Surat: સુરતમાં શંકાસ્પદ મોતની ઘટનામાં નોંધાયો ગુનો, ડુમસના રિહેબ સેન્ટર સામે ફરિયાદ દાખલ
- Surat: સુરતમાં ધવલ રાઠોડના શંકાસ્પદ મોતનો કેસ
- ડુમસની રિવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટર સામે ફરિયાદ
- મૃતકના પરિવારે કરી છે ન્યાયની માગ
Surat: સુરત શહેરના ડુમસ (Dumas) વિસ્તારમાં સ્થિત “રિવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટર” (Riva Addiction and Rehab Center) સામે શંકાસ્પદ મોતના કેસમાં ગંભીર આરોપો વચ્ચે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ધવલ રાઠોડ (Dhawal Rathod) નામના યુવકનું સેન્ટરમાં મૂક્યાના માત્ર 24 કલાકની અંદર જ શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થતાં પરિવાર (Family) માં રોષ ફાટી નીકળ્યો છે. સમગ્ર ઘટનાને લઈને ડુમસ પોલીસ સ્ટેશન દ્વારા ચાર સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Surat: માર મારવાથી મોતઃ પરિવાર
માહિતી અનુસાર, ધવલ રાઠોડને ઊંઘની ગોળી (Sleeping pill) ઓ લેવાની કુટેવ હતી. આ કુટેવ છોડાવવા (To break a habit) પરિવારજનોએ 28 ફેબ્રુઆરીના રોજ તેને રિહેબ સેન્ટરમાં દાખલ કર્યો હતો. પરંતુ સેન્ટરમાં દાખલ થયાના 24 કલાક પૂર્ણ થાય તે પહેલાં જ તેના મોતના સમાચાર (Death news) મળતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
આ પણ વાંચો--- Ahmedabad: 'બાતમી કેમ આપે છે?' કહી બૂટલેગરોએ પોલીસકર્મીનું માથું ફાડ્યું! હવે થઈ આવી હાલત!
પરિવારજનોએ ગંભીર આરોપ મૂક્યો છે કે, સેન્ટરના સ્ટાફે (The center staff) ધવલને માર માર્યો હતો, જેના કારણે તેનું મોત થયું. તેઓએ ડુમસ પોલીસ સ્ટેશન (Dumas Police Station) માં સત્તાવાર ફરિયાદ નોંધાવી, અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Surat: ચાર સંચાલકો સામે ગુનો દાખલ
પોલીસે આ મામલે જીગ્નેશ દેસાઈ (Jignesh Desai), રોહન સંઘાણી (Rohan Sanghani), શૈલેષ વાધેલા (Shailesh Vadhela) અને દિલીપ જોષી (Dilip Joshi) સામે ગુનો નોંધ્યો છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ (Indian Penal Code) 103(1), 352 અને 54 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Forensic postmortem report) માં પણ યુવકના શરીર પર ઇજાના નિશાન મળ્યા હોવાનું સામે આવ્યું છે. જેના આધારે શંકા વધુ ગાઢ બની છે. હાલ ડુમસ પોલીસ દ્વારા સમગ્ર મામલે સઘન તપાસ (Intensive investigation) હાથ ધરવામાં આવી છે, અને સેન્ટરના સ્ટાફની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ ઘટના પછી શહેરમાં વ્યસન મુક્તિ કેન્દ્રો (Addiction treatment centers) ની કાર્યપદ્ધતિ અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. હવે તપાસના અંતિમ પરિણામ બાદ જ સમગ્ર સત્ય બહાર આવશે.
આ પણ વાંચો---Junagadh માં લોહીયાળ જંગ: સામાન્ય તકરારમાં મિત્રએ જ મિત્રનો જીવ લીધો!


