Surat : જૈન સાધુઓને વિહાર વખતે સુરક્ષા મળી રહે તે માટે રેલી યોજાઈ, કલેક્ટરને અપાયું આવેદન પત્ર
રાજસ્થાન (Rajasthan) ના પાલીમાં વિહાર કરતા જૈન મુનિને ભારે વાહને ટક્કર મારતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બાદ સુરતમાં રેલી યોજીને જૈન સાધુઓને વિહાર વખતે સુરક્ષા મળી રહે તેવી માંગણી કરાઈ છે. વાંચો વિગતવાર.
Advertisement
- Surat માં જૈન સમાજના લોકો અને સાધુ-સંતો દ્વારા રેલી યોજાઈ
- અડાજણ વિસ્તારથી Surat District Collector Office સુધી રેલી નીકળી
- વિહાર કરતા જૈન સાધુ સંતોની Road Safety માટે પગલા લેવા માગ કરાઈ
Surat : તાજેતરમાં રાજસ્થાનના પાલીમાં એક જૈન સાધુ વિહાર કરી રહ્યા હતા ત્યારે એક ભારે વાહનની ટક્કરથી તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાના પડઘા રાજસ્થાન તેમજ ગુજરાતના જૈન સમાજમાં પડ્યા છે. સુરતમાં વસતા જૈન સમાજના સભ્યોએ આ ઘટના બાદ એક રેલી દ્વારા વિરોધ નોંધાવ્યો છે. તેમની માંગણી છે કે આવી ઘટના ફરીથી ન બનવી જોઈએ અને વિહાર કરતા જૈન સાધુ અને સાધ્વીઓની સુરક્ષા (Road Safety) માટે સરકાર આવશ્યક પગલાં ભરે.

