Nasirnagar Demolition Case: મીડિયાકર્મીઓ પર સુરક્ષાકર્મીઓનો હુમલો, સવાલોથી ભાગતા અધિકારીઓ
Surat Municipal Corporation: સુરતમાં નાસિરનગર ડિમોલિશન કેસ (Demolition Case) ની બેઠક દરમિયાન એસએમસી (SMC) કચેરીમાં ભારે હોબાળો થયો હતો. ડિમોલિશનનું સત્ય છુપાવવા સુરક્ષાકર્મીઓના વેશમાં આવેલા ગુંડાઓએ મીડિયાકર્મીઓ સાથે મારામારી કરી હતી. પત્રકારોના તીખા સવાલોનો જવાબ આપવાને બદલે મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner) ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા, જેનાથી તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉઠ્યા છે.
Advertisement
Nasirnagar Demolition Case: સુરતના નાસિરનગર કથિત ડિમોલિશન કેસ (Nasirnagar Demolition Case) ને લઈને વિવાદ વધુ વણસ્યો છે. સાઉથ ઝોન (South Zone) ખાતે એસએમસી (SMC - Surat Municipal Corporation) ની એક મહત્વની બેઠક મળી હતી, જેમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. બેઠક દરમિયાન સત્ય છુપાવવા માટે સુરક્ષા કર્મચારીઓ (Security Guards) ના વેશમાં આવેલા કેટલાક અસામાજિક તત્વો અથવા ગુંડાઓએ મીડિયાકર્મીઓ (Media Persons) સાથે ઉગ્ર મારામારી કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

