Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bharuch સ્ટેશન રોડ પર આવેલ 200 વર્ષ જૂની દરગાહ તોડી પડાઇ : વિકાસના નામે કાર્યવાહી

Bharuch : શહેરમાં સ્ટેશન રોડ ઉપર આવેલી બાલાપીર માસુમપીર દરગાહ, જે લગભગ 200 વર્ષ જુની માનવામાં આવે છે, તેનું દબાણ બુધવારે વહેલી સવારે દૂર કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને અધિકારીઓની હાજરીમાં જેસીબી અને અન્ય મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
bharuch સ્ટેશન રોડ પર આવેલ 200 વર્ષ જૂની દરગાહ તોડી પડાઇ   વિકાસના નામે કાર્યવાહી
Advertisement
  • Bharuch : વહેલી સવારે બાલાપીર માસુમપીર દરગાહ તોડી પાડી : ભરૂચમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર
  • રેસ્ટ હાઉસ-કોમ્પ્લેક્સ માટે દરગાહનું દબાણ હટાવ્યું : ભરૂચ જિલ્લા પંચાયતનો નિર્ણય.
  • ભરૂચમાં ગેરકાયદેસર દબાણ વિરુદ્ધ કાર્યવાહી : 200 વર્ષ જુની દરગાહ દૂર કરાઈ.
  • સ્થાનિકોના વિરોધ વચ્ચે ભરૂચ સ્ટેશન રોડ પર દરગાહનું દબાણ દૂર : વિકાસના નામે કાર્યવાહી

Bharuch : શહેરમાં સ્ટેશન રોડ ઉપર આવેલી બાલાપીર માસુમપીર દરગાહ, જે લગભગ 200 વર્ષ જુની માનવામાં આવે છે, તેનું દબાણ બુધવારે વહેલી સવારે દૂર કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને અધિકારીઓની હાજરીમાં જેસીબી અને અન્ય મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન શીયાળાની ઠંડી વચ્ચે સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો, પરંતુ તંત્રે તેને ગેરકાયદેસર દબાણ ગણીને દૂર કર્યું.

Advertisement

Bharuch : રેસ્ટ હાઉસ બનાવવાની યોજના

આ દરગાહ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા બનાવવામાં આવેલી દુકાનોની નજીક અને સીટી સેન્ટરની સામે આવેલી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાએ જણાવ્યું હતું કે આ જગ્યા પર વિશાળ કોમ્પ્લેક્સ અને અધ્યતન સુવિધાઓ સાથે રેસ્ટ હાઉસ બનાવવાની યોજના છે. દરગાહના કોઈ આધાર પુરાવા નથી અને ટ્રસ્ટીઓ કોર્ટમાં ગયા હતા, પરંતુ સ્ટે હટી ગયો હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આમાં કોઈ વિવાદ નથી અને તમામ પ્રક્રિયા વીડિયો ફુટેજ સાથે કરવામાં આવી છે.

Advertisement

પોલીસ અને અધિકારીઓની હાજરીમાં દરગાહ તોડી પડાઈ

કાર્યવાહી વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં શરૂ થઈ હતી અને પાંચ કલાક સુધી ચાલી હતી. મોટાપ્રમાણમાં પોલીસ અને અધિકારીઓ હાજર રહ્યા હતા જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. સ્થાનિકોમાં આ કાર્યવાહીથી આક્રોશ ફેલાયો હતો, કારણ કે દરગાહ પરંપરાગત અને ધાર્મિક મહત્વની છે. ટ્રસ્ટીઓ હવે કાયદાકીય માર્ગે કાર્યવાહી કરી રહ્યા છે.

દરગાહ દૂર કરીને રેન્ટ હાઉસ બનતા ભરૂચનું થશે વિકાસ!

આ ઘટના ગુજરાતમાં ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર કરવાની વધતી કાર્યવાહીના ભાગરૂપે જોવા મળી રહી છે. સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું છે કે જાહેર સુરક્ષા અને વિકાસ માટે ધાર્મિક સ્ટ્રક્ચર હોય તો પણ દૂર કરવા પડે છે. ભરૂચ જિલ્લા પંચાયતનું કહેવું છે કે આ કાર્યવાહી જનહિતમાં અને વિકાસના હેતુથી કરવામાં આવી છે, જેથી રસ્તા અને સુવિધાઓનો વિકાસ થઈ શકે. સ્થાનિક સમુદાયમાં આ ઘટનાએ ચર્ચા જગાવી છે અને ટ્રસ્ટીઓની કોર્ટમાં અરજીથી આગળની કામગીરી ઉપર અસર પડી શકે છે.

આ પણ વાંચો-Banaskanthaના દરબાર જાગીરદાર સમાજમાં ક્રાંતિ : નવું બંધારણ અમલમાં, પરંપરાઓમાં મોટા ફેરફાર!

અહેવાલ- દિનેશ મકવાણા, ભરૂચ

Tags :
Advertisement

.

×