ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ambaji : કૃષિમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત, ખેડૂતોની સહાય હવે 2500 કરોડ સુધી નહીં રહે સીમિત

Ambaji માતાજીના દર્શન કરવા પહોંચેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે. જીતુ વાઘાણીએ કહ્યું છે કે, ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલા 2500 કરોડ રૂપિયાના રાહત પેકેજને જરૂરત પડશે તો 5000 રૂપિયા સુધી વધારી દેવામાં આવશે. તે ઉપરાંત તેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલને લઈને પણ ખેડૂતો માટે તેમને આપેલી છૂટછાટને લઈને મોટું નિવેદન આપ્યું છે, તો વાંચો શું કહ્યું જીતુ વાઘાણીએ..
03:26 PM Oct 24, 2025 IST | Mujahid Tunvar
Ambaji માતાજીના દર્શન કરવા પહોંચેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે. જીતુ વાઘાણીએ કહ્યું છે કે, ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલા 2500 કરોડ રૂપિયાના રાહત પેકેજને જરૂરત પડશે તો 5000 રૂપિયા સુધી વધારી દેવામાં આવશે. તે ઉપરાંત તેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલને લઈને પણ ખેડૂતો માટે તેમને આપેલી છૂટછાટને લઈને મોટું નિવેદન આપ્યું છે, તો વાંચો શું કહ્યું જીતુ વાઘાણીએ..

દાંતા : ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના અંબાજી ( Ambaji ) શક્તિપીઠ પર પહોંચેલા કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. માતાજીના દર્શન કરીને દિવાળી નિમિત્તે રાજ્ય અને દેશભરના લોકોને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી. આ દરમિયાન તેમણે ખેડૂતોના પાક નુકસાન માટેની સહાય અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આ અંગે તેમણે જણાવ્યું કે, સરકારે હાલમાં 2500 કરોડની જોગવાઈ કરી છે અને જરૂર પડશે તો 5000 કરોડ સુધી લંબાવવાની તૈયારી છે. મંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેમને ખેડૂતોની સહાય માટે ખુલ્લો દૌર આપ્યો છે, જે માનવતાની દૃષ્ટિએ લેવાયેલું પગલું છે. આ જાહેરાત ખેડૂતો માટે દિવાળીની ભેટ બની સમાન છે.

Ambaji માતાજીના દર્શન કરીને મોટું નિવેદન

અંબાજી મંદિર પર પહોંચીને માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા પછી મંત્રી જીતુ વાઘાણીએ મીડિયા સાથે વાતચીત કરી, અને ત્યારે તેમણે કહ્યું કે, "ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025માં થયેલા ભારે વરસાદથી પાકને થયેલા નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને માનવતાની દૃષ્ટિએ 2500 કરોડની જોગવાઈ કરાઈ છે. જો આ સહાય ઓછી પડશે તો તેને 5000 કરોડ સુધી લંબાવવામાં આવશે." આ પેકેજમાં SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ)ના 563 કરોડ અને રાજ્ય બજેટમાંથી 384 કરોડની વધારાની સહાયનો સમાવેશ થાય છે, જે કુલ 947 કરોડનું કૃષિ રાહત પેકેજ બનશે.

આ પણ વાંચો- Diwali 2025 : રાજકોટ અને અમદાવાદમાં જાહેરમાં જોખમી રીતે ફટાકડા ફોડતા ઇસમોનાં Video વાઇરલ

આ સહાય 5 જિલ્લાઓના 18 તાલુકાઓમાં 5 લાખથી વધુ ખેડૂતોને 7.65 લાખ હેક્ટર જમીન પર થયેલા નુકસાન માટે આપવામાં આવશે. મંત્રીએ ઉમેર્યું કે, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય તેવા ખેડૂતો માટે પ્રથમ વાર અલગથી 2500 કરોડની જોગવાઈ કરાઈ છે, અને વધુ જરૂર પડશે તો તેને વધારવામાં આવશે.


ખેડૂતો માટે સરકારનું સકારાત્મક અભિગમ

આ જાહેરાત રાજ્ય સરકારના કૃષિ અગ્રણી અભિગમનું પ્રતીક છે, અને મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂત હિત માટેના પગલાંની પણ પ્રશંસા કરી. આ પેકેજ ખેડૂતોને તાત્કાલિક રાહત આપશે અને તેમની આર્થિક સ્થિરતા માટે મદદરૂપ થશે. અંબાજી મંદિર પરની આ પ્રાર્થના અને જાહેરાત દિવાળીના તહેવારને વધુ શુભ બનાવશે.

મંત્રી જીતુ વાઘાણીએ અંબાજી મંદિર પર પહોંચીને માતાજીના દર્શન કરીને દિવાળી નિમિત્તે રાજ્ય અને દેશભરના લોકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી. અંબાજી શક્તિપીઠ જે ગુજરાતનું મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે. મંત્રીએ કહ્યું કે, "આ કૃષિ સહાય માનવતાની દૃષ્ટિએ લેવામાં આવી છે, અને મુખ્યમંત્રીએ મને ખેડૂતોના હિત માટે ખુલ્લો દૌર આપ્યો છે."

આ પણ વાંચો- Junagadh : વહેલી સવારે સિંહણ ગામમાં ઘૂસી, સ્થાનિકો ગભરાયા, પછી અકસ્માતે સિંહણનું થયું મોત!

Tags :
#AgricultureMinisterJituVaghani#AmbajiAdvertisement#CropDamageAssistance#FarmerAssistance5000croresAmbajiChiefMinisterBhupendraPatelGujaratAgriculture
Next Article