આપણે એક એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં પર્યાવરણને બચાવવા માટે Renewable Energy (સૌર અને પવન ઉર્જા) અનિવાર્ય છે. પરંતુ, સૂર્ય આથમી જાય કે પવન શાંત થઈ જાય ત્યારે આ એનર્જીને સાચવી રાખવી એ સૌથી મોટો પડકાર છે. આ પડકારનો જવાબ શોધનાર વૈજ્ઞાનિક છે જય વ્હાઈટાકર(Jay Whitacre), જેમણે પોતાની અદભૂત શોધ દ્વારા સાબિત કરી દીધું છે કે પરિવર્તન લાવવા માટે હંમેશા મોંઘા અને ઝેરી રસાયણોની જરૂર નથી હોતી.
Jay Whitacre Saltwater Battery : નાસાથી શરૂ થયેલી સફર
જય વ્હાઈટાકરનું બાળપણ એક ડોક્ટરના પરિવારમાં વીત્યું હતું, જેના કારણે મેડિસિનમાં તેમનો રસ હતો, પણ વસ્તુઓને ખોલીને ફરીથી જોડવાની તેમની જિજ્ઞાસા તેમને એન્જિનિયરિંગ તરફ લઈ ગઈ. 12 વર્ષની ઉંમરે સાયન્સ ફેર જીતવાથી શરૂ થયેલી તેમની સફર 2001માં નાસાની 'જેટ પ્રપલ્શન લેબોરેટરી' સુધી પહોંચી. ત્યાં તેમણે માર્સ રોવર 'ક્યુરિઓસિટી' માટે થર્મલ બેટરી સિસ્ટમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
કેમ જરૂરી હતી નવી બેટરી?
બજારમાં ઉપલબ્ધ બેટરીઓમાં એસિડ, સોડિયમ અને સલ્ફર જેવા ઝેરી તત્વોનો ઉપયોગ થતો હતો, જે ખૂબ જ ખર્ચાળ અને પર્યાવરણ માટે જોખમી હતા. જય વ્હાઈટાકરે આનો વિકલ્પ શોધવાનું નક્કી કર્યું. કાર્નેગી મિલાન યુનિવર્સિટીમાં સંશોધન દરમિયાન તેમણે લિથિયમ(Lithium) અને એસિડ ઇલેક્ટ્રોલાઈટ પર પ્રયોગો કર્યા, પણ તે તેમને સંતોષકારક ન લાગ્યા.
...અને જન્મ થયો 'એક્વીઅસ હાઇબ્રીડ આયન બેટરી'નો
અંતે, અથાગ મહેનત પછી તેમણે દુનિયાની પ્રથમ 'એક્વીઅસ હાઇબ્રીડ આયન બેટરી' બનાવી. આ બેટરીની ખાસિયત શું છે?
સામગ્રી: તેમાં માત્ર પાણી, સોડિયમ અને કાર્બનનો ઉપયોગ થાય છે.
પર્યાવરણલક્ષી (Environmentally friendly): આ સામગ્રી પૃથ્વી પર પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે અને તે બિન-ઝેરી (non-toxic) છે.
કિંમત અને ક્ષમતા: આ બેટરી સસ્તી છે અને તેમાં એટલી ઊર્જા સંગ્રહિત કરી શકાય છે કે જે 24 કલાકની જરૂરિયાત સંતોષી શકે.
સાદગીપૂર્ણ સફળતાની ગાથા
જય વ્હાઈટાકરની સફળતા પાછળ તેમનો સંઘર્ષ પણ અદભૂત છે. કંપની શરૂ કરવા માટે તેમણે 18 મહિના સુધી માત્ર સંશોધન કર્યું, અનેક અઠવાડિયા સુધી પગાર લીધા વિના રજા પર રહ્યા જેથી કંપનીને આર્થિક રીતે મજબૂત શરૂઆત મળે. 2008માં સ્થપાયેલી તેમની કંપની 'એક્વિઅન' (Aquion) આજે ઓસ્ટ્રેલિયા, કેલિફોર્નિયા, જર્મની, મલેશિયા અને ફિલિપાઈન્સ જેવા દેશોમાં પોતાની છાપ છોડી ચૂકી છે.
સાદગીના આગ્રહી જય વ્હાઈટાકર પોતાની ઓફિસે પણ સાયકલ ચલાવીને જવાનું પસંદ કરે છે. 30 પેટન્ટ ધરાવતા આ વૈજ્ઞાનિકે સાબિત કર્યું છે કે જો સંશોધનનું લક્ષ્ય માત્ર પબ્લિકેશન નહીં, પણ માનવજાતની મૂળ સમસ્યાઓનો ઉકેલ લાવવાનું હોય, તો જ સાચી સફળતા મળે છે.
આજે તેમની બેટરી ફોસિલ ફ્યુઅલ પરની આપણી નિર્ભરતા ઘટાડીને ધરતીને ફરીથી લીલીછમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
આ પણ વાંચો : Dreame ના નવા રોબોટિક વેક્યુમ ક્લીનર્સ ભારતમાં લોન્ચ, હવે ઘર સાફ કરવા માટે નહીં કરવી પડે મહેનત!