Pahalgam Terror Attack: પહલગામ હુમલા બાદ સેનાની મોટી કાર્યવાહી, આતંકીઓના ઘર શોધી શોધીને કરાઇ રહ્યાં છે ધ્વસ્ત
- હલગામ આતંકી હુમલા બાદ સેનાની મોટી કાર્યવાહી
- સમગ્ર કાશ્મીરમાં સેનાનું ઓપરેશન ઓલઆઉટ
- ગુજરાત ફર્સ્ટ પણ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું પહલગામ
- જ્યાં આતંકી હુમલો થયો ત્યાંથી ગુજરાત ફર્સ્ટનો Exclusive રિપોર્ટ
ગુજરાતી મીડિયાથી સૌથી પહેલી ટીમ કાશ્મીર પહોંચી હતી. જ્યાં આતંકી હુમલો થયો ત્યાંથી ગુજરાત ફર્સ્ટનો Exclusive રિપોર્ટ (Gujarat First Exclusive Report)અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ. સેના એક એક આતંકીને વીણી વીણીને ખતમ કરી રહી છે. દરરોજ આતંકીઓના ઘર શોધી શોધીને તોડવામાં આવી રહ્યા છે. સમગ્ર જમ્મુ-કાશ્મીર(jammu Kashmir) માં તમામ રસ્તાઓ સુમસામ છે. આતંકના લોકલ સાથીદારો પર સેના દ્વારા સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. સેનાની અલગ અલગ ટૂકડીઓનું મોટાપાયે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
Pahalgam Attack બાદ લોકોનો આક્રોશ, ધર્મ પૂછીને ગોળી મારી હતીને? લો આ ઉભો.. મારો ગોળી... @vishvek11 #SurgicalStrike #Pakistan #Pahalgam #JammuKashmir #PahalgamTerrorAttack #JammuKashmirAttack #GujaratFirst pic.twitter.com/4aFzUFM0tT
— Gujarat First (@GujaratFirst) April 26, 2025
આ હિન્દુસ્તાનની સરજમીન છે
આ બાબતે એક પાકિસ્તાની નાગરિકે જણાવ્યું હતું કે, અહીંયા માહોલ બગડ્યો હતો જ નહી. ચાર દિવસ બાદ પહલગામ (Pahalgam)માં ઘણા પ્રવાસીઓ આવ્યા છે. તેમજ હુ તમારા માધ્યમથી હિન્દુસ્તાનીઓને કહેવા માંગીશ કે, આ હિન્દુસ્તાનની સરજમીન છે. અમે અમારી સમજમીન છે ત્યાં અમે આવતા હતા અને આવીશું.
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : પહેલગામથી Gujarat First નો Exclusive રિપોર્ટ, જોઇને ચોંકી જશો
POK આ કાશ્મીરનાં લોકોને ભેટ આપવામાં નહી આવે
રાજસ્થાન (Rajasthan)નાં એક પ્રવાસી કે જેઓ રામ રાજ્ય મિશનનાં રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાનું પણ જણાવ્યું હતું. તેઓ દ્વારા જણાવ્યું હતું કે, આ એ લોકો દ્વારા ભારતની તેમજ કાશ્મીર (Jammu Kashmir) ની પ્રગતિને રોકવાનો પ્રયાસ કર્યો છે. તેમજ આ આતંકી હુમલામાં તેમને થઈ શકે કે લોકલ સપોર્ટ પણ મળ્યો હોય. અમે તેઓને સંદેશ આપવા માંગશું કે તો લોકો ધર્મ પૂછીને ગોળી મારી રહ્યા હતા. હું આ ઉભો મારો ગોળી કોણ મારશે ગોળી અમે તેમને જવાબ આપીશું. અમે કરારો જબાવ આપીશું. ભારત ન તૂટશે.... ન ઝૂકશે.... ન ઉભું રહેશે..... આ જે આતંકવાદની ખીણ છે ને ત્યાંથી જ આ લોકો ટ્રેનીગ લઈ રહ્યા છે. આ લોકોએ કાશ્મીરને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે.
જ્યાં સુધી POK આ કાશ્મીરનાં લોકોને ભેટ આપવામાં નહી આવે ત્યાં સુધી આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની આત્માને શાંતિ નહી મળે. અમે ક્યાં સુધી આવી ઘટનાઓ જોતા રહીશું. આજે કાશ્મીરનાં રોજગાર ધંધા ફરી પડી ભાંગ્યા છે. અહીંયા તમામ હોટલ અત્યારે બંધ છે. આ વખતે જવાબ આપવો જ પડશે. કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી દરેક ભારતીય એવું ઈચ્છે છે કે ખૂનનો જવાબ ખૂનથી જ આપવો પડશે.
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : આતંકીઓનો અંત નક્કી, સુરક્ષાદળોએ 14 આતંકીઓની યાદી કરી તૈયાર