Air India માં નેતૃત્વના બદલાવની અટકળો તેજ, જાણો મામલો ક્યાં પહોંચ્યો
- એર ઇન્ડિયાના હાલના CEO ની વિદાય નજીકમાં હોવાના સંકેત
- નીતિ-રીતિથી ટાટા જૂથનું ટોચનું નેતૃત્વ અસંતુષ્ટ
- એર ઇન્ડિયા સામે અનેક મુદ્દે ઇન્કવાયરીઓ ચાલી રહી છે
Air India CEO Replacement Rumors : ગયા વર્ષે સલામતીમાં ખામીઓ અને અનેક DGCS હડતાળ પર ચાલી રહેલી તપાસ વચ્ચે, એર ઇન્ડિયાને ટૂંક સમયમાં નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) મળી શકે છે. ટાટા ગ્રુપ કંપનીએ યુકે અને યુએસમાં બે મુખ્ય કેરિયર્સના ચીફ એક્ઝિક્યુટિવ્સ સાથે વાત કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે. અનેક સ્ત્રોતો પર આધારિત અહેવાલો સૂચવે છે કે, ઓછા બજેટવાળી કેરિયર એર ઇન્ડિયા એક્સપ્રેસમાં પણ નેતૃત્વ પરિવર્તન નજીકમાં થનાર છે. જો કે, હાલના, CEO કેમ્પબેલ વિલ્સનનો કાર્યકાળ સત્તાવાર રીતે 2027 ના મધ્યમાં સમાપ્ત થાય છે.
વળતરમાં અવરોધરૂપ
અહેવાલ અનુસાર, ખોટમાં ચાલી રહેલી એરલાઇનનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું, અને 2022 માં ટાટા ગ્રુપને વેચી દેવામાં આવ્યું હતું, ટાટા જૂથે આગામી વર્ષોમાં તેના પ્લેનને આધુનિક બનાવવા અને રૂટ વિસ્તૃત કરવા માટે ભારે રોકાણ કર્યું છે. જો કે, વિમાન ડિલિવરી અને નવીનીકરણમાં વિલંબ, ઓપરેશનલ મુદ્દાઓ અને સલામતીની ચિંતાઓ, ટર્નઅરાઉન્ડ માટે અવરોધ રૂપ બની રહી છે.
સુધારાઓથી અસંતુષ્ટી
અહેવાલ મુજબ, ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરન પહેલાથી જ બે સંભવિત ઉમેદવારો સાથે ચર્ચા કરી ચૂક્યા છે. તેઓ યુકે અને યુએસમાં બે મુખ્ય આંતરરાષ્ટ્રીય કેરિયર્સના ચીફ એક્ઝિક્યુટિવ્સ હતા. સૂત્રોએ જણાવ્યું કે, ચંદ્રશેખરન કામની ગતિ અને જમીન પર થયેલા સુધારાઓથી અસંતુષ્ટ છે.
પ્રતિષ્ઠાને નુકશાન પહોંચ્યું
સિંગાપોર એરલાઇન્સમાં 26 વર્ષની કારકિર્દી પછી વિલ્સને જુલાઈ 2022 માં એર ઇન્ડિયાના CEO અને મેનેજિંગ ડિરેક્ટરની ભૂમિકા સંભાળી હતી. ન્યુઝીલેન્ડમાં જન્મેલા એક્ઝિક્યુટિવનો કાર્યકાળ સત્તાવાર રીતે 2027 ના મધ્યમાં સમાપ્ત થાય છે. એરલાઇનને વૈશ્વિક સ્પર્ધકમાં રૂપાંતરિત કરવાની તેમની પાંચ વર્ષની પરિવર્તન યોજનાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. વારંવાર નિયમોના ઉલ્લંઘનો અને 2025 માં જીવલેણ વિમાન દુર્ઘટનાથી પણ તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.
તપાસ ચાલુ છે
વિમાન દુર્ઘટના પછી, વરિષ્ઠ સરકારી અધિકારીઓએ વિલ્સનને બાયપાસ કરીને ટાટા ગ્રુપના ટોચના નેતૃત્વ સાથે સીધી વાત પણ કરી હતી. નોંધનીય છે કે, નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ રવિવારે જણાવ્યું હતું કે, ''અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ હજુ પણ ચાલુ છે. અને તપાસ તેની પોતાની ગતિએ, સંપૂર્ણ રીતે અને ખૂબ જ વ્યાવસાયિક રીતે આગળ વધી રહી છે."
આ મુદ્દે શરમમાં મુકાવવું પડ્યું
તાજેતરમાં, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે એર ઇન્ડિયાના પાઇલટને ફ્લાઇટ AI-358 અને AI-357 પર કારણદર્શક નોટિસ પણ જારી કરી હતી, જેમાં એરક્રાફ્ટ ડિસ્પેચ, ન્યૂનતમ સાધનોની યાદીનું પાલન અને ફ્લાઇટ ક્રૂ સંબંધિત સલામતીની ચિંતાઓનો સમાવેશ થાય છે. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં, એર ઇન્ડિયાના એક પાઇલટને દારૂ પીધેલી હાલતમાં વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યો હતો. વાનકુવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેનેડિયન પોલીસ દ્વારા કરવામાં આવેલા બે બ્રેથલાઇઝર પરીક્ષણોમાં જાણવા મળ્યું કે પાઇલટ ફરજ માટે અયોગ્ય હતો. કેનેડિયન ટ્રાન્સપોર્ટ રેગ્યુલેટરે એર ઇન્ડિયાને આ ઘટનાની તપાસ કરવા જણાવ્યું છે.
આ પણ વાંચો --------- Microsoft ના CEO Satya Nadella ની મોટી આગાહી, કહ્યું, 'વર્ષ 2026 AI માટે મહત્વનો ટર્નિંગ પોઇન્ટ'


