લખતર પંથકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, 1000 વીઘામાં પાક નષ્ટ
Gujarat Farmers: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર (Lakhtar) તાલુકામાં 6 ઈંચથી વધુ ભારે વરસાદ વરસતાં ભારે તારાજી સર્જાઈ છે. ડેરવાળા (Derwala) સહિતના ગામોના ખેતરોમાં પાણી ફરી વળતા કપાસ, જુવાર, બાજરી અને એરંડા સહિતનો પાક નિષ્ફળ ગયો છે. અંદાજે 1000 વીઘાથી વધુ જમીનમાં વ્યાપક નુકસાન થતાં ખેડૂતોએ તાત્કાલિક વળતરની માગ કરી છે.
Advertisement
Gujarat Farmers: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર (Lakhtar) તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ચો તરફ તારાજીના દ્રશ્યો સર્જાયા છે. લખતર (Lakhtar) પંથકમાં ટૂંકા સમયગાળામાં અંદાજે 6 ઈંચથી પણ વધુ આભ ફાટવા જેવો ભારે વરસાદ નોંધાયો હતો. આ મુસળધાર વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે હાલાકી ઉભી થઈ છે. ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં ગોઠણસમા પાણી ભરાઈ જતાં ચોમાસુ પાકની ખેતી કરતા ખેડૂતોની આશા અને મહેનત પર પાણી ફરી વળ્યું છે.

