Surat: પતિ દુકાનેથી ઘરે આવ્યો ને પત્ની ફાંસો ખાધેલી હાલતમાં મળી, જાણો સમગ્ર મામલો
- Surat માં પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કર્યો
- મૃતક 22 વર્ષીય મહિલાનું નામ મમતા દેવી હતું
- સવારના સમયે જમવા બાબતે પતિ સાથે ઝઘડો થયો
Surat: સુરતના પાંડેસરા (Pandesara) વિસ્તારમાંથી એક હચમચાવતી આપઘાતની ઘટના સામે આવી છે. અહીં એક 22 વર્ષીય પરિણીતાએ જમવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી બાદ ગળેફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ દુખદ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
નાની વાતમાં મમતા દેવીનું આત્મઘાતી પગલું
પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક પરિણીતાનું નામ મમતા દેવી (Mamta Devi) હોવાનું સામે આવ્યું છે. સવારના સમયે જમવા બનાવવાની બાબતને લઈને પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ નાની એવી વાત મમતા દેવીના મન પર એટલી હદે લાગી ગઈ કે તેણે આ આત્મઘાતી (Suicidal) પગલું ભરી લીધું હતું.
પતિ ઘરે આવ્યોને જોયુ તો...
મૃતકના પતિ વિકાસ કુમારે (Vikas Kumar) પોલીસ અને પરિવારને જણાવ્યું કે, તે જ્યારે પોતાની કામકાજની જગ્યાએથી એટલે કે દુકાનેથી પાછો ઘરે આવ્યો ત્યારે જોયું કે પત્ની ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈને પતિ સ્તબ્ધ થઈ ગયો હતો. તેણે તાત્કાલિક અન્ય લોકોની મદદથી ઘરનો દરવાજો તોડીને પત્નીને નીચે ઉતારી હતી અને ગંભીર હાલતમાં સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખસેડી હતી. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ મમતા દેવીને મૃત જાહેર કરી હતી.
લગ્નને માત્ર બે જ વર્ષ થયા હતા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ દંપતી મૂળ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ફતેહપુરના વતની હતા અને રોજગાર અર્થે સુરત આવીને છેલ્લા બે મહિનાથી પાંડેસરા વિસ્તારમાં રહેતા હતા. મમતા અને વિકાસના લગ્નને માત્ર બે વર્ષ જેટલો જ સમય થયો હતો. આટલા ટૂંકા ગાળામાં પત્નીના નિધનથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલ પાંડેસરા પોલીસે (Pandesara Police) આ સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર નાની વાતોમાં આવેશમાં આવીને લેવાતા ખોટા નિર્ણયો સામે ચિંતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ RFO Sonal Solanki Murder Case: બિહારથી હથિયાર સપ્લાય કરનાર ઝડપાયો, જાણો સમગ્ર મામલો


