ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

AAP સાંસદ સંજય સિંહ હાઉસ એરેસ્ટ ; ગેટ ઉપર ચડીને ફારૂક અબ્દુલ્લા સાથે કરી વાતચીત

મેહરાજ મલિકની ધરપકડ વિરુદ્ધ પ્રતિકાર : AAP સંજય સિંહને હાઉસ અરેસ્ટ, ફારુક અબ્દુલ્લા સાથે ગેટ પર મુલાકાત
04:28 PM Sep 11, 2025 IST | Mujahid Tunvar
મેહરાજ મલિકની ધરપકડ વિરુદ્ધ પ્રતિકાર : AAP સંજય સિંહને હાઉસ અરેસ્ટ, ફારુક અબ્દુલ્લા સાથે ગેટ પર મુલાકાત

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના ડોડા ખાતેથી આમ આદમી પાર્ટી ( AAP )ના ધારાસભ્ય મેહરાજ મલિકની હિરાસત વિરુદ્ધ પાર્ટી હુમલાવર બની છે. એકતા દર્શાવવા માટે રાજ્યસભા સાંસદ સંજય સિંહ શ્રીનગર પહોંચ્યા છે. આ વચ્ચે આપે દાવો કર્યો છે કે સંજય સિંહને જમ્મુ-કાશ્મીરમાં હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે ગેટની બહાર તાળો લગાવી દીધો છે. આ પછી નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા તેમની મુલાકાત માટે પહોંચ્યા હતા. અહીં સંજય સિંહે ગેટ પર ચડીને અબ્દુલ્લા સાથે વાત કરી હતી.

AAP સંજય સિંહે શું દાવો કર્યો?

સંજય સિંહે X પર લખ્યું, “બહુત દુઃખની વાત છે કે જમ્મુ-કાશ્મીરના કેટલીક વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા ડૉક્ટર ફારુક અબ્દુલ્લા જી પોલીસ દ્વારા મને હાઉસ અરેસ્ટ કરવાના સમાચાર સાંભળીને મારી મુલાકાત લેવા સરકારી ગેસ્ટ હાઉસમાં આવ્યા પરંતુ તેમને મને મળવા દેવામાં આવ્યા નથી. આ તાનાશાહી નહીં તો બીજું શું છે?”

લગભગ બે વાગ્યે પાર્ટીએ જણાવ્યું કે થોડી વારમાં સંજય સિંહ મેહરાજ માલિકની ધરપકડ અંગે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. તે પહેલાં જ તેમને હાઉસ અરેસ્ટ કરી દેવામાં આવ્યા છે. દિલ્હીના એએપી વિધાયક ઈમરાન હુસૈન પણ સંજય સાથે હાઉસ અરેસ્ટમાં છે.

તાનાશાહી ચરમસીમામાં છે - સંજય સિંહ

સંજય સિંહે કહ્યું, “તાનાશાહી ચરમસીમામાં છે, હું આ વખતે શ્રીનગરમાં છું. લોકશાહીમાં હક માટે આવાજ ઉઠાવવું, આંદોલન કરવું અમારો સંવિધાનિક અધિકાર છે. આજે મેહરાજ મલિકની ગેરકાયદેસર ધરપકડ વિરુદ્ધ શ્રીનગરમાં પ્રેસ કોન્ફરન્સ અને ધરણા હતા, પરંતુ સરકારી ગેસ્ટ હાઉસને પોલીસ છાવણી બનાવી દેવામાં આવ્યું છે. મને ઈમરાન હુસૈન અને સાથીઓને ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળવાની પરવાનગી નથી.”

એએપીની જમ્મુ-કાશ્મીર એકમના અધ્યક્ષ માલિકને ડોડા જિલ્લામાં લોક વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાના આરોપમાં કડક કાયદો PSA હેઠળ સોમવારે (8 સપ્ટેમ્બર) હિરાસતમાં લેવામાં આવ્યા અને પછી તેમને કઠુઆ જિલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

આ ઘટનાએ જમ્મુ-કાશ્મીરમાં રાજકીય તણાવ વધારી દીધો છે. ફારુક અબ્દુલ્લાએ આ કાર્યવાહીની નિંદા કરી અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાના નિર્ણયોને ખોટા ગણાવ્યા છે, જેમણે નેપાળ અને બાંગ્લાદેશ જેવા અશાંતિની ચેતવણી આપી છે. અકવિંદ કેજરીવાલે પણ આને “ગુંડાગર્દી અને તાનાશાહી” કહીને કેન્દ્ર સરકાર પર તીખા પ્રહારો કર્યા છે.

આ પણ વાંચો-Gen-Z નેતા બોલ્યા- વૃદ્ધ નેતાઓથી કંટાળીને આંદોલન કર્યું; બંધારણ નહીં પરંતુ સંસદ ભંગ કરવાનો હેતુ

Tags :
#AAP_Sanjay_Singh#Arvind_Kejriwal#Farooq_Abdullah#House_Arrest#Jammu_Kashmir#Mehraj_Malik#National_Conference#PSA_ArrestDictatorshipSrinagar
Next Article