"આપ-જાપ" પર AAP નો તીખો પલટવાર : "નીતિનભાઈ ભાજપથી નારાજ, પાટીદારો AAP તરફ વળ્યા!"
- નીતિન પટેલના નિવેદન પર AAP નો હુમલો : "ભાજપ અહંકાર છોડે, લોકોના કામ કરો"
- AAP vs નીતિનભાઈ : "ભાજપ પહેલા જેવી નથી" – મનોજ સોરઠિયાનો પ્રહાર
- પાટીદાર વોટબેંક પર રમત : નીતિનભાઈના "આપ જાપ" પર AAPની કડક પ્રતિક્રિયા
- "મને ખબર છે તમે ભાજપને જ મત આપશો" – નીતિન પટેલના નિવેદન પર AAPનો જવાબ
ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે ફરી એક વખત પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને આમ આદમી પાર્ટી ( AAP ) વચ્ચે વાક યુદ્ધ ભડક્યો છે. પૂર્વ DyCM નીતિનભાઈ પટેલના તાજા "આપ જાપ" નિવેદન પર AAPના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયાએ તીખી પ્રતિક્રિયા આપી છે. મનોજભાઈએ કહ્યું કે, "નીતિનભાઈ પોતાની ભાજપ સામેની નારાજગી છુપાવી શકતા નથી અને તેઓ મહેસૂસ કરે છે કે પાટીદાર સમુદાય AAP તરફ વળી રહ્યો છે." તે ઉપરાંત આકરા પ્રહાર કરતાં સોરઠિયાએ કહ્યું કે, ગુજરાતમાં બીજેપીના પાપના લીધે આમ આદમી પાર્ટીનો ઉદય થઈ રહ્યો છે. આ વિવાદથી ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે, જ્યારે વિપક્ષ AAP ભાજપ પર અહંકારના આરોપો લગાવીને પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
પૂર્વ DyCM નીતિનભાઈ પટેલના ચાબખા
આ વિવાદની શરૂઆત ગત અઠવાડિયે થઈ જ્યારે પૂર્વ DyCM નીતિનભાઈ પટેલે એક જાહેર મંચ પર AAP પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું, "મને ખબર છે કે તમે (પાટીદારો) ભાજપ સિવાય કોઈને મત આપવાના નથી. આપ જાપ (AAPને જાપ કરવું) કરતા રહો પણ અંતે તો ભાજપને જ મત આપશો." આ નિવેદન AAP માટે કડવું રહ્યું અને તેને પાટીદાર સમુદાયને નિશાન બનાવવાના રૂપમાં જોવામાં આવ્યું. નીતિનભાઈ પટેલ જેઓ પાટીદાર સમુદાયના મજબૂત નેતા તરીકે જાણીતા છે, તેમનું આ નિવેદન ચૂંટણીઓના આગમન પહેલાં AAPના વોટબેંકને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ તરીકે જોવામાં આવ્યું છે.
Former DyCM Nitin Patel ના "આપ જાપ" નિવેદન બાદ AAPનો મોરચો ! | Gujarat First
પૂર્વ DyCM નીતિનભાઈ પટેલના નિવેદન સામે AAPની પ્રતિક્રિયા
AAPના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયાનું નિવેદન
નીતિનભાઈ મહેસૂસ કરે છે કે પાટીદારો AAP તરફ વળ્યા: AAP
નીતિનભાઈ પટેલ ખુદ ભાજપ પાર્ટીથી… pic.twitter.com/ujeIrw0t5A— Gujarat First (@GujaratFirst) November 18, 2025
મનોજભાઈ સોરઠિયાએ આપ્યો ચાબખાનો જવાબ ચાબૂકથી
આજે અમદાવાદમાં એક પત્રકાર પરિષદમાં AAPના પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયાએ આ નિવેદનનો જવાબ આપ્યો. તેમણે કહ્યું, "નીતિનભાઈ મહેસૂસ કરે છે કે પાટીદારો AAP તરફ વળ્યા છે, કારણ કે AAPએ પાટીદાર સમુદાયના મુદ્દાઓ પર વાસ્તવિક કામ કર્યું છે – શિક્ષણ, રોજગાર અને અનામતના મુદ્દાઓ પર. નીતિનભાઈ પોતે ભાજપ પાર્ટીથી નારાજ છે, કારણ કે તેઓ જાણે છે કે ભાજપ પહેલા જેવી નથી રહી. તેમનું નિવેદન તો ફક્ત તેમની નારાજગીનું પ્રતિબિંબ છે." મનોજભાઈએ વધુમાં કહ્યું, "ભાજપને અહંકાર છોડીને લોકોના કામ કરવા જોઈએ. પાટીદારો જેવા સમુદાયને મત આપવા કે ન આપવા પર નાના નાના નિવેદનો કરવા છોડો. AAP તો લોકોના કામ માટે કર્મઠ છે, મત માટે નહીં."
ગુજરાતનું રાજકારણ પાટીદારોની આસપાસ
આ વિવાદ ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમુદાયની ભૂમિકા સાથે જોડાયેલું છે. 2015ના પાટીદાર અનામત આંદોલન પછીથી પાટીદારો ભાજપથી અંતર વધ્યું છે, અને AAPએ તેમના મુદ્દાઓને પોતાના મેનેફેસ્ટોમાં સ્થાન આપીને તેમને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં AAPએ પાટીદાર કેન્દ્રીત વિસ્તારોમાં સારું પ્રદર્શન કર્યું હતું, જેના કારણે ભાજપને આ વોટબેંકને જાળવવા માટે તંગ કરવું પડ્યું છે. નીતિનભાઈ પટેલ જેઓ 2022માં ચૂંટણી લડ્યા પછી કાર્યકારી રીતે રાજકારણથી દૂર થયા હતા, તેમનું આ નિવેદન તેમના પુરાણા પ્રભાવને જળવાઈ રાખવાનો પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
આપ ગુજરાતમાં પ્રદર્શન સુધારી શકશે?
આ વિવાદ ગુજરાતની આગામી લોકલ બોડી અને વિધાનસભા ચૂંટણીઓને અસર કરશે કે નહીં, તે તો સમય જ બતાવશે. જોકે, બિહારની ચૂંટણીમાં બીજેપીનું પ્રદર્શન જોતા ગુજરાતમાં આપ કેવું પ્રદર્શન કરીશે તેને લઈને પણ પ્રશ્ન ઉદ્દભવી રહ્યાં છે. AAPએ તાજેતરમાં પાટીદાર નેતાઓને પાર્ટીમાં જોડવાના પ્રયાસો કર્યા છે, જ્યારે ભાજપ પાટીદાર વોટબેંકને જાળવવા માટે મંત્રીઓ અને નેતાઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ સમુદાયના મુદ્દાઓ પર વાત કરે. નીતિનભાઈ પટેલનું નિવેદન આટલા સમય પછી આવવું એ તેમના પોતાના પ્રભાવને જગાડવાનો પ્રયાસ તરીકે જોવામાં આવે છે, પરંતુ AAPએ તેમના નિવેદનને તેમના વિરૂદ્ધમાં જ ઉપયોગમાં લઈ લીધો છે.
આ પણ વાંચો- Chhota Udepur : બોડેલી ગામમાં ગાયો પર વારંવાર હુમલાની ઘટનાથી સ્થાનિકોનો આક્રોશ!


