Surat: Union Minister C.R. Patil જોડાયા સાફસફાઇ અભિયાનમાં, નાગરિકોને કરી ખાસ અપીલ
C.R. Patil Surat: કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ (C.R. Patil) આજે સુરત (Surat) ની મુલાકાતે છે, જ્યાં તેમણે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આયોજિત એક કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો. સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ઉમરાવ નગર ખાતે આયોજિત આ સફાઈ અભિયાનમાં તેમની સાથે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.આર.પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા પ્રત્યેના મિશનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા પર હંમેશા વિશેષ ભાર મૂક્યો છે અને તેમની પ્રેરણાથી જ આજે આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
Union Minister C.R. Patil જોડાયા સાફસફાઇ અભિયાનમાં
વધુમાં સી.આર.પાટીલે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી આવતીકાલે સુરતની મુલાકાતે આવી રહ્યા છે, જેના પૂર્વે શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાના ઉદ્દેશ્યથી ભટાર વિસ્તારમાં આ સાફસફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે સ્વચ્છતાને માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ જનઆંદોલન ગણાવીને તમામ નાગરિકોને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે અપીલ કરી હતી. પાલિકા કમિશનર અને મંત્રીની ઉપસ્થિતિમાં થયેલી આ સફાઈ કામગીરીએ સ્થાનિકોમાં પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવી છે.
Surat માં Union Minister C.R. Patil એ પોતે કચરો વાળી શરૂ કર્યું સાફસફાઇ અભિયાન | Gujarat First
કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ જોડાયા સાફસફાઇ અભિયાનમાં
સુરતમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાયો કાર્યક્રમ
ભટારમાં ઉમરાવ નગર ખાતે હાથ ધર્યુ સફાઇ અભિયાન
પાલિકા કમિશનર એમ.નાગરાજન પણ જોડાયા… pic.twitter.com/ZJ1Yy9ePqv— Gujarat First (@GujaratFirst) June 4, 2026
આ પણ વાંચો: PM Narendra Modi in Surat : મોદીજીના હસ્તે દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિનો નવો અધ્યાય


