Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat News : સિટી બસ અને BRTS ના આ રૂટ ડાયવર્ટ થતાં મુસાફરોમાં રોષ

Surat News :  સુરત શહેરમાં વધતા ટ્રાફિક અને સુરક્ષાના પગલે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત સિટી બસ અને BRTSના રુટમાં સાંજના સમયે ફેરફાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ફેરફારને કારણે મુસાફરોએ હવે વૈકલ્પિક રૂટ પસંદ કરવો પડશે.
surat news   સિટી બસ અને brts ના આ રૂટ ડાયવર્ટ થતાં મુસાફરોમાં રોષ
Advertisement
  • Surat News :  સિટી બસ અને BRTS ના રૂટ ડાયવર્ટ કરાયા
  • સાંજે 4 થી 7 વાગ્યા સુધી બસ સેવામાં કરાયો ફેરફાર
  • રેલવે સ્ટેશનથી વાલક પાટીયા અને સર્કિટ હાઉસ તરફની બસો બંધ
  • વેડ દરવાજા, ચંદ્રશેખર આઝાદ બ્રીજ અને અઠવાગેટ રૂટ પર અસર
  • મુસાફરોને અન્ય વૈકલ્પિક રૂટ પસંદ કરવા તંત્રની સૂચના

Surat News :  સુરત શહેરમાં વધતા ટ્રાફિક અને સુરક્ષાના પગલે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત સિટી બસ અને BRTSના રુટમાં સાંજના સમયે ફેરફાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ફેરફારને કારણે મુસાફરોએ હવે વૈકલ્પિક રૂટ પસંદ કરવો પડશે.

Surat News : સાંજે 4 થી 7 સુધી રૂટ ડાયવર્ઝન

ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, દરરોજ સાંજે 4:00 થી 7:00 વાગ્યા સુધી બસોની સેવામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) થી વાલક પાટીયા (Valak Patiya) તરફ જતી બસો બંધ રહેશે. જો કે આ બસો સામાન્ય રીતે વરાછા, કાપોદ્રા, નાના વરાછા અને સીમાડા નાકા ઓવરબ્રીજ (Simada Naka Overbridge) થઈને જતી હોય છે.

Advertisement

BRTS બસ સેવા 3 કલાક માટે રહેશે સ્થગિત !

મહત્વનું છે કે, સુરત રેલવે સ્ટેશનથી સર્કિટ હાઉસ (Circuit House) તરફ જતો રૂટ પણ બંધ રાખવામાં આવ્યો છે. આ રુટમાં દિલ્હીગેટ, ગોટાલાવાડી-વેડ દરવાજા ઓવરબ્રીજ (Ved Darwaja Overbridge), ચંદ્રશેખર આઝાદ બ્રીજ (Chandrashekhar Azad Bridge) અને ગુજરાત ગેસ સર્કલ (Gujarat Gas Circle) થઈને અઠવાગેટ સર્કલ (Athwalines/Athwagate) જતી તમામ સિટી બસ અને BRTS સેવાઓ આ 3 કલાક માટે સ્થગિત રહેશે. આ ફેરફારના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે, તેથી મુસાફરોને અગાઉથી આયોજન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો : RFO Sonal Solanki Murder Case: બિહારથી હથિયાર સપ્લાય કરનાર ઝડપાયો, જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×