Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terror Attack : સુરતના મૃતક શૈલેષ કળથિયાના પત્નીએ મોદી સરકાર પર જાહેર કર્યો વિશ્વાસ

આખા વિશ્વને હચમચાવી મૂકનાર Pahalgam Terror Attack માં પોતાના પતિ શૈલેષ કથળિયાને ગુમાવનારા સુરતના શીતલબેન (Sheetalben) એ પીડિતોના ન્યાય માટે મોદી સરકાર (Modi Govt.) પર વિશ્વાસ જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, પુલવામા હુમલામાં પીડિતોને જે રીતે ન્યાય અપાવ્યો તે જ રીતે પહેલગામ આતંકવાદી હુમલામાં પણ મોદી સરકાર ન્યાય અપાવશે. વાંચો વિગતવાર.
pahalgam terror attack   સુરતના મૃતક શૈલેષ કળથિયાના પત્નીએ મોદી સરકાર પર જાહેર કર્યો વિશ્વાસ
Advertisement
  • Pahalgam Terror Attack ના પીડિતોને યોગ્ય ન્યાય મળશે- શીતલબેન
  • પુલવામા હુમલામાં પીડિતોને જે ન્યાય મળ્યો હતો તેવો જ ન્યાય મોદી સરકાર અપાવશે - શીતલબેન
  • Pahalgam Terror Attack બાદ સુરત પહોંચવામાં રાજ્ય સરકારે બહુ મદદ કરી - શીતલબેન

Pahalgam Terror Attack : માત્ર ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની આંખમાંથી આંસુ લાવનાર Pahalgam Terror Attack ના એક પીડિત સુરતના શૈલેષ કળથિયા છે. તેમના પત્નીએ કહ્યું છે કે, મોદી સરકાર (Modi Govt.) પુલવામા હુમલાના પીડિતોને જે રીતે ન્યાય અપાવ્યો તેવો જ ન્યાય પહેલગામ હુમલાના પીડિતોને અપાવશે તેવો મને વિશ્વાસ છે.

મોદી સરકાર પર વિશ્વાસ જાહેર કર્યો

Pahalgam Terror Attack ના એક પીડિત સુરતના શૈલેષ કળથિયા છે. તેમણે આ અમાનવીય અને નીંદનીય હુમલામાં જીવ ખોયો છે. મૃતક શૈલેષ કળથિયાના પત્ની શીતલબેને Pahalgam Terror Attack ના પીડિતોને ન્યાય મળે તે મુદ્દે નિવેદન આપ્યું છે. શીતલબેને જણાવ્યું કે, મોદી સરકારે ઉરી હુમલા અને પુલવામા હુમલાને યાદ કરતા કહ્યું કે, પુલવામાં હુમલાના પીડિતોને જે રીતે ન્યાય અપાવ્યો તેવો જ ન્યાય પહેલગામ હુમલાના પીડિતોને અપાવશે તેવો મને વિશ્વાસ છે. શીતલબેને પુલવામા હુમલાના પીડિતોને મોદી સરકાર (Modi Govt.) એ યોગ્ય ન્યાય અપાવ્યો હતો તેમ જણાવીને શીતલબેને કહ્યું કે, મને પૂરો વિશ્વાસ છે કે પુલવામા હુમલામાં પીડિતોને મોદી સરકારે જે ન્યાય અપાવ્યો છે તેના જેવો જ ન્યાય મારા પરિવાર અને અન્ય પીડિતોના પરિવારોને મોદી સરકાર અપાવશે તેવો મને વિશ્વાસ છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ  Surat: આતંકી હુમલામાં મૃતકોનાં બાળકોની જવાબદારી ઉઠાવશે સવાણી ગ્રુપ

ગુજરાત સરકારે કરી સમયસર મદદ

સુરતના મૃતક શૈલેષ કળથિયાના પત્ની શીતલબેને જણાવ્યું હતું કે, Pahalgam Terror Attack બાદ અમને માદરેવતન સુરત સુધી પહોંચવામાં બહુ તકલીફો પડી રહી હતી. જેમાં રાજ્ય સરકાર (Gujarat Govt.) એ બહુ મદદ કરી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghvi) અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ (Harsh Sanghvi) ના મદદગાર વલણને પરિણામે અમે ઝડપથી સુરત સુધી પહોંચી શક્યા. શીતલબેને Pahalgam Terror Attack માં પીડિતોને ન્યાય મળે તે માટે પુલવામા હુમલાની સરખામણી કરી હતી. તેમણે જણાવ્યું કે, જે રીતે પુલવામા હુમલામાં પીડિતોને મોદી સરકારે જે ન્યાય અપાવ્યો છે તેના જેવો જ ન્યાય મારા પરિવાર અને અન્ય પીડિતોના પરિવારોને મોદી સરકાર અપાવશે તેવો મને વિશ્વાસ છે.

આ પણ વાંચોઃ Pahalgam Terror Attack: આતંકીઓએ કહ્યું મુસલમાન અને હિન્દુઓ અલગ થઈ જાઓ : શૈલેષ કળથિયાના પુત્ર

Tags :
Advertisement

.

×