ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આખરે મનોજ મુન્તશીરને જ્ઞાન લાધ્યું..બે હાથ જોડી કર્યું કઇંક આવું..

જ્યારથી ઓમ રાઉત (Om Raut) દ્વારા નિર્દેશિત ફિલ્મ 'આદિપુરુષ' (Adipurush) રીલિઝ થઈ છે, ત્યારથી તે તેના કન્ટેન્ટ, ડાયલોગ્સ, VFX, ડ્રેસ જેવી ઘણી બાબતો માટે લોકોના નિશાના પર છે. ફિલ્મના ડાયલોગ્સ એવા છે કે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ફિલ્મ પર...
11:26 AM Jul 08, 2023 IST | Vipul Pandya
જ્યારથી ઓમ રાઉત (Om Raut) દ્વારા નિર્દેશિત ફિલ્મ 'આદિપુરુષ' (Adipurush) રીલિઝ થઈ છે, ત્યારથી તે તેના કન્ટેન્ટ, ડાયલોગ્સ, VFX, ડ્રેસ જેવી ઘણી બાબતો માટે લોકોના નિશાના પર છે. ફિલ્મના ડાયલોગ્સ એવા છે કે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ફિલ્મ પર...
જ્યારથી ઓમ રાઉત (Om Raut) દ્વારા નિર્દેશિત ફિલ્મ 'આદિપુરુષ' (Adipurush) રીલિઝ થઈ છે, ત્યારથી તે તેના કન્ટેન્ટ, ડાયલોગ્સ, VFX, ડ્રેસ જેવી ઘણી બાબતો માટે લોકોના નિશાના પર છે. ફિલ્મના ડાયલોગ્સ એવા છે કે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ફિલ્મ પર ઘણા કેસ થયા છે, પરંતુ તેમ છતાં ફિલ્મના લેખક મનોજ મુન્તશીરે (Manoj Muntshir ) પોતાની ભૂલ સ્વીકારી ન હતી, તેમના કહેવા પ્રમાણે, તેમણે આ સંવાદો સામાન્ય ભાષામાં અને દેશના યુવાનોની ભાષામાં લખ્યા હતા. પોતાની જાતને પીડિત ગણાવીને તે વિરોધ કરનારાઓને કઠેડામાં લાવ્યા. પરંતુ હવે આખરે તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો છે અને તેમણે ટ્વિટ કરીને માફી માંગી છે.
શું કહ્યું મનોજ મુન્તશીરે
ગીતકાર અને લેખક મનોજ મુન્તશીરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે પોતાની ફિલ્મથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગી છે. તેમણે અહીં પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. તેમણે લખ્યું છે કે, "હું સ્વીકારું છું કે આદિપુરુષ ફિલ્મથી જનતાની ભાવનાઓને ઠેસ પહોંચી છે. મારા તમામ ભાઈઓ અને બહેનો, વડીલો, પૂજનીય સાધુ સંતો અને શ્રી રામના ભક્તોની હું હાથ જોડીને બિનશરતી માફી માંગુ છું."

સનાતનની વાત કરે છે અને દેશની રક્ષા કરે છે
મનોજની વાત માફી માંગવા સાથે પૂરી નથી થઈ, આ ઉપરાંત તેમણે સનાતન ધર્મ અને દેશની રક્ષાની વાત કરી છે. આગળ મનોજ મુન્તશીરે લખ્યું છે, "ભગવાન બજરંગ બલી આપણા બધાને આશીર્વાદ આપે, અમને અતૂટ રહીને આપણા પવિત્ર શાશ્વત અને મહાન દેશની સેવા કરવાની શક્તિ આપે!"
16 જૂનના રોજ રીલિઝ થઈ હતી
તમને જણાવી દઈએ કે પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' રામાયણના આધારે બનાવવામાં આવી હતી. જેમાં સની સિંહે લક્ષ્મણ અને સૈફ અલી ખાને રાવણનો રોલ કર્યો હતો. ફિલ્મના ડાયલોગ્સ એવા હતા કે બાદમાં મેકર્સે તેને બદલવો પડ્યા હતા, પરંતુ તેમ છતાં લોકોએ ફિલ્મનો વિરોધ કર્યો. હિન્દુ ધર્મના લોકો પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ. નેપાળમાં પણ આ ફિલ્મનો ભારે વિરોધ થયો હતો. આ ફિલ્મ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
આ પણ વાંચો---SUNIEL SHETTY : માત્ર સુપરસ્ટાર નહીં પણ ચતુર ઉદ્યોગસાહસિક અને રોકાણકાર પણ છે
Tags :
adipurush movieBollywoodentertainmentManoj MuntshirOm Raut
Next Article