થાય છે અને લાખોની કમાણી થઈ રહી છે. તેઓ ખેડૂતોને અપીલ કરે છે કે જમીન વેચશો નહીં, કારણ કે જમીન કાયમી છે અને તેનાથી આજીવિકા અને પેઢીઓનું સુખ સુનિશ્ચિત થાય છે. તેમણે કહ્યું કે, જમીન હશે તો આજીવિકા મળશે,ખેતર હશે તો રોજગાર મળતો રહેશે,ખેતર હશે તો પાછળની પેઢી પણ સુખી રહેશે,પૈસા અસ્થિર છે, જમીન કાયમી છે
વધુમાં તેમણ કહ્યું કે, અમે ત્રણ ભાઈ ખેતીકામ કરીએ છીએ,ખેતીમાં જેટલા ઊંડા ઉતરો એટલું સારું થાય,સ્વાસ્થ માટે પણ ઓર્ગેનિક ખેતી સારી છે, પ્રાકૃતિક ખેતીથી ખર્ચ ઓછો, ઊપજ સારી અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.તેમણે સરકારની પહેલની પ્રસંશા કરતા કહ્યું કે, સરકારની પણ પહેલ સારી છે પરંતુ 50 લોકો હજું તેના પર ચાલ્યા નથી. તેઓએ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા અપીલ કરતા તેમણે કહયું કે, પ્રાકૃતિક ખેતીમાં ખર્ચો ઓછો ઊપજ સારી છે.
Studio On Wheels હેઠળ 90 દિવસમાં 10 હજાર કિ.મીની યાત્રા
આ ત્રણેય ખેડૂતોના અનુભવો દર્શાવે છે કે પ્રાકૃતિક ખેતી માત્ર ફેશન નથી, પરંતુ ભવિષ્યનો રસ્તો છે. માટીને મા માનીને પ્રેમ અને કુદરતી સાધનોથી વ્યવહાર કરવાથી તે સોનાની જેમ ફળ આપે છે. ખર્ચ નાબૂદ, આવકમાં વધારો, જમીનની ફળદ્રુપતા વધારે અને પર્યાવરણ સુરક્ષિત રહે છે. ગુજરાત ફર્સ્ટ ની Studio On Wheels ટીમ 34 જિલ્લાઓમાં 90 દિવસમાં 10 હજાર કિ.મી.ની યાત્રા કરીને સ્થાનિક વાસ્તવિકતા અને પ્રગતિની વાતો લઈને આવી રહી છે, જેથી વધુ ખેડૂતો પ્રેરિત થાય.આ રિપોર્ટ બતાવે છે કે Zero Budget Natural Farming (ZBNF) ગુજરાતમાં પણ સફળતાપૂર્વક અપનાવાઈ રહી છે અને ખેડૂતોના જીવનમાં આત્મનિર્ભરતા અને સમૃદ્ધિ લાવી રહી છે.


