'વડાપ્રધાન ક્યારેય ખાલી હાથે આવતા નથી'
ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, "દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે પણ ગુજરાત પધારે છે, ત્યારે તેઓ હંમેશા રાજ્યની ઝોળી વિકાસના કામોથી ભરી દે છે. તેઓ ક્યારેય ખાલી હાથે આવતા નથી." તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાત દેશમાં વિકાસની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંક પર બિરાજમાન છે.
ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ: 5 એવોર્ડની પ્રાપ્તિ
તાજેતરમાં મળેલી સિદ્ધિઓ વિશે વાત કરતા નાયબ મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 5 પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ સફળતા માત્ર સરકારની નથી, પરંતુ રાજ્યની જનતા અને કર્મઠ તંત્રની છે. ભારતીય રાજકીય ઈતિહાસમાં આ પ્રકારના ભવ્ય અને અભૂતપૂર્વ કાર્યક્રમનું આયોજન પ્રથમવાર થયું છે, જે ગુજરાત માટે ખૂબ જ ગૌરવની વાત છે.
કલમ 370 અને રાષ્ટ્રનિર્માણની વાત
સંબોધન દરમિયાન હર્ષભાઈ સંઘવીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના ઐતિહાસિક નિર્ણયનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કલમ 370 દૂર કરીને કાશ્મીરને સાચા અર્થમાં ભારત સાથે એકરૂપ કરવાનું અને તેને વિકાસની મુખ્યધારામાં લાવવાનું મહત્વનું કાર્ય કર્યું છે."
જનકલ્યાણકારી યોજનાઓનું મોટું લક્ષ્ય
કેન્દ્ર સરકારની સિદ્ધિઓને ગણાવતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, ગરીબ કલ્યાણ અને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે મોદી સરકાર કટિબદ્ધ છે. દેશભરમાં 4 કરોડથી વધુ પાકાં ઘરોનું નિર્માણ અને 10 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ એ સામાન્ય માનવીના જીવનધોરણને ઊંચું લાવવાની દિશામાં લેવાયેલા મજબૂત કદમ છે. સાથે સાથે કહ્યું 50 કરોડ લોકોનો જનધન ખાતા, કરોડો પરિવારોને ઉજ્વલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન, 80 કરોડ પરિવારોને રાશન આપવાનું કામ કર્યું છે.
આપણી આસ્થાના સ્થળોનો જીણોદ્ધાર કરાવ્યો
નાયબ મુખ્યમંત્રી વધુમાં વડાપ્રધાનની પ્રસંશા કરતાં કહ્યું કે અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનાવ્યું, કાશી હોય કે પાવાગઢ હોય, આપણી આસ્થાના સ્થળોનો જીણોદ્ધાર કરાવ્યો છે.
આ પણ વાંચોઃ PM Narendra Modi Hazira Visit: દુશ્મનો હવે સાવધાન, PM મોદીના વિઝનથી ભારત બન્યું સુરક્ષામાં અભેદ્ય