Pakistan Boycott India Match : T20 World Cup 2026 ને લઈને સૌથી મોટા સમાચાર, પાકિસ્તાન ભારત સામે નહીં રમે!
- પાકિસ્તાન: વર્લ્ડ કપ રમશે, પણ ભારત સામે નહીં
- પાકિસ્તાન સરકારે T20 વર્લ્ડ કપ રમવા મંજૂરી આપી
- 15 ફેબ્રુઆરીની ભારત સામેની મેચ રમવાનો ઈન્કાર
- પીએમ શહેબાઝ શરીફ અને PCB ચીફ વચ્ચે બેઠક યોજાઈ
- ICC પર દબાણ લાવવા પાકિસ્તાનનો આક્રમક પ્લાન
Pakistan Boycott India Match : ક્રિકેટની દુનિયામાં ફરી એકવાર રાજકીય ગરમાવો આવી ગયો છે. પાકિસ્તાન સરકારે (Pakistan Government) આખરે પોતાની ક્રિકેટ ટીમને આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026 (ICC T20 World Cup 2026)માં ભાગ લેવા માટે લીલી ઝંડી આપી દીધી છે. જોકે, આ મંજૂરી એક મોટી અને ચોંકાવનારી શરત સાથે આપવામાં આવી છે. સરકારી આદેશ અનુસાર, પાકિસ્તાન ટીમ ટુર્નામેન્ટમાં રમશે ખરી, પરંતુ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત (India) સામે યોજાનારી હાઈ-વોલ્ટેજ મેચમાં મેદાન પર નહીં ઉતરે. એટલે કે, ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ભારત-પાકિસ્તાન મુકાબલો (India vs Pakistan Match) હવે રમાશે નહીં.
Pakistan Boycott India Match : પાકિસ્તાન સરકારનો આદેશ
પાકિસ્તાન સરકારના અધિકૃત એક્સ (Twitter) હેન્ડલ પરથી એક ટ્વીટ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. જેમાં સ્પષ્ટ લખ્યું છે કે, "ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન સરકાર (Government of the Islamic Republic of Pakistan) પાકિસ્તાન ક્રિકેટ ટીમને ICC T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેવાની મંજૂરી આપે છે, જો કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત સામે નિર્ધારિત મેચ રમશે નહીં."
આ નિર્ણય પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ (Shehbaz Sharif) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન મોહસિન નકવી (Mohsin Naqvi) વચ્ચે યોજાયેલી હાઈ-પ્રોફાઈલ મીટિંગ બાદ લેવામાં આવ્યો છે. નકવીએ અગાઉ પણ વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે વર્લ્ડ કપમાં ભાગીદારી અંગેનો અંતિમ નિર્ણય ફેબ્રુઆરીની શરૂઆતમાં લેવાશે.
ICC અને BCCI સામે મોહસિન નકવીની રણનીતિ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સામેની મેચનો બહિષ્કાર કરીને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ને મોટું આર્થિક નુકસાન પહોંચાડવા માંગે છે. મોહસિન નકવીએ હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સમાં ICC પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમનું માનવું છે કે વૈશ્વિક ક્રિકેટ સંસ્થા સંપૂર્ણપણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના પ્રભાવ હેઠળ કામ કરી રહી છે. ભારત-પાકિસ્તાન મેચ ન રમાય તો બ્રોડકાસ્ટર્સ અને ICCને રેવન્યુમાં મોટો ફટકો પડી શકે છે.
Pakistan refuses to play India T20 World Cup
T20 World Cup: India-Pakistan મેચ રદ્દ? પાકિસ્તાને મેચ રમવાની ના પાડી દીધી! જાણો શું છે કારણ#IndVsPak #T20WorldCup #Pakistan #India #CricketNews #BreakingNews #SriLanka #BCCI #PCB #GujaratFirst #CricketLovers pic.twitter.com/qJesmIKfTU— Gujarat First (@GujaratFirst) February 1, 2026
બાંગ્લાદેશ વિવાદ અને KKR કનેક્શન
આ સમગ્ર વિવાદના મૂળમાં બાંગ્લાદેશ (Bangladesh) અને આઈપીએલ (IPL) નું કનેક્શન પણ સામે આવ્યું છે. પાકિસ્તાને વર્લ્ડ કપમાં ભાગ લેવા પર પુનર્વિચાર ત્યારે શરૂ કર્યો જ્યારે ICCએ બાંગ્લાદેશને હટાવીને તેની જગ્યાએ સ્કોટલેન્ડ (Scotland) ને ટુર્નામેન્ટમાં સામેલ કર્યું. આ નિર્ણય બાંગ્લાદેશના ભારત પ્રવાસના ઇનકાર બાદ લેવાયો હતો.
મળતી માહિતી મુજબ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ત્યારે ભારત પ્રવાસની ના પાડી જ્યારે આઈપીએલ ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ કથિત રીતે BCCI ના કહેવાથી બાંગ્લાદેશના અનુભવી બોલર મુસ્તફિઝુર રહેમાન (Mustafizur Rahman) ને ટીમમાંથી રિલીઝ કરી દીધો. આ મુદ્દે ઉકેલ લાવવા અનેક બેઠકો થઈ, પણ કોઈ પરિણામ ન આવતા ICCએ બાંગ્લાદેશની અપીલ ફગાવી દીધી અને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. હવે, પાકિસ્તાનના આ નિર્ણય બાદ ICC શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો : T20 World Cup 2026 પૂર્વે ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીર વિરામ પર !


