Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Surat: સમરસ હોસ્ટેલમાં ભોજનમાં જીવતા ઉંદરો! નાયબ નિયામકે શું આપ્યો જવાબ?

Surat: સમરસ હોસ્ટેલમાં ભોજનમાં જીવાત અને ઉંદર મળી આવતા ABVP દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ નબળું ભોજન અને પાયાની સુવિધાઓના અભાવ અંગે આક્ષેપો કર્યા છે. વહીવટી તંત્રએ તપાસની ખાતરી આપી છે, પરંતુ વિદ્યાર્થીઓની રજૂઆતને નજરઅંદાજ કરવાના આક્ષેપોથી વાતાવરણ ગરમાયું છે.
surat  સમરસ હોસ્ટેલમાં ભોજનમાં જીવતા ઉંદરો  નાયબ નિયામકે શું આપ્યો જવાબ
Advertisement
  • Surat: સમરસ હોસ્ટેલમાં જીવાતવાળું ભોજન પીરસવાનો મામલો
  • સમાજ કલ્યાણ અધિકારી સમરસ હોસ્ટેલ પહોંચ્યા
  • જીવાતવાળા ભોજનની ફરિયાદને લઈને નાયબ નિયામકનું નિવેદન

Surat Samaras Hostel: દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) સંલગ્ન સમરસ હોસ્ટેલ (Samaras Hostel) ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. 10 ન્યુઆરીની મોડી રાત્રે હોસ્ટેલમાં પીરસવામાં આવતા ભોજન (Meal) માં જીવાત (Insect) અને જીવતા ઉંદરો (Rats) જોવા મળતા વિદ્યાર્થીઓ (Students) નો રોષ ફાટી નીકળ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના નેતૃત્વમાં વિદ્યાર્થીઓએ હોસ્ટેલ કેમ્પસમાં ભારે હોબાળો મચાવી વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

ભોજનમાં ઉંદર, આરોગ્ય સાથે ચેડાં

surat samras_hostel_gujaratfirst 199

Advertisement

છેલ્લા ઘણા સમયથી સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ ભોજનની ગુણવત્તા બાબતે અસંતોષ વ્યક્ત કરી રહ્યા હતા. પરંતુ ગઈકાલે રાત્રે મર્યાદાની પરાકાષ્ઠા આવી ગઈ જ્યારે પીરસવામાં આવેલા શાક અને સલાડમાંથી ઈયળો, મકોડા અને અન્ય જીવાતો મળી આવી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે હોસ્ટેલના રસોડા અને ભોજન વિસ્તારમાં જીવતા ઉંદર ફરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે, જે ભોજન તેમને પૌષ્ટિક આહારના નામે આપવામાં આવે છે, તે વાસ્તવમાં બીમારીઓનું ઘર છે.

Advertisement

સુવિધાઓના નામે મીંડું: વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ

surat samras_hostel_gujaratfirst 222

માત્ર ભોજન જ નહીં, પરંતુ હોસ્ટેલમાં પાયાની સુવિધાઓનો પણ સદંતર અભાવ હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓના આરોપ છે કે, હોસ્ટેલમાં પીવાનું શુદ્ધ પાણી મળતું નથી, સાફ-સફાઈના ઠેકાણા નથી અને મેઈન્ટેનન્સના અભાવે બિલ્ડિંગની હાલત પણ કથળી રહી છે. અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પ્રશાસન મૌન ધારણ કરીને બેઠું હતું, જેના કારણે આખરે વિદ્યાર્થીઓએ આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો હતો.

Surat: નાયબ નિયામકનું નિવેદન

surat samras_hostel_gujaratfirst 11

ઘટનાની ગંભીરતાને જોતા સમાજ કલ્યાણ અધિકારી અને નાયબ નિયામક તાત્કાલિક હોસ્ટેલ દોડી આવ્યા હતા. જોકે, અધિકારીઓના નિવેદને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. નાયબ નિયામકે જણાવ્યું હતું કે, "હોસ્ટેલમાં ભોજન અંગે પ્રોપર રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે છે. ABVPના કાર્યકરોએ ફરિયાદ કરી છે, પરંતુ હોસ્ટેલના વિદ્યાર્થીઓ તરફથી આવી કોઈ ફરિયાદ મળી નથી." તંત્રએ આ મામલે પાયાવિહોણો બચાવ કરતા કહ્યું કે, ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપી દેવામાં આવી છે. વધુમાં, વિદ્યાર્થીઓની માંગ મુજબ નવા ગાદલાની વ્યવસ્થા કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી.

 ઉંદરવાળું ભોજન પીરતાં અનેક સવાલો

સરકાર દ્વારા કરોડોના ખર્ચે ચાલતી આ સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં સામે હવે મોટા સવાલો ઉભા થયા છે. એક તરફ રાજ્ય સરકાર યુવાનોના સર્વાંગી વિકાસની વાતો કરે છે, ત્યારે બીજી તરફ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ઉંદરવાળું ભોજન પીરસાય તે અત્યંત શરમજનક બાબત છે. શું તંત્ર કોઈ મોટી ઘટનાની  રાહ જોઈ રહ્યું છે? તેવો પ્રશ્ન વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચર્ચાઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ Surat: બંધ કંપનીમાં આગ કેવી રીતે લાગી? પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કે કંઈ બીજું?

Tags :
Advertisement

.

×