Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Surat માં ગેનીબેન ઠાકોરની ગર્જના, રત્નકલાકારોની પીડાથી લઈ સામાજિક સુધારણા સુધીના મુદ્દે આપ્યું મોટું નિવેદન

MP Geniben Thakor in Surat: સુરતના (Surat) કતારગામ વિસ્તારમાં 21 જાન્યુઆરીની રાત્રે ઠાકોર સમાજના વિશાળ સંમેલનનું (Thakor community convention) આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર (MP Geniben Thakor) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમાજના વિવિધ વર્ગોને સંબોધીને અનેક મહત્વના મુદ્દાઓ પર વાત કરી હતી.
surat માં ગેનીબેન ઠાકોરની ગર્જના  રત્નકલાકારોની પીડાથી લઈ સામાજિક સુધારણા સુધીના મુદ્દે આપ્યું મોટું નિવેદન
Advertisement
  • સુરત (Surat) આવેલા સાંસદ ગેનીબેન ઠાકોર (MP Geniben Thakor) નું મહત્વનું નિવેદન
  • કતારગામ ખાતે ઠાકોર સમાજના સંમેલનમાં હાજર રહ્યા ગેનીબેન ઠાકોર
  • લગ્નમાં ચાંદી પાછળ ખેતીની જમીન ન વેચવી
  • રત્ન કલાકારો માટે પુરાવા સાથે નાણામંત્રીને રજૂઆત કરવા તૈયારી બતાવી
  • ડાયમંડ ઉદ્યોગમાં મંદી અંગે ચિંતા વ્યક્ત કરી
  • ગોવિંદભાઈ ધોળકિયાના ભરપેટ વખાણ કર્યા

MP Geniben Thakor in Surat: સુરતના (Surat) કતારગામ વિસ્તારમાં 21 જાન્યુઆરીની રાત્રે ઠાકોર સમાજના વિશાળ સંમેલનનું (Thakor community convention) આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર (MP Geniben Thakor) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમાજના વિવિધ વર્ગોને સંબોધીને અનેક મહત્વના મુદ્દાઓ પર વાત કરી, જેમાં આર્થિક સ્થિરતા, સામાજિક સુધારા અને રાજકીય એકતા જેવા વિષયોનો સમાવેશ થતો હતો.

સુરત (Surat) ના કતારગામ ખાતે ઠાકોર સમાજના સંમેલનમાં ગેનીબેન ઠાકોરે (MP Geniben Thakor) સમાજના લોકોને કરી ખાસ અપીલ

ગેનીબેન ઠાકોરે સમાજના લોકોને ભાવુક અપીલ કરી કે લગ્ન જેવા પ્રસંગોમાં ચાંદીના વધુ પડતા વહેવારને કારણે ખેડૂતો પોતાની કિંમતી જમીન વેચી નાખે તેવી પરિસ્થિતિ ટાળવી જોઈએ. તેમણે કહ્યું કે, ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે, અને આવા રિવાજોને કારણે ઘણા પરિવારો એક-બે વીઘા જમીન વેચીને આર્થિક મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આ જમીનો અંતે ઇન્વેસ્ટરોના હાથમાં જતી રહે છે, જેનાથી ખેડૂત તેની મૂળ ઓળખ ગુમાવી બેસે છે. તેમણે સમાજને ચેતવણી આપી કે દેખાદેખી અને બિનજરૂરી ખર્ચને અટકાવીને આર્થિક બચત તરફ વળવું જરૂરી છે. આ સાથે જ તેમણે ઠાકોર સમાજને પોતાનું બંધારણ બનાવવા અને સામાજિક કુરિવાજોમાં સુધારો કરવા માટે પ્રોત્સાહિત કર્યા, જેથી ભપકા અને અતિશય વ્યયને ઘટાડી શકાય.

Advertisement

MP Geniben Thakor in Surat-Gujarat First

Advertisement

સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી પર ગેનીબેને ચિંતા વ્યક્ત કરી

સુરતના પ્રખ્યાત ડાયમંડ ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી પર ગેનીબેને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આ મંદીને કારણે રત્ન કલાકારો અને તેમના પરિવારોને આર્થિક રીતે મોટું નુકસાન થઈ રહ્યું છે. તેમણે વચન આપ્યું કે તેઓ આ મુદ્દે સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરશે. વિશેષરૂપે, તેમણે કહ્યું કે તેઓ તમામ જરૂરી પુરાવાઓ સાથે નાણામંત્રીને મળીને રત્ન કલાકારો માટે આર્થિક સહાય અને સુરક્ષાની માંગ કરશે, જેથી મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને રાહત મળી શકે.

