Jhansi Fire : હોસ્પિટલ પરિસરમાં જોવા મળ્યા હ્રદયદ્રાવક દ્રષ્યો, આક્રંદ અને ચીસો..
- મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નવજાત બાળકોના વોર્ડમાં આગની ઘટનામાં 10 બાળકોના મોત
- હોસ્પિટલ પરિસરમાં જોવા મળ્યા હ્રદયદ્રાવક દ્રષ્યો
- માતાઓ પોતાના હ્રદયના ટુકડાની હાલત જોઈને બેહોશ થઈ ગઈ
- 10 નવજાત બાળકોના મૃતદેહ વેરવિખેર પડ્યા હતા
Jhansi Fire : ઉત્તર પ્રદેશના ઝાંસી (Jhansi Fire)માં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નવજાત બાળકોના વોર્ડમાં ગઈકાલે રાત્રે ભારે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. રડતી માતાઓ, નવજાત શિશુને હાથમાં લઈને ભાગતા ડોકટરો, કેટલાકના મૃતદેહો અને બીજાના અડધા બળેલા મૃતદેહો… માતાઓ પણ પોતાના હ્રદયના ટુકડાની હાલત જોઈને બેહોશ થઈ ગઈ. એ બાળકોના માતા-પિતાને સમજાતું નહોતું કે શું કરવું? કોઈ તેના કપાળ પર હાથ રાખીને બેઠું હતું, કોઈનો પતિ તેને હિંમત આપવા પાણી આપી રહ્યો હતો.
10 નવજાત બાળકોના મૃતદેહ વેરવિખેર પડ્યા હતા
કોનું બાળક મૃત્યુ પામ્યું, કોનું બાળક ઘાયલ થયું, કોનું બાળક બચ્યું, કોઇને કંઇ જાણ ન હતી. થોડી જ વારમાં આખો ચિલ્ડ્રન વોર્ડ બળીને રાખ થઈ ગયો. 10 નવજાત બાળકોના મૃતદેહ વેરવિખેર પડ્યા હતા. ઈમરજન્સી વોર્ડમાં ઈજાગ્રસ્ત બાળકોની કતાર લાગી હતી. જેમના બાળકો બચી ગયા હતા, તેમના માતા-પિતા અન્ય હોસ્પિટલ તરફ દોડતા જોવા મળ્યા હતા. એક કલાકમાં બાળકોના જન્મની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ. આગથી સમગ્ર શહેર અને સરકારને આંચકો લાગ્યો હતો.
પીડિતોએ તેમની વ્યથા સંભળાવી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવજાત બાળકની માતા બાળકની હાલત જોઈને બેહોશ થઈ ગઈ હતી. તેનો પતિ પોતે હિંમત કરીને તેને પીવા માટે પાણી આપી રહ્યો હતો. બાળકની માતા વારંવાર કહી રહી હતી કે એક વખત બાળકનો ચહેરો દેખાડો. એક મહિલા તેના પૌત્રને શોધી શકી ન હતી, પરંતુ એક અર્ધ-મૃત બાળક મળી આવ્યું હતું જેની સાથે તે દોડી રહી હતી. તેણીએ કહ્યું કે તેને તેના પૌત્રનું ઠેકાણું ખબર નથી, પરંતુ તે તેને મરવા દેશે નહીં. હું તેને બીજી હોસ્પિટલ લઈ જઈ રહી છું. એક મહિલાએ કહ્યું કે અમને અંદર જવા દેવામાં આવ્યા નથી.
#WATCH | Jhansi Medical College tragedy | Kin of a newborn who died in the fire says, " Our newborn was admitted here for one month. Yesterday there was an operation and after that, the baby was admitted there (NCIU). Around 10 pm yesterday the fire broke out, we rushed to take… pic.twitter.com/ZvXfIYq4yn
— ANI (@ANI) November 16, 2024
આ પણ વાંચો----Jhansi : હોસ્પિટલના NICU માં ભીષણ આગ, 10 બાળકોના કરુણ મોત
લોકો જાણતા ન હતા કે તેમનું બાળક બચશે કે નહીં
NICU વોર્ડમાં આગ લાગતા 10 બાળકો દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે. અને 16 બાળકો જીવન-મરણ વચ્ચે લટકી રહ્યા છે. તેમની સારવાર ચાલુ છે. સૌથી મોટી અને હ્રદયદ્રાવક વાત એ છે કે લોકો એ જાણતા નથી કે મૃત્યુ પામેલા 10 બાળકોમાં તેમનું બાળક પણ છે કે નહીં. કેટલાક બાળકોનો જન્મ થોડા કલાકો પહેલા થયો હતો, કેટલાક એક અઠવાડિયા પહેલા અને કેટલાક માત્ર 10 દિવસના છે. પરિવાર પાસે તેમને ઓળખવા માટે કંઈ જ નથી અને તેના કારણે જે લોકોના બાળકોને અહીં દાખલ કરવામાં આવ્યા હતા અને ભયાનક આગનો શિકાર બન્યા હતા તે તમામ લોકો ચિંતિત છે.
#WATCH | UP Deputy Chief Minister Brajesh Pathak arrives at Maharani Laxmi Bai Medical College in Jhansi
Last night, a massive fire outbreak at the Neonatal intensive care unit (NICU) of the medical college claimed the lives of 10 newborns. pic.twitter.com/r6nx4wvjVv
— ANI (@ANI) November 15, 2024
NICU વોર્ડ રાખમાં ફેરવાઈ ગયો
જે વોર્ડમાં બાળકોને રાખવામાં આવ્યા હતા તેની તસવીરો પણ સામે આવી છે. બાળકોને રાખવા માટે વપરાતા મશીનો સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા. આખો વોર્ડ નાશ પામ્યો છે. લાઇટો કપાઇ ગઇ છે.
ઘટના સ્થળે રાહત કાર્ય ચાલુ છે
ફાયર બ્રિગેડ અને વહીવટી ટીમ ઘટનાસ્થળે રાહત કાર્યમાં લાગેલી છે. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. અકસ્માત બાદ મેડિકલ કોલેજ પ્રશાસન અને સ્થાનિક પ્રશાસન પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે આ અકસ્માતની વિગતવાર તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો---યોગી આદિત્યનાથને CM પદ પરથી 20 નવેમ્બર બાદ હટાવાશે: અખિલેશ યાદવ...