Vadodra: પહેલગામમાં આતંકી હુમલા બાદ પોલીસ એક્શનમાં, વિદેશી વિદ્યાર્થીઓના ડેટા ભેગા કરવાનું શરૂ
પહલગામમાં આતંકી હુમલા બાદ વડોદરા પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકીંહ હાથ ધર્યું છે.
Advertisement
- પહેલગામમાં આતંકી હુમલા બાદ વડોદરા પોલીસ એક્શનમાં
- પોલીસ કમિશનરે તમામ પોલીસ અધિકારીઓ સાથે કરી બેઠક
- સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે સઘન ચેકીગ હાથ ધર્યું
- વિદેશી વિદ્યાર્થીના ડેટા ભેગા કરવામાં આવી રહ્યા છે
મંગળવારનાં રોજ જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં કુલ 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં 3 ગુજરાતીઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં ભાવનગરનાં પિતા-પુત્ર તેમજ સુરતનાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જેઓનાં પાર્થિવ દેહને ગત રોજ રાત્રે ગુજરાત ખાતે લાવવામાં આવ્યા હતા. આજે સવારે તેઓનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાને પગલે વડોદરા પોલીસ પણ એક્શનમાં આવી જવા પામી છે.

