Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Surat: આર્થિક મુસીબતો સામે ઝઝૂમતા રત્નકલાકારે કારખાનામાંથી ઘરે આવતા જ પંખે લટકી કર્યો આપઘાત

Surat Diamond Worker Suicide : ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત (Surat) માં રત્નકલાકારોની આત્મહત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના અમરોલી (Amroli) વિસ્તારમાં વધુ એક રત્નકલાકાર દ્વારા આર્થિક સંકડામણને કારણે ગળે ફાંસો ખાઈને આપઘાત (Suicide) કરી લેવાની કરુણ ઘટના સામે આવી છે.
surat  આર્થિક મુસીબતો સામે ઝઝૂમતા રત્નકલાકારે કારખાનામાંથી ઘરે આવતા જ  પંખે લટકી કર્યો આપઘાત
Advertisement
  • સુરત (Surat) ના અમરોલી (Amroli) માં રત્નકલાકારનો આપઘાત
  • મહાદેવ વિલામાં રહેતા ચેતન બોરડે કર્યો આપઘાત
  • આર્થિક સંકળામણમાં જીવન ટૂંકાવ્યાનું અનુમાન
  • ઘરે જ પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો
  • અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

Surat Diamond Worker Suicide : ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત (Surat) માં રત્નકલાકારોની આત્મહત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના અમરોલી (Amroli) વિસ્તારમાં વધુ એક રત્નકલાકાર દ્વારા આર્થિક સંકડામણને કારણે ગળે ફાંસો ખાઈને આપઘાત (Suicide) કરી લેવાની કરુણ ઘટના સામે આવી છે. આ બનાવને પગલે રત્નકલાકારોના પરિવારોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

સુરત (Surat) ના અમરોલીમાં રત્નકલાકારનો આપઘાત

મળતી માહિતી મુજબ, અમરોલી વિસ્તારમાં આવેલી મહાદેવ વિલા સોસાયટીમાં રહેતા ચેતન બોરડે (Chetan Borde) નામના રત્નકલાકારે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી છે. ચેતનભાઈ હીરાના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગુરુવારે બપોરે અંદાજે 2:30 વાગ્યે તેઓ ઘરે આવ્યા હતા અને ત્યારબાદ આ અંતિમ પગલું ભર્યું હતું.

Advertisement

Surat Diamond Worker Suicide - Gujarat first2

Advertisement

આર્થિક ભીંસ જવાબદાર હોવાનું અનુમાન

પરિવારજનો દ્વારા આપવામાં આવેલા પ્રાથમિક નિવેદન અનુસાર, ચેતનભાઈ છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકડામણ (Financial Distress) નો સામનો કરી રહ્યા હતા. હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી અને ઘરનું ગુજરાન ચલાવવામાં પડતી તકલીફોને કારણે તેઓ માનસિક તણાવમાં હોવાનું મનાય છે. આર્થિક મુશ્કેલીઓથી કંટાળીને તેમણે મોતને વહાલ કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Surat Diamond Worker Suicide - Gujarat first

પોલીસ તપાસ ચાલુ

ઘટનાની જાણ થતા જ અમરોલી પોલીસ (Amroli Police) સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં સતત વધી રહેલા રત્નકલાકારોના આપઘાતના કિસ્સાઓ હવે ચિંતાનો વિષય બન્યા છે.

આ પણ વાંચો : Surendranagar: લખતર-વઢવાણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર ઝાડ સાથે અથડાઈ, 5 લોકો ઇજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×