Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat Jari Industry Close: પેટ્રોલ-ડીઝલની બચત કરવા જરી અને થ્રેડ ઉદ્યોગનો મોટો નિર્ણય, દર રવિવારે 5 હજાર યુનિટ રહેશે બંધ

Surat Jari Industry Close: ગુજરાતના આર્થિક પાટનગર અને ટેક્સટાઇલ હબ ગણાતા સુરત (Surat) શહેરમાંથી ઉદ્યોગ જગતને લઈને એક બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલ (Petrol and diesel) ની વધતી કિંમતો તેમજ તેની બચત કરવાના આશય સાથે સુરતના જરી અને થ્રેડ ઉદ્યોગે (Zari and thread industry) રાષ્ટ્રહિતમાં એક અભૂતપૂર્વ નિર્ણય લીધો છે.
surat jari industry close  પેટ્રોલ ડીઝલની બચત કરવા જરી અને થ્રેડ ઉદ્યોગનો મોટો નિર્ણય  દર રવિવારે 5 હજાર યુનિટ રહેશે બંધ
Advertisement
  • Surat માં દર રવિવારે થ્રેડ એન્ડ જરીના યુનિટો બંધ રહેશે
  • સિક્યોર એમ્બ્રો થ્રેડ એન્ડ જરી એસોસિએશનો મોટો નિર્ણય
  • પેટ્રોલ-ડીઝલ બચાવવા માટે 5 હજાર યુનિટ બંધ રહેશે
  • પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રવિવારે યુનિટ બંધ રહેશે
  • પાંચ હજાર જેટલા યુનિટો અને દુકાનો સ્વૈચ્છિક બંધ રહેશે
  • ટ્રાન્સપોર્ટેશનમાં ઘટાડા માટે એક સાથે ઓર્ડરની સૂચના

Surat Jari Industry Close: ગુજરાતના આર્થિક પાટનગર અને ટેક્સટાઇલ હબ ગણાતા સુરત (Surat) શહેરમાંથી ઉદ્યોગ જગતને લઈને એક બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલ (Petrol and diesel) ની વધતી કિંમતો તેમજ તેની બચત કરવાના આશય સાથે સુરતના જરી અને થ્રેડ ઉદ્યોગે (Zari and thread industry) રાષ્ટ્રહિતમાં એક અભૂતપૂર્વ નિર્ણય લીધો છે. સિક્યોર એમ્બ્રો થ્રેડ એન્ડ જરી એસોસિએશન (SETJA) દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે હવેથી દર રવિવારે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ એકમો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.

Surat માં દર રવિવારે થ્રેડ એન્ડ જરીના યુનિટો બંધ રહેશે

એસોસિએશનના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી ઈંધણ અને પરિવહનની પરિસ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી આ નિયમ લાગુ રહેશે. આ નિર્ણય હેઠળ સુરતમાં આવેલા આશરે 5,000 જેટલા જરી-થ્રેડના પ્રોડક્શન યુનિટો અને તેને સંબંધિત દુકાનો દર રવિવારે સ્વૈચ્છિક રીતે બંધ પાળશે. સુરતનો જરી અને થ્રેડ ઉદ્યોગ એ આખા ટેક્સટાઇલ ક્ષેત્રનો એક મહત્વનો આધારસ્તંભ માનવામાં આવે છે, ત્યારે આટલા મોટા પાયે લેવાયેલો આ નિર્ણય બજાર પર વ્યાપક અસર છોડશે.

Advertisement

એડવાન્સમાં ઓર્ડર આપવા વેપારીઓને સૂચના

ટ્રાન્સપોર્ટેશન અને વાહનોની અવરજવરમાં ઘટાડો કરી શકાય તે માટે એસોસિએશન દ્વારા ગ્રાહકો અને વપરાશકર્તાઓને એક ખાસ અપીલ કરવામાં આવી છે. વેપારીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ છૂટક ઓર્ડર આપવાને બદલે એક સાથે અને એડવાન્સમાં જ પોતાનો માલ મંગાવી લે, જેથી વારંવાર વાહનો દોડાવવા ન પડે અને મોટા પાયે પેટ્રોલ-ડીઝલની બચત કરી શકાય. ઉદ્યોગપતિઓએ આ નિર્ણયને પોતાની સામાજિક જવાબદારી અને રાષ્ટ્રહિત માટે અનિવાર્ય ગણાવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, કાર્યકર્તાઓને એરપોર્ટ ન આવવા આપી સૂચના

Tags :
Advertisement

.

×