AI થી ડરવાની જરૂર નથી, તેને અપનાવવાનો સમય આવ્યો છે: Nandan Nilekani
આજના ટેકનોલોજીના યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એક મોટો બદલાવ લાવી રહ્યું છે. આ ક્રાંતિને લઈને આખી દુનિયામાં એક સવાલ છે કે શું AI ભવિષ્યમાં માનવબળ અને આઈટી કંપનીઓની જગ્યા લઈ લેશે? આ પ્રશ્નનો જવાબ આપતા ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નિલેકણીએ એક સકારાત્મક અને મહત્વપૂર્ણ દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે.
Advertisement
Nandan Nilekani on AI: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI અંગે ટેક જગતમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. અનેક લોકો એવી આશંકા સેવી રહ્યા છે કે AI ભવિષ્યમાં આઈટી કંપનીઓનું અસ્તિત્વ ભૂંસી નાખશે. ઇન્ફોસિસના સહ-સ્થાપક અને ચેરમેન નંદન નિલેકણીએ આ બાબતે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે AI આઈટી કંપનીઓને બદલી નહીં શકે પરંતુ તેમને પહેલા કરતા વધુ બહેતર બનાવશે.