SIR ની કામગીરીમાં નામ નોંધણી ઝડપથી કરવા અનુરોધ કર્યો

સમાજના લોકોને સંબોધતા ગેનીબેને SIR ની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે અનુરોધ કર્યો કે તમામ વ્યક્તિઓએ પોતાનું નામ નોંધણીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવી જોઈએ. જો કોઈ વ્યક્તિ સુરતમાં ધંધા અથવા રોજગાર માટે કાયમી રહેવા માંગતા હોય, તો તેઓ પોતાનું નામ અહીં ટ્રાન્સફર કરાવી શકે છે. તેમણે ઠાકોર સમાજના સભ્યોને ખાસ સલાહ આપી કે તેઓ યાદીમાં પોતાના નામની ચકાસણી કરી લે, જેથી કોઈ તકલીફ ન પડે.

MP Geniben Thakor in Surat-Gujarat First

સુરતનું આર્થિક મહત્વ અને મહેનતની પ્રશંસા

ગેનીબેને સુરતને ગુજરાતની આર્થિક રાજધાની તરીકે વર્ણવીને તેના વિકાસની વાત કરી. તેમણે કહ્યું કે જેમ મુંબઈ ભારતની આર્થિક રાજધાની છે, તેમ સુરત ગુજરાત માટે તેવું જ મહત્વ ધરાવે છે. અહીં વસતા લોકોએ પોતાની અથાગ મહેનતથી પોતાની અનોખી ઓળખ ઊભી કરી છે, જે ખરેખર પ્રશંસનીય છે. તેમણે ઉમેર્યું કે સુરતમાં રહેવું અને અહીં કોઈ પણ પ્રકારનો ધંધો કરવો એ આજે ગૌરવ અને સ્ટેટસનું પ્રતીક છે.

રાજકીય કિન્નાખોરીને કારણે કોઈ પણ સમાજને નુકસાન પહોંચાડવું યોગ્ય નથી: ગેનીબેન ઠાકોર

રાજકારણમાં એકતા પર ભાર મૂકતા ગેનીબેને કહ્યું કે તમામ સમાજને સાથે લઈને આગળ વધવું જોઈએ. તેમણે ચેતવણી આપી કે રાજકીય કિન્નાખોરીને કારણે કોઈ પણ સમાજને નુકસાન પહોંચાડવું યોગ્ય નથી. પોતાના અનુભવ વહેંચતા તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ સાંસદ બન્યા ત્યારે તેમનું પહેલું સ્વાગત ચૌધરી સમાજે કર્યું હતું. તેમણે 'રાજધર્મ'ને નવી વ્યાખ્યા આપતા કહ્યું કે તમામ સમાજની નિઃસ્વાર્થ સેવા કરીને આગળ વધવું એ જ સાચો રાજધર્મ છે.

ગેનીબેને ગોવિંદભાઈ ધોળકિયાના ભરપેટ વખાણ કર્યા

સંમેલનમાં ગેનીબેને ભાજપના સાંસદ અને ડાયમંડ ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે ગોવિંદભાઈએ 25 વર્ષની અવિરત મહેનતથી ડાયમંડ ઉદ્યોગમાં અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ માત્ર પોતાનો વિકાસ કર્યો નથી, પરંતુ રત્ન કલાકારોની સુરક્ષા અને કલ્યાણનું પણ ધ્યાન રાખ્યું છે. તેમની તમામ સમાજને સાથે લઈને ચાલવાની વૃત્તિને કારણે તેઓ આજે ઉદ્યોગ જગતમાં ટોચના સ્થાને છે.આ સંમેલન દ્વારા ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજને આર્થિક, સામાજિક અને રાજકીય સ્તરે મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપ્યું.

આ પણ વાંચો:  Mahesana: કડીના ઇન્દ્રાડમાં કેમિકલ માફિયાઓનો આતંક, ગામ લોકોને હિજરતની નોબત છતા તંત્ર કેમ મૌન?

Tags :
Advertisement

.

×