ધ્રાંગધ્રામાં મોટી કરૂણાંતિકા: સ્કૂલ બસનું તળિયું તૂટતાં 6 વર્ષના બાળકનું મોત
School Bus Accident Dhrangadhra: સુરેન્દ્રનગર (Surendranagar) ના ધ્રાંગધ્રામાં ઓમ શાંતિ વિદ્યાલય (Om Shanti Vidyalaya) ની બસનું તળિયું અચાનક તૂટી જતાં 6 વર્ષનો દિવ્યરાજસિંહ સોલંકી નીચે પટકાયો હતો. સારવાર માટે હોસ્પિટલ લઈ જતાં પહેલાં જ બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. શાળાની આવી ગંભીર બેદરકારી સામે વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે.
Advertisement
School Bus Accident Dhrangadhra: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ધ્રાંગધ્રા (Dhrangadhra) માંથી એક અત્યંત આઘાતજનક અને અરેરાટી ઉપજાવે તેવી કરૂણ ઘટના સામે આવી છે. ધ્રાંગધ્રામાં આવેલી એક ખાનગી શાળા ઓમ શાંતિ વિદ્યાલય (Om Shanti Vidyalaya) ની બસમાં સવાર થઈને શાળાએ જઈ રહેલા માસૂમ બાળક સાથે મોટો અકસ્માત સર્જાયો હતો. બસની ભયાનક જર્જરિત હાલતના કારણે ચાલુ બસે તળિયું તૂટી જતાં 6 વર્ષનો વિદ્યાર્થી અચાનક નીચે પટકાયો હતો.

