પૂરની પરિસ્થિતી વચ્ચે અમદાવાદ-મુંબઇ વચ્ચેની સંખ્યાબંધ ટ્રેનો રદ
નર્મદા નદીમાં આવેલા ભયાનકપૂરના કારણે રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. રેલવે ટ્રેક પર પાણી ફરી વળવાના કારણે સંખ્યાબંધ ટ્રેનોને કેન્સલ કરવાની રેલવે તંત્રને ફરજ પડી છે. ભારે વરસાદના પગલે દાહોદ નજીક લેન્ડ સ્લાઇડ થતાં રેલવે વિભાગે 11 સુપરફાસ્ટ ટ્રેન...
03:57 PM Sep 18, 2023 IST
|
Vipul Pandya
નર્મદા નદીમાં આવેલા ભયાનકપૂરના કારણે રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. રેલવે ટ્રેક પર પાણી ફરી વળવાના કારણે સંખ્યાબંધ ટ્રેનોને કેન્સલ કરવાની રેલવે તંત્રને ફરજ પડી છે. ભારે વરસાદના પગલે દાહોદ નજીક લેન્ડ સ્લાઇડ થતાં રેલવે વિભાગે 11 સુપરફાસ્ટ ટ્રેન ડાયવર્ટ કરી છે જ્યારે 9 ટ્રેનોને રદ કરાઇ છે.તથા 4 ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાઇ છે.
આ ટ્રેનો રદ કરાઇ
ભરુચ-અંકલેશ્વર ખાતે નર્મદા નદીના પૂરના કારણે રેલવે વિભાગે સંખ્યાબંધ ટ્રેનો રદ કરી છે . જે ટ્રેનો રદ કરાઇ છે તેમાં
અવંતિકા એક્સપ્રેસ, પટણા સુપર ફાસ્ટ, કચ્છ એક્સપ્રેસ, સયાજીનગરી એકસપ્રેસ, મુંબઇ અમદાવાદ ગુજરાત એકસપ્રેસ, મુંબઇ ગાંધીનગર વંદેભારત, વડોદરા વલસાડ ઇન્ટરસિટી, સુરત મહુવા સુપરફાસ્ટ, વડનગર વલસાડ ઇન્ટરસિટી , અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી સહિતની ટ્રેનોનો સમાવેશ થાય છે.
નિયંત્રીત સ્પીડથી ટ્રેન વ્યવહાર શરુ
બીજી તરફ ગત રાત્રીએ નર્મદાનું પાણી ભરુચ અંકલેશ્વર બ્રિજને અડી જતાં રેલ વ્યવહાર બંધ કરી દેવાયો હતો પણ આજે સવારે અપ લાઇન પર 11.30 વાગે તથા ડાઉન લાઇન પર 12.28 વાગે પાણી ઉતરતાં નિયંત્રીત સ્પીડથી ટ્રેન વ્યવહાર શરુ કરાયો હોવાનું વેસ્ટર્ન રેલવેના ચીફપીઆરઓએ જણાવ્યું હતું.
મુસાફરો માટે વ્યવસ્થા કરાઇ
રેલવે વિભાગે મુસાફરોને કોઇ અગવડતા ના પડે તે માટે રિફ્રેશમેન્ટની વ્યવસ્થા કરી છે અને એનાઉન્સમેન્ટ દ્વારા તથા હેલ્પ લાઇન દ્વારા ટ્રેનોની સાચી જાણકારી અપાઇ રહી છે. આ ઉપરાંત રેલવે વિભાગ દ્વારા ઇટોલામાં મુસાફરો માટે વડોદરા અને સુરત તરફ જવા માટે 10 બસની વ્યવસ્થા કરાઇ હતી.
Next Article