Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Singanpor થી હર્ષભાઇ સંઘવીનો સણસણતો પ્રહાર: ' આવી બે-ચાર ચૌદશ તો દરેક જગ્યાએ હોય જ'

Harshbhai Sanghavi: સુરત (Surat) માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ધમધમાટ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghavi) એ સિંગણપોર (Singanpor) ખાતે વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે વિરોધ કરનારા લોકોને 'ચૌદશ' ગણાવીને કહ્યું કે તેમનું કામ માત્ર જનતાને ગુમરાહ કરવાનું છે. સરકાર આવી ગતિવિધિઓ સામે કડક વલણ અપનાવશે તેવો સ્પષ્ટ સંકેત આપી તેમણે કાર્યકર્તાઓને ચૂંટણીની તૈયારીમાં લાગી જવા હાકલ કરી છે.
singanpor થી હર્ષભાઇ સંઘવીનો સણસણતો પ્રહાર    આવી બે ચાર ચૌદશ તો દરેક જગ્યાએ હોય જ
Advertisement

Singanpor માં કાર્યકર્તાઓ સાથે હર્ષભાઇ સંઘવીનો સંવાદ
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વિરોધીઓ પર પ્રહાર
સરકાર કડકાઈ અપનાવે તો બધી ચૌદશ ભેગી થાય: હર્ષભાઈ
આવી બે ચાર ચૌદશ તો દરેક જગ્યાએ હોય જ: હર્ષભાઈ
અમારે પોલિટિક્સમાં પણ આવી બે ચાર ચૌદશ હોય: હર્ષભાઈ
આ ચૌદશોનું માત્ર એક જ કામ છે લોકોને ગુમરાહ કરવા: હર્ષભાઈ

Harshbhai Sanghavi in Singanpor : ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ અત્યારથી જ ગરમાયો છે. આ વચ્ચે, સુરત (Surat) ખાતે કાર્યકર્તાઓ સાથેના સંવાદ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghavi) એ વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. ખાસ કરીને સિંગણપોર (Singanpor) વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે વિરોધ કરનારા તત્વોને લઈને કરેલી ટિપ્પણી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.

Advertisement

વિરોધ કરનારા લોકો સામે આકરા તેવર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા અત્યારથી જ પ્રચાર અને કાર્યકર્તાઓ સાથેની બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ પ્રક્રિયાના ભાગરૂપે સિંગણપોર (Singanpor) ખાતે કાર્યકર્તાઓને સંબોધતા હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghavi) એ સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. કાર્યકર્તાઓ સાથેના આ સંવાદમાં તેમણે વિરોધ કરનારા લોકો સામે આકરા તેવર બતાવ્યા હતા.

Advertisement

બે ચાર ચૌદશ તો દરેક જગ્યાએ હોય: હર્ષભાઈ સંઘવી

પોતાના સંબોધન દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દરેક જગ્યાએ આવી બે-ચાર 'ચૌદશ' તો હોય જ છે જેનું કામ માત્ર લોકોને ગેરમાર્ગે દોરવાનું હોય છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "અમારે પોલિટિક્સમાં પણ આવી બે-ચાર ચૌદશ હોય છે, જેનું એકમાત્ર લક્ષ્ય જનતાને ગુમરાહ કરવાનું હોય છે." હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghavi) એ વધુમાં ઉમેર્યું હતું કે, જો સરકાર આ મામલે કડકાઈ અપનાવે તો આવી તમામ ચૌદશ એકસાથે ઠેકાણે આવી જાય.

તેમનું આ નિવેદન રાજકીય પક્ષોના વિરોધીઓ અને નકારાત્મક પ્રચાર કરનારા તત્વોને સીધો સંદેશ માનવામાં આવે છે. સિંગણપોર (Singanpor) ના કાર્યકર્તાઓમાં પણ આ નિવેદન બાદ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમણે હર્ષભાઈના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

વિકાસના કામો પર ભાર

રાજકીય વિરોધીઓને જવાબ આપવાની સાથે હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghavi) એ કાર્યકર્તાઓને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને વિકાસના કાર્યોને લોકો સુધી પહોંચાડવા માટે આહવાન કર્યું હતું. સુરત (Surat) માં થઈ રહેલા વિકાસ કાર્યો અને આગામી ચૂંટણીમાં ભાજપની જીત માટે તેમણે કાર્યકર્તાઓને કમર કસવા અને એકજૂટ થઈને કામ કરવા જણાવ્યું હતું. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ નિવેદન કેટલી અસર કરે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: Bodeli: DyCM હર્ષભાઈ સંઘવીના પ્રચંડ પ્રહાર, "કોંગ્રેસીઓ ખેડૂતોના હક લૂંટીને મહેલો બનાવતા હતા"'

Tags :
Advertisement

.

×