Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Surat: MP Parshottam Rupala એ જાહેર મંચ પરથી સમાજના શ્રેષ્ઠીઓને કરી આકરી ટકોર

Surat: સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના એક કાર્યક્રમમાં લોકસભા સાંસદ તથા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) પાટીદાર સમાજને સંબોધિત કરતાં તીખા અને વિચારપ્રેરક નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમમાં હાજર રહીને તેમણે સમાજની વર્તમાન વાસ્તવિકતાઓને ખુલ્લેઆમ રજૂ કરી અને આંતરિક સુધારા તથા અનુશાસન પર ભાર મૂક્યો.
surat  mp parshottam rupala એ જાહેર મંચ પરથી સમાજના શ્રેષ્ઠીઓને કરી આકરી ટકોર
Advertisement
  • Surat માં સાંસદ Parshottam Rupalaનું તીખું અને વિચારપ્રેરક નિવેદન
  • સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના કાર્યક્રમમાં હાજરી
  • જાહેર મંચ પરથી સમાજના શ્રેષ્ઠીઓને આકરી ટકોર
  • “સમાજના કાર્યક્રમોમાં નેતા બોલે ત્યારે સભા ખાલી થાય”
  • છૂટાછેડા બાદ પૈસા ગણવાની માનસિકતા પર કડક ટીકા કરી

Surat: સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના એક કાર્યક્રમમાં લોકસભા સાંસદ તથા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) પાટીદાર સમાજને સંબોધિત કરતાં તીખા અને વિચારપ્રેરક નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમમાં હાજર રહીને તેમણે સમાજની વર્તમાન વાસ્તવિકતાઓને ખુલ્લેઆમ રજૂ કરી અને આંતરિક સુધારા તથા અનુશાસન પર ભાર મૂક્યો.

સુરતમાં (Surat) સાંસદ પરષોત્તમ રૂપાલાનું તીખું અને વિચારપ્રેરક નિવેદન

સુરતમાં 15 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ પરષોત્તમભાઈ રૂપાલાએ તીખું અને વિચારપ્રેરક નિવેદન આપ્યું હતું. રૂપાલાએ જાહેર મંચ પરથી સમાજના શ્રેષ્ઠીઓને આકરી ટકોર કરતાં કહ્યું કે, "સમાજના કાર્યક્રમોમાં નેતા બોલે ત્યારે સભા ખાલી થઈ જાય છે." આ નિવેદનથી તેમણે સમાજમાં કાર્યક્રમો પ્રત્યેની ઉદાસીનતા અને એકાગ્રતાના અભાવને ઉજાગર કર્યો.

Advertisement

Advertisement

છૂટાછેડા પછીની માનસિકતા પર કડક ટીકા

વધુમાં, તેમણે છૂટાછેડા પછીની માનસિકતા પર કડક ટીકા કરીને કહ્યું કે, "છૂટાછેડા બાદ તેના બાપા પૈસા ગણવા બેસે છે, એ આપણા સમાજ માટે શરમજનક છે." આ નિવેદનથી તેમણે સમાજમાં વધતા છૂટાછેડા અને તેની પાછળની આર્થિક માનસિકતાને લઈને ચિંતા વ્યક્ત કરી.રૂપાલાએ સમાજની કડવી વાસ્તવિકતાઓને સ્વીકારીને ભવિષ્યના પડકારો સામે જાગૃત થવાનો સંદેશ આપ્યો. તેમણે કુરિવાજોને દૂર કરવા, આંતરિક અનુશાસન જાળવવા અને સમાજને પ્રગતિના માર્ગે લઈ જવા પર વિશેષ ભાર મૂક્યો.

સમાજને આત્મમંથન કરવાની જરૂરિયાત દર્શાવી

તેમણે કહ્યું કે, આપણો સમાજ પાછળ રહી ગયો છે," જેનાથી સમાજને આત્મમંથન કરવાની જરૂરિયાત દર્શાવી.આ નિવેદનને કારણે સમાજમાં ચર્ચા થઈ રહી છે અને ઘણા લોકો તેને વાસ્તવિકતા સાથે જોડીને જુએ છે. રૂપાલાનું આ સંબોધન સમાજને સુધારણા અને એકતા તરફ પ્રેરિત કરવાના ઉદ્દેશ્યથી હતું.

આ પણ વાંચો: STUDIO ON WHEELS: ADC બેંકના ચેરમેન Ajaybhai Patel સાથે સહકારથી સમૃદ્ધિ અને સ્પોર્ટ્સના ભવિષ્ય પર ઊંડી વાતચીત

Tags :
Advertisement

.

×