Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Ahmedabad : જર્જરિત આંગણવાડીમાં 30 ભૂલકાઓ જીવના જોખમે કરી રહ્યાં છે અભ્યાસ

Ahmedabad :  શહેરના બહેરામપુરા વોર્ડમાં આવેલી એક આંગણવાડીની હાલત અત્યંત દયનીય અને જર્જરિત છે, જેનાથી સ્થાનિક વાલીઓમાં ભારે આક્રોશ અને ચિંતા વ્યાપી છે. આ આંગણવાડી પાણીની ટાંકીની ચાલીમાં ચાલી રહી છે, જ્યાં માત્ર એક નાનકડા રૂમમાં 30થી વધુ નાના બાળકોને બેસાડવામાં આવે છે.
ahmedabad   જર્જરિત આંગણવાડીમાં 30 ભૂલકાઓ જીવના જોખમે કરી રહ્યાં છે અભ્યાસ
Advertisement
  • Ahmedabad : બહેરામપુરામાં જર્જરિત આંગણવાડી : નાનકડા રૂમમાં 30થી વધુ બાળકો, વાલીઓમાં ભય
  • બહેરામપુરા વોર્ડની બિસ્માર આંગણવાડી : પાણી ટાંકી ચાલીમાં ચાલે છે, દિવાલો પડવાના ડરે વાલીઓ બાળકો મોકલવા ડરે
  • 5 વર્ષથી ભાડાના રૂમમાં આંગણવાડી : અમદાવાદ મનપા પર સવાલ, ખુલ્લા પ્લોટમાં નવી બિલ્ડિંગની માગ
  • જર્જરિત દિવાલોવાળી આંગણવાડીમાં બાળકોનો જીવ જોખમમાં : બહેરામપુરામાં વાલીઓનો આક્રોશ, ધારાસભ્ય-કોર્પોરેટરને રજૂઆત
  • અમદાવાદમાં આંગણવાડીની દયનીય હાલત : એક જ રૂમમાં અભ્યાસ અને નાસ્તો, મનપા ક્યારે જાગશે?

Ahmedabad :  શહેરના બહેરામપુરા વોર્ડમાં આવેલી એક આંગણવાડીની હાલત અત્યંત દયનીય અને જર્જરિત છે, જેનાથી સ્થાનિક વાલીઓમાં ભારે આક્રોશ અને ચિંતા વ્યાપી છે. આ આંગણવાડી પાણીની ટાંકીની ચાલીમાં ચાલી રહી છે, જ્યાં માત્ર એક નાનકડા રૂમમાં 30થી વધુ નાના બાળકોને બેસાડવામાં આવે છે. આ જ રૂમમાં બાળકોનો અભ્યાસ ચાલે છે અને તેમનો નાસ્તો પણ તૈયાર કરવામાં આવે છે, જે સ્વચ્છતા અને સુરક્ષાના માપદંડોની ઘોર અવગણના કરવામાં આવી રહી છે.

Advertisement

Ahmedabad  જર્જરિત આંગણવાડીમાં જીવના જોખમે બાળકો

આ આંગણવાડીની દિવાલો પણ જર્જરિત થઈ ગઈ છે, જે કોઈપણ સમયે પડી શકે તેવા ભયથી વાલીઓ પોતાના નાના ભૂલકાઓને અહીં મોકલવામાં ડરી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી આ આંગણવાડી આ જ ભાડાના રૂમમાં ચાલી રહી છે અને અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દર વર્ષે આ રૂમનું ભાડું ચૂકવી રહી છે. વાલીઓનું કહેવું છે કે આવી હાલતમાં બાળકોનો જીવ જોખમમાં છે અને જો દિવાલ પડી જાય તો તેની જવાબદારી કોણ લેશે?

Advertisement

રજૂઆતો છતાં ના મળ્યું કોઈ પરિણામ

સ્થાનિક રહેવાસીઓ અને વાલીઓએ આ મુદ્દે સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટર તથા વિપક્ષી નેતાઓને પણ રજૂઆત કરી છે. તેમની મુખ્ય માગ છે કે બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં નવી અને પાક્કી આંગણવાડીનું બાંધકામ કરવામાં આવે, જેથી બાળકોને સુરક્ષિત અને વ્યવસ્થિત વાતાવરણ મળી શકે. આંગણવાડી એ બાળકોના પોષણ, આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણનું મહત્વનું કેન્દ્ર છે, પરંતુ અહીંની સ્થિતિ તેની વિરુદ્ધમાં છે.

કોઈ દુર્ઘટના થશે તો જવાબદારી કોણ લેશે?

ગુજરાતમાં આંગણવાડીઓની સ્થિતિ અંગે અગાઉ પણ ઘણી ફરિયાદો સામે આવી છે. રાજ્યમાં હજારો આંગણવાડીઓ જર્જરિત અથવા ભાડાના મકાનોમાં ચાલે છે, જેનાથી બાળકોની સુરક્ષા અને શિક્ષણ પર અસર પડે છે. અમદાવાદ જેવા મોટા શહેરમાં પણ આવી સમસ્યા હોવી એ મહાનગરપાલિકાની બેદરકારી દર્શાવે છે. પ્રશ્ન એ ઉભો થાય છે કે શું અમદાવાદ મનપા પાસે આંગણવાડી બનાવવા માટે જગ્યા નથી? અથવા તો બાળકોના જીવ જોખમમાં મૂક્યા પછી જ તંત્ર જાગશે?

Ahmedabad  આંગણવાડી તેડાગર બહેનો પણ ડરમાં

આંગણવાડી કાર્યકર્તાઓ-તેડાગર બહેનો પણ આ હાલતથી પરેશાન છે, કારણ કે નાના રૂમમાં આટલા બાળકોને સંભાળવા અને નાસ્તો તૈયાર કરવો મુશ્કેલ બની રહ્યું છે. વાલીઓનો આક્ષેપ છે કે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. આવી સ્થિતિમાં બાળકોનું ભવિષ્ય અને સુરક્ષા જોખમમાં છે.

આ મુદ્દે અમદાવાદ મહાનગરપાલિકા અને મહિલા-બાળ વિકાસ વિભાગે તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ. નવી આંગણવાડીનું બાંધકામ કરીને બાળકોને સુરક્ષિત વાતાવરણ આપવું જરૂરી છે. જો આવી બેદરકારી ચાલુ રહેશે તો એક દિવસ કોઈ મોટી દુર્ઘટના બની શકે છે, જેની જવાબદારી તંત્રની જ રહેશે. વાલીઓ અને સમાજને આશા છે કે તંત્ર આ મુદ્દે ગંભીરતાથી કાર્યવાહી કરશે અને બાળકોના હિતને પ્રાધાન્ય આપશે.

આ પણ વાંચો- અમદાવાદ NDPS કોર્ટનો કડક ચુકાદો; સરખેજના ડ્રગ્સ પેડલરને ફટકારી 10 વર્ષની સજા

Tags :
Advertisement

.

×