Gujarat: બહારનું ખાવાના શોખીન માટે ચોંકાવનારી ઘટના, મસાલા પાપડમાંથી નીકળી જીવતી ઇયળ
- આણંદના વાસદની સત્યનારાયણ હોટેલ સંચાલકોની બેદરકારી
- હોટેલ સંચાલકો લોકોના આરોગ્ય સાથે કરી રહ્યા છે ખીલવાડ
- સત્યનારાયણ હોટેલમાં મસાલા પાપડમાંથી નીકળી ઇયળ
આણંદના વાસદની સત્યનારાયણ હોટેલના સંચાલકોની બેદરકારી સામે આવી છે. જેમાં હોટેલ સંચાલકો લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરી રહ્યા છે. તેમાં સત્યનારાયણ હોટેલમાં મસાલા પાપડમાંથી ઇયળ નીકળી છે. જેમાં નાનું બાળક મસાલા પાપડમાં જીવતી ઈયળને જોઈ ચોંકી ગયુ હતુ.
Anand : હોટેલનું ખાતા પહેલાં જોઈ લેજો આ વીડિયો । Gujarat First
- આણંદના વાસદની સત્યનારાયણ હોટેલ સંચાલકોની બેદરકારી
- હોટેલ સંચાલકો લોકોના આરોગ્ય સાથે કરી રહ્યા છે ખીલવાડ
- સત્યનારાયણ હોટેલમાં મસાલા પાપડમાંથી નીકળી ઇયળ
- નાનું બાળક મસાલા પાપડમાં જીવતી ઈયળને જોઈ ગયું#anand… pic.twitter.com/t95qmjaOBe— Gujarat First (@GujaratFirst) June 5, 2025
વિવિધ વાનગીમાં જીવાત અને વંદા નીકળવાનો સિલસિલો ચાલી રહ્યો છે
જો તમે પણ બહારનું ખાવાના શોખીન છો અને સતત હોટલ- રેસ્ટોરન્ટમાં જમવાની આદત બનાવી લીધી હોય તો એકવાર હોટલનું ભોજન જોઈ તપાસીને જ જમાવા બેસજો. કારણ કે, ગાર્લિક બ્રેડ, પિઝા, બર્ગર બાદ મસાલા પાપડ જેવી વિવિધ વાનગીમાં જીવાત અને વંદા નીકળવાનો સિલસિલો ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે આણંદના વાસદની સત્યનારાયણ હોટેલમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. જેમાં હોટેલ સંચાલકો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે સત્યનારાયણ હોટેલમાં મસાલા પાપડમાંથી ઇયળ નીકળી છે. જેમાં નાનાબાળકે મસાલા પાપડમાં જીવતી ઈયળ જોઇ તે ખાતા અટકી ગયો અને બધાને જાણ કરતા મામલો સામે આવ્યો છે.
2 રેસ્ટોરન્ટની બેદરકારી બદલ AMCએ કાર્યવાહી કરી
તાજેતરમાં જ અમદાવાદમાં 2 રેસ્ટોરન્ટની બેદરકારી બદલ AMCએ કાર્યવાહી કરી હતી. અમદાવાદમાં 2 રેસ્ટોરન્ટની બેદરકારી બદલ AMCએ કાર્યવાહી કરી હતી. રાણીપની રિયલ પેપરિકા રેસ્ટોરન્ટને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો જ્યારે વસ્ત્રાલની બ્રિટિશ પીઝાને રૂપિયા 15 હજારનો દંડ ફટકાર્યો હતો. બંને રેસ્ટોરન્ટમાંથી સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા હતા.
બંને રેસ્ટોરન્ટના ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી
અત્રે જણાવીએ કે, બંને રેસ્ટોરન્ટના ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી હતી. તેમજ શહેરની કોર્ટયાર્ડ બાય મેરિયોટ હોટલના ભોજનમાંથી જીવાત પડેલી જોવા મળી હતી. કોર્ટયાર્ડ બાય મેરિયટના Java+માં જમવા ગયેલા ગ્રાહકે જીવાતનો વીડિયો બનાવ્યો હતો. થોડાદિવસ અગાઉ જ કબીર રેસ્ટોરન્ટ અને ઘી ગુડમાંથી પણ જીવાત નીકળી હતી. ત્યારે સમગ્ર ઘટના બાદ ગ્રાહકે કિચન વિઝિટની માગ કરતા હોટલ મેનેજમેન્ટે ઇન્કાર કર્યો હતો. આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી રહે છે ત્યારે હવે બહારનું ખાવાની આદત ધરાવતા લોકો માટે સાવચેત રહેવાની અપીલ છે.
આ પણ વાંચો: Gujarat : વડોદરા સાવલી નગરપાલિકાએ ટેન્ડર વગર સરકારી જમીન પર કોમ્પ્લેક્સ બનાવ્યું