ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Badlapur ના આરોપીનું પોલીસ કસ્ટડીમાં ગોળી વાગવાથી મોત, જાણો કેવી રીતે વાગી ગોળી?

બદલાપુર કેસના આરોપી અક્ષય શિંદેએ પોતાને ગોળી મારી! પોલીસની રિવોલ્વર છીનવીને આપઘાતનો પ્રયાસ આ ઘટનામાં અક્ષય શિંદે સાથે એક પોલીસ અધિકારી પણ ઘાયલ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લેવાતી વખતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો મુંબઈને અડીને આવેલા બદલાપુર (Badlapur)માં બે સગીર બાળકીઓ...
08:26 PM Sep 23, 2024 IST | Dhruv Parmar
બદલાપુર કેસના આરોપી અક્ષય શિંદેએ પોતાને ગોળી મારી! પોલીસની રિવોલ્વર છીનવીને આપઘાતનો પ્રયાસ આ ઘટનામાં અક્ષય શિંદે સાથે એક પોલીસ અધિકારી પણ ઘાયલ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લેવાતી વખતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો મુંબઈને અડીને આવેલા બદલાપુર (Badlapur)માં બે સગીર બાળકીઓ...
  1. બદલાપુર કેસના આરોપી અક્ષય શિંદેએ પોતાને ગોળી મારી!
  2. પોલીસની રિવોલ્વર છીનવીને આપઘાતનો પ્રયાસ
  3. આ ઘટનામાં અક્ષય શિંદે સાથે એક પોલીસ અધિકારી પણ ઘાયલ
  4. ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લેવાતી વખતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો

મુંબઈને અડીને આવેલા બદલાપુર (Badlapur)માં બે સગીર બાળકીઓ પર બળાત્કારના કેસમાં આરોપી અક્ષય શિંદેનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું છે. ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લઈ જતી વખતે તેને ગોળી વાગી હતી અને અક્ષયને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આરોપી અક્ષય ઉપરાંત એક પોલીસકર્મીને પણ ગોળી વાગી હતી, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘાયલ પોલીસકર્મીને જ્યુપીટર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ઓગસ્ટ મહિનામાં બદલાપુર (Badlapur)ની એક શાળામાં બે બાળકીઓ પર બળાત્કારનો મામલો સામે આવ્યો હતો. આ કેસનો આરોપી સફાઈ કામદાર અક્ષય શિંદે હતો. છોકરીઓના વાલીઓની ફરિયાદ પર શાળાએ ત્વરિત પગલાં લીધા ન હતા અને પોલીસે પણ શરૂઆતમાં શિથિલતા દાખવી હતી. જો કે, લોકોના પ્રદર્શન અને મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવ્યા બાદ મામલો વધી ગયો હતો. આ કેસમાં એવા લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા જેમણે પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી નથી. હવે મુખ્ય આરોપીને ગોળી વાગી હતી અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો : Maharashtra ની ચૂંટણી પહેલા શિંદે કેબિનેટનો મોટો નિર્ણય, Pune Airport નું નામ બદલાયું...

કેવી રીતે વાગી ગોળી?

હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે અક્ષયને કેવી રીતે ગોળી વાગી? કેટલાક લોકોનું કહેવું છે કે, ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લઈ જવાતી વખતે આરોપીએ વાનમાં પોલીસકર્મીની બંદૂક છીનવી લીધી હતી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે એક પોલીસકર્મીને પણ ગોળી વાગી હતી અને બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, કેટલાક લોકોનું કહેવું છે કે આરોપીઓએ પોલીસની બંદૂક છીનવી લીધી અને પોલીસ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું. જવાબમાં પોલીસે પણ ગોળીબાર કર્યો અને આરોપીને ગોળી વાગી.

આ પણ વાંચો : Tirupati Tample : તિરુપતિ લાડુ વિવાદમાં કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, ઘી સપ્લાયર કંપનીને પૂછ્યા આ સવાલ

પૂર્વ પત્નીએ અશ્લિલતાનો કેસ નોંધાવ્યો હતો...

અક્ષય શિંદે વિરુદ્ધ તેની પૂર્વ પત્ની દ્વારા અકુદરતી સેક્સનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેની તપાસ થાણે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી હતી. આ તપાસના સંબંધમાં રવિવારે કોર્ટમાંથી અક્ષય શિંદેનું પ્રોડક્શન વોરંટ લેવામાં આવ્યું હતું. આ પછી થાણે ક્રાઈમ બ્રાંચની ટીમ અક્ષય શિંદેને તલોજા જેલથી બદલાપુર (Badlapur)લઈ જઈ રહી હતી, પરંતુ મુંબ્રા બાયપાસ પાસે અક્ષય શિંદેએ એક અધિકારીની રિવોલ્વર છીનવીને ગોળીબાર કર્યો. આ દરમિયાન તેને ગોળી વાગી હતી. તેને ગંભીર હાલતમાં થાણેની કાલવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો : ભારતમાં MPOX Clade 1 નો પ્રથમ કેસ નોંધાયો, UAE થી આવ્યો હતો Kerala...

Tags :
Akshay ShindeAkshay Shinde Firing NewsAkshay Shinde shoot PolicemanBadlapur Newsbadlapur Rape CaseGujarati NewsInidaMaharashtraNationalThane
Next Article