સુરેન્દ્રનગરમાં માસ ફૂડ પોઈઝનિંગ: ગોખરવાડા KGBV શાળાની 147 દીકરીઓની તબિયત લથડી
Surendranagar: સુરેન્દ્રનગરના (Surendranagar) ચુડા તાલુકાના ગોખરવાડાની KGBV વિદ્યાલયમાં ભોજન લીધા બાદ કુલ 215 માંથી 147 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની (Food Poisoning) અસર થઈ છે. તમામ ભોગ બનનારને 108 મારફતે ચુડા, લીંબડી અને ગાંધી હોસ્પિટલ ખસેડાયા છે. ડેપ્યુટી કલેક્ટર સહિત વહીવટી કાફલાએ હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી ફૂડ સેમ્પલ લીધા છે.
Advertisement
Chuda Food Poisoning: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચુડા તાલુકામાંથી એક અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચુડા (Chuda) તાલુકાના ગોખરવાડા (Gokharvada) ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV School) માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ (Food Poisoning) ની અસર થતાં સમગ્ર પંથકમાં અને વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. શાળાના હોસ્ટેલમાં આપવામાં આવેલું ભોજન આરોગ્યા બાદ તબિયત લથડતાં માસ ફૂડ પોઈઝનિંગનો આ મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

