AI થી નોકરીઓ જશે? Google CEO Sundar Pichai એ શું આપી પ્રતિક્રિયા?
- AI ને લઈને Sundar Pichai નું મોટું નિવેદન
- AI થી નોકરીઓ જશે? Google CEO એ શું આપી પ્રતિક્રિયા?
- AI ને લઈને યુવાનોમાં વધતી ચિંતા સ્વાભાવિક : સુંદર પિચાઈ
Google CEO Sundar Pichai : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI – Artificial Intelligence) ને લઈને વિશ્વભરમાં ચર્ચા અને ચિંતા બંને વધી રહી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ (Students) અને યુવાનો (Youth) માં નોકરીઓ (Jobs) અંગે ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આ વચ્ચે Google ના CEO સુંદર પિચાઈ (Sundar Pichai) એ AI ને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્વીકાર્યું કે AI ના કારણે યુવાનોમાં ઉભી થતી નોકરીની ચિંતા ખોટી નથી. જોકે, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવી પેઢી (New Generation) આ ટેકનોલોજી (Technology) સાથે આગળ વધીને ભવિષ્યને નવી દિશા આપી શકે છે.
AI અંગે વધતો ડર કેમ?
તાજેતરમાં સુંદર પિચાઈ “Hard Fork Podcast” પર જોવા મળ્યા હતા, જ્યાં AI ના વધતા પ્રભાવ અંગે ચર્ચા થઈ હતી. ઇન્ટરવ્યુ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે જો સ્ટેનફોર્ડ યુનિવર્સિટી (Stanford University) ખાતે તેમના ભાષણ દરમિયાન વિદ્યાર્થીઓ AI સામે વિરોધ પ્રદર્શન કરે તો તેઓ કેવી પ્રતિક્રિયા આપશે. આ પ્રશ્ન અગાઉ AI અંગે થયેલા વિવાદો અને વિરોધોને ધ્યાનમાં રાખીને પૂછવામાં આવ્યો હતો. પિચાઈએ જવાબ આપતાં કહ્યું કે AI સમાજમાં ખૂબ ઝડપથી પરિવર્તન લાવી રહ્યું છે અને માણસો સ્વાભાવિક રીતે આવા ઝડપી ફેરફારોને લઈને ચિંતિત બની જાય છે. તેમણે સ્વીકાર્યું કે ખાસ કરીને નોકરી શોધી રહેલા યુવાનોમાં ભવિષ્ય અંગે ભય વધી રહ્યો છે. AI ટેકનોલોજી હવે કામ કરવાની પદ્ધતિને બદલવા તરફ આગળ વધી રહી છે, જેના કારણે લોકોમાં અનિશ્ચિતતા વધી રહી છે.
નોકરીઓ અને ભવિષ્ય અંગે Sundar Pichai નું નિવેદન
એક અહેવાલ મુજબ, સુંદર પિચાઈએ જણાવ્યું કે AI ની અસર હવે Job Market પર સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક મોટી કંપનીઓએ AI ના કારણે કર્મચારીઓની છટણી (Layoffs) અને સ્ટાફમાં ફેરફાર કર્યા છે. નવા સ્નાતકો (Graduates) માં બેરોજગારી (Unemployment) છેલ્લા 4 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગઈ હોવાનું પણ ચર્ચામાં છે. સુંદર પિચાઈએ કહ્યું કે લોકોની ચિંતા યોગ્ય છે કારણ કે AI ભવિષ્યમાં કામ કરવાની પદ્ધતિમાં મોટો બદલાવ લાવશે. પરંતુ સાથે જ તેમણે ઉમેર્યું કે આજના યુવાનો આ ટેકનોલોજીને વધુ આગળ વધારશે અને તેની પડકારજનક અસરનો સામનો પણ સફળતાપૂર્વક કરશે. તેમના મતે, દરેક નવી ટેકનોલોજી શરૂઆતમાં મુશ્કેલીઓ અને ડર લાવે છે, પરંતુ સમય જતાં તે નવી તકો પણ ઉભી કરે છે.
ટેક ઉદ્યોગ AI ના ફાયદા સમજાવવામાં પાછળ?
સુંદર પિચાઈએ ટેક ઉદ્યોગ (Tech Industry) અંગે પણ મહત્વપૂર્ણ વાત કરી હતી. તેમણે કહ્યું કે ટેક કંપનીઓ હજુ સુધી લોકો સુધી AI ના ફાયદાઓ (Benefits of AI) યોગ્ય રીતે પહોંચાડી શકી નથી. કંપનીઓએ લોકોને સમજાવવું પડશે કે AI કેવી રીતે જીવન સરળ બનાવી શકે છે અને નવી તકો ઉભી કરી શકે છે. તેમણે ઇતિહાસનું ઉદાહરણ આપતાં કહ્યું કે દરેક મોટી ટેકનોલોજી શરૂઆતમાં ભય પેદા કરતી હતી, પરંતુ બાદમાં તે જીવનધોરણ (Lifestyle) અને નવીનતા (Innovation) માટે લાભદાયી સાબિત થઈ હતી. હાલમાં AI અંગે લોકોમાં વિશ્વાસનો અભાવ જોવા મળી રહ્યો છે.
AI અંગે લોકોમાં મિશ્ર પ્રતિક્રિયા
ઇન્ટરવ્યુ દરમિયાન New York Times ના એક સર્વે (Survey) નો પણ ઉલ્લેખ થયો હતો, જેમાં માત્ર 16 ટકા લોકોએ AI ને સકારાત્મક રીતે જોયું હતું, જ્યારે મોટી સંખ્યામાં લોકોએ તેને નકારાત્મક માન્યું હતું. આ આંકડા દર્શાવે છે કે AI અંગે લોકોમાં હજી પણ ભય અને અનિશ્ચિતતા છે. નિષ્ણાતો માને છે કે ભવિષ્યમાં AI માનવ જીવન અને નોકરી બજાર બંનેમાં મોટો ફેરફાર લાવશે, પરંતુ તે બદલાવને કેવી રીતે સંભાળવો તે સૌથી મોટો પડકાર બનશે.
આ પણ વાંચો : Planar Unit Distance Problem : 80 વર્ષ માણસથી અટકેલું કામ AI એ કર્યું !


