Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

સુરતમાં 'AAP' ને CR Paatil, ની ખુલ્લી ચેલેન્જ! '27 સીટ જાળવી બતાવો'

Political Challenge: સુરત (Surat) ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ (C. R. Paatil) એ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા 'AAP' ને પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, જો હિંમત હોય તો ગત ચૂંટણીની 27 બેઠકો જાળવી બતાવો. પાટીલે દાવો કર્યો કે ભાજપના કાર્યકરને હરાવવાની કોઈની તાકાત નથી અને સુરતમાં વિપક્ષનું ખાતું પણ નહીં ખૂલે. ચૂંટણી પહેલા જ વિપક્ષે હથિયાર હેઠા નાખી દીધા છે.
સુરતમાં  aap  ને cr paatil  ની ખુલ્લી ચેલેન્જ   27 સીટ જાળવી બતાવો
Advertisement
  • સુરતમાં કેન્દ્રીય મંત્રી CR Paatil ની 'AAP'ને ચેલેન્જ
  • તાકાત હોય તો 27 સીટ જાળવી બતાવો: સી.આર.પાટીલ
  • 'AAP'ને મત આપીને લોકો પસ્તાઈ રહ્યા છે: સી.આર.પાટીલ
  • સુરતમાં કોંગ્રેસ અને 'આપ'નું ખાતું પણ નહીં ખૂલે: સી.આર.પાટીલ
  • ચૂંટણી પહેલા જ વિપક્ષે હથિયાર હેઠા નાખ્યા: સી.આર.પાટીલ
  • 'ભાજપના કાર્યકરને હરાવવાની કોઈનામાં તાકાત નથી'

CR Paatil in Surat: આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં સુરત (Surat) ના રાજકીય મંચ પર ભાજપ (BJP) ના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ (CR Paatil) એ આક્રમક તેવર અપનાવ્યા છે. તેમણે આમ આદમી પાર્ટી (AAP) ને સીધો પડકાર ફેંકતા કહ્યું છે કે, જો તમારામાં તાકાત હોય તો ગત ચૂંટણીમાં જીતેલી 27 સીટ જાળવી બતાવો. પાટીલના આ નિવેદને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

'AAP' પર નિશાન: લોકો પસ્તાઈ રહ્યા છે

સી.આર. પાટીલ (C. R. Paatil) એ આક્ષેપ કર્યો છે કે સુરત (Surat) ની જનતા 'AAP' ને મત આપીને હવે પસ્તાવો અનુભવી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી મહાનગરપાલિકા (Municipal Corporation) ની ચૂંટણીમાં ભાજપનો એકતરફી વિજય થશે. પાટીલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, 'સુરતમાં કોંગ્રેસ (Congress) અને 'AAP' નું ખાતું પણ ખૂલવાની કોઈ શક્યતા નથી.'

Advertisement

વિપક્ષ પાસે ઉમેદવારોનો અભાવ

પાટીલે વિપક્ષની નબળાઈઓ પર પ્રહાર કરતા જણાવ્યું કે ચૂંટણી પહેલા જ વિપક્ષે હથિયાર હેઠા મૂકી દીધા છે. તેમણે વધુમાં દાવો કર્યો કે ભાજપની મજબૂત કામગીરીના કારણે વિપક્ષને રાજ્યભરમાં અંદાજે 10 હજાર બેઠકો પર લડવા માટે ઉમેદવારો પણ મળી રહ્યા નથી. ભાજપના પાયાના કાર્યકરોની મજબૂતીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, "ભાજપના કાર્યકરને હરાવવાની કોઈની તાકાત નથી."

Advertisement

ભાજપનો એકતરફી વિજય નિશ્ચિત?

સી.આર. પાટીલ (C. R. Paatil) નું આ નિવેદન ભાજપના કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરી રહ્યું છે. સુરત (Surat) માં પોતાની પકડ મજબૂત હોવાનો દાવો કરતા મંત્રીએ વિશ્વાસ અપાવ્યો કે વિકાસના કામોને આધારે જનતા ફરી એકવાર ભાજપને જ ભવ્ય વિજય અપાવશે. વિપક્ષી પાર્ટીઓ માટે પાટીલનો આ પડકાર એક મોટી મુસીબત બની શકે છે, કારણ કે સ્થાનિક સ્તરે ભાજપનું સંગઠન અત્યંત સક્રિય જોવા મળી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણીના પરિણામો પાટીલના આ દાવાઓને કેટલા સાર્થક કરે છે.

આ પણ વાંચો: Gujarat Politics: કેન્દ્રીય મંત્રી C.R પાટીલ અને નિલેશ કુંભાણીની મુલાકાતથી ગરમાયું રાજકારણ

Tags :
Advertisement

.

×