Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

CM Bhupendrabhai Patel ની સુરતને કરોડોની વિકાસ ભેટ: અત્યાધુનિક ઓડિટોરિયમ ખુલ્લું મૂકાયું

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં રૂ. 342.81 કરોડના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કર્યું છે. જેમાં કતારગામ ખાતે નિર્મિત અત્યાધુનિક 'અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ' (Atal Bihari Vajpayee Auditorium) મુખ્ય છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરતની જનતાને નવી સુવિધાઓ અર્પણ કરી વિકાસની ગતિ તેજ કરવામાં આવી છે.
cm bhupendrabhai patel ની સુરતને કરોડોની વિકાસ ભેટ  અત્યાધુનિક ઓડિટોરિયમ ખુલ્લું મૂકાયું
Advertisement
  • CM Bhupendrabhai Patel ના હસ્તે સુરતને વિકાસભેટ
  • પાલિકાના 342.81 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ
  • કતારગામ ખાતે નવા ઓડિટોરિયમનું પણ કર્યું લોકાર્પણ

CM Bhupendrabhai Patel in Surat: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendrabhai Patel) દ્વારા આજે હીરાનગરી તરીકે ઓળખાતાં સુરત (Surat) ને અંદાજે રૂ. 342.81 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપવામાં આવી હતી. આ અવસરે સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation - SMC) દ્વારા આયોજિત વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરી જનતાને સમર્પિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ (C.R. Paatil) અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghavi) સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

CM Bhupendrabhai Patel દ્વારા ઓડિટોરિયમનું લોકાર્પણ

આ વિકાસ ઉત્સવનું મુખ્ય આકર્ષણ કતારગામ (Katargam) વિસ્તારમાં નવનિર્મિત ઓડિટોરિયમ રહ્યું હતું. મુખ્યમંત્રીએ ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) ના નામે નિર્મિત આ વિશાળ અને અત્યાધુનિક ઓડિટોરિયમનું લોકાર્પણ કર્યું હતું. આ ઓડિટોરિયમ સુરતની કલા અને સંસ્કૃતિના વારસાને વેગ આપવા માટે મહત્વનું કેન્દ્ર બનશે. તેમાં અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ, વિશાળ સ્ટેજ અને બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ છે, જે કતારગામ અને આસપાસના વિસ્તારના લોકો માટે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું હબ બનશે.

Advertisement

Advertisement

માળખાગત સુવિધાઓ પર ભાર

માત્ર ઓડિટોરિયમ જ નહીં, પરંતુ સુરત શહેરની ટ્રાફિક સમસ્યા, ડ્રેનેજ સિસ્ટમ અને પીવાના પાણીની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે ચર્ચામાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સુરત એ વૈશ્વિક સ્તરે ઝડપથી વિકસતું શહેર છે, અને અહીંની માળખાગત સુવિધાઓ (Infrastructure) વિશ્વસ્તરીય હોવી અનિવાર્ય છે.

આ પણ વાંચોઃ Anand: આણંદના આંગણે વિકાસનો ઉત્સવ! CM ભૂપેન્દ્રભાઈ પટેલે આપી 234 કરોડની ભેટ!

રાજકીય દિગ્ગજોની ઉપસ્થિતિ

આ ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, જેઓ નવસારી (Navsari) ના સાંસદ પણ છે, તેમણે સુરતના વિકાસ મોડેલના વખાણ કર્યા હતા. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સ્થાનિક સાંસદો, ધારાસભ્યો (MLAs) અને મેયરની હાજરીમાં આ સમારોહ યોજાયો હતો. આ

આ પણ વાંચોઃ Surat: ઔરંગાબાદથી સુરત સુધીનું કનેક્શન! બાળકીને વેચવાનો મનસૂબો નાકામ

Tags :
Advertisement

.

×