તમારા વિસ્તારમાં નેટવર્ક નથી તો પણ આવશે કોલ ! જાણો WiFi Calling
- WiFi કોલિંગ નબળા મોબાઇલ સિગ્નલવાળા વિસ્તારોમાં કોલ કરવા દે છે
- કોલ કરવા માટે મોબાઇલ ટાવરને બદલે WiFi કનેક્શનનો થાય છે ઉપયોગ
- કોલની ગુણવત્તા વધે અને ડ્રોપ કોલ્સની સમસ્યા ઘટે છે
- આ સુવિધા કોઈ વધારાના ચાર્જ વિના ઉપલબ્ધ
WiFi Calling:ઘણા વિસ્તારોમાં હજુ પણ કેટલીક વખત નેટવર્કની સમસ્યાઓ સર્જાતી હોય છે. ત્યારે નબળા મોબાઈલ નેટવર્ક (Mobile Network) ના કારણે ઘણીવાર ડ્રોપ કોલ્સ અથવા અસ્પષ્ટ અવાજનું કારણ બને છે. આવી પરિસ્થિતિઓમાં તમે WiFi કોલિંગનો ઉપયોગ કરી શકો છો. WiFi કોલિંગ મોબાઈલ નેટવર્કને બદલે WiFi દ્વારા કોલ કરવાની મંજૂરી આપે છે. ભારતમાં લગભગ તમામ મુખ્ય ટેલિકોમ ઓપરેટરો અને સ્માર્ટફોન હવે WiFi કોલિંગને સપોર્ટ કરે છે.
WiFi કોલિંગ શું છે ?
WiFi કોલિંગ એક એવી ટેકનોલોજી છે જે મોબાઈલ કોલ સીધા WiFi દ્વારા કરવા માટે મંજૂરી આપે છે. આ સુવિધા નબળા મોબાઈલ નેટવર્ક અથવા અસ્તિત્વમાં ન હોય ત્યારે વરદાન રુપ સાબિત થાય છે. આ ખાસ કરીને ઘરની અંદર કે અંતરિયાળ વિસ્તાર હોય કે પછી પહાડી વિસ્તારોમાં ઉપયોગ કરી શકાય છે.
કેવી રીતે કામ કરે છે WiFi Calling
WiFi કોલિંગ કરવાથી તમારો અવાજ મોબાઈલ ટાવરને બદલે WiFi દ્વારા ટેલિકોમ નેટવર્ક સુધી પહોંચે છે. આ કોલ દરમિયાન ડેટા પેકેટ એન્ક્રિપ્ટ કરવામાં આવે છે અને ઓપરેટરના સર્વર પર ટ્રાન્સમિટ થાય છે. બીજી પાર્ટી સામાન્ય કોલની જેમ જ કોલ પ્રાપ્ત કરે છે. મોબાઇલ બેલેન્સ અથવા પ્લાન સામાન્ય કોલ માટે સમાન રહે છે.
જાણો વાઈફાઈ કોલિંગના ફાયદા અને મર્યાદાઓ
આ WiFi કોલિંગનો ઉપયોગ કરવાથી તે કોલની ગુણવત્તા વધારે છે. આ સાથે કોલ ઓછા ડ્રોપ થાય છે. જો તમારો પ્લાન સક્રિય હોય તો આ સુવિધા કોઈ વધારાના ચાર્જ વિના પણ ઉપલબ્ધ થઈ શકે છે. જો કે તેની ગુણવત્તા સંપૂર્ણપણે વાઈફાઈની ગતિ અને સ્થિરતા પર આધાર રાખે છે.
એન્ડ્રોઇડ અને આઇફોન પર વાઇફાઇ કોલિંગ કરવાની કેવી રીતે કરવું
વર્તમાન સમયમાં યુઝર એન્ડ્રોઇડ અને આઇફોન એમ અલગ-અલગ ઉપયોગ કરે છે. ત્યારે એન્ડ્રોઇડ ફોન પર, નેટવર્ક અથવા સિમ સેટિંગ્સ હેઠળ સેટિંગ્સમાં વાઇફાઇ કોલિંગ ચાલુ કરી શકાય છે. આઇફોન પર, મોબાઇલ ડેટા અથવા સેલ્યુલર હેઠળ સેટિંગ્સમાં જઈને વાઇફાઇ કોલિંગને સક્રિય કરવાની જરૂર પડે છે. નબળા નેટવર્ક કનેક્ટિવિટીના કિસ્સામાં ફોન આપમેળે વાઇફાઇ કોલિંગ પર સ્વિચ થાય છે. એકવાર સેટ થઈ ગયા પછી, વપરાશકર્તાને વધારાનું કંઈ કરવાની જરૂર નથી.
નોંધ: આ લેખમાં વિવિધ માધ્યમો દ્વારા પ્રકાશિત માહિતી છે, જેની ગુજરાત ફર્સ્ટ પુષ્ટી કરતું નથી
આ પણ વાંચોઃ IFFCO ચેરમેન દિલીપભાઈ સંઘાણી પહોંચ્યા કોઈમ્બતૂર, જાણો શું કરી ચર્ચા!


