Ahmedabad: છૂટાછેડા અંગે હાઈકોર્ટનો ચુકાદો, 'વેઈટિંગ પીરિયડ' ફરજિયાત નથી, પતિ-પત્ની સંમત હોય તો..!
- Ahmedabad: છૂટાછેડા મામલે ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
- સંમતિથી છૂટાછેડા માટે વેઇટિંગ પીરીયડ ફરજિયાત નહીં: HC
- પુનઃમિલનની શક્યતા ન હોય તો કુલિંગ પીરીયડ જતો કરી શકાય: HC
Ahmedabad: ગુજરાત હાઈકોર્ટે છૂટાછેડા (Divorce) ના એક કેસની સુનાવણી દરમિયાન સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો પતિ-પત્ની પરસ્પર સંમતિથી અલગ થવા માંગતા હોય અને તેમના વચ્ચે પુનઃમિલનની કોઈ જ શક્યતા બાકી ન રહી હોય, તો કાયદાકીય રીતે નિર્ધારિત 'કુલિંગ ઓફ પીરિયડ' (વેઈટિંગ પીરિયડ) જતો કરી શકાય છે. હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે જે દંપતી લાંબા સમયથી અલગ રહે છે અને માનસિક રીતે છૂટા પડી ગયા છે, તેમને ન્યાયના નામે વધુ રાહ જોવડાવવી તે યોગ્ય નથી.
ફેમિલી કોર્ટનો ચુકાદો બદલ્યો!
આ મામલો વર્ષ 2023માં લગ્ન કરનાર એક એવા દંપતીનો હતો જેમણે પરસ્પર સહમતીથી છૂટાછેડા મેળવવા માટે નીચેની અદાલત એટલે કે ફેમિલી કોર્ટ (Family Court) માં અરજી કરી હતી. હિન્દુ મેરેજ એક્ટ મુજબ છૂટાછેડાની અરજી કર્યા બાદ દંપતીને વિચારવા માટે સામાન્ય રીતે 6 મહિનાનો સમય આપવામાં આવે છે, જેને 'કુલિંગ ઓફ પીરિયડ' (Cooling Off Period) કહેવામાં આવે છે. આ કિસ્સામાં દંપતીએ આ સમયગાળામાં મુક્તિ મેળવવા વિનંતી કરી હતી, પરંતુ ફેમિલી કોર્ટે કાયદાના કડક અર્થઘટન સાથે આ અરજી ફગાવી દીધી હતી. ફેમિલી કોર્ટના આ હુકમથી નારાજ થઈને દંપતીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
Gujarat High Court : હવે છૂટાછેડા માટે 6 મહિના
રાહ નહીં જોવી પડે! | Gujarat Firstછૂટાછેડા મામલે ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
સંમતિથી છૂટાછેડા માટે વેઇટિંગ પીરીયડ ફરજિયાત નહીં: HC#Gujarat #Ahmedabad #GujaratHighCourt #DivorceLaw #MutualConsentDivorce #GujaratFirst pic.twitter.com/tB4NoO6mAI— Gujarat First (@GujaratFirst) January 6, 2026
માનવીય અભિગમ
હાઈકોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન નોંધ્યું કે કાયદાનો હેતુ લગ્ન સંસ્થાને બચાવવાનો છે, પરંતુ જ્યારે લગ્ન સંપૂર્ણપણે નિષ્ફળ ગયા હોય અને બંને પક્ષો નવી શરૂઆત કરવા માંગતા હોય, ત્યારે કોઈ કારણોસર તેમને રોકી રાખવા તે ન્યાયના હિતમાં નથી.
Ahmedabad: ઐતિહાસિક નિર્દેશો
હાઈકોર્ટે ફેમિલી કોર્ટના અગાઉના હુકમને રદબાતલ ઠેરવ્યો છે અને નવેસરથી નિર્ણય લેવા આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ અપાયેલા નિર્દેશો મુજબ, જો બંને પક્ષો સંમત હોય, ભરણપોષણ અને અન્ય જવાબદારીઓ નક્કી થઈ ગઈ હોય, તો અદાલતો પોતાની સત્તાનો ઉપયોગ કરીને વેઈટિંગ પીરિયડ માફ કરી શકે છે.
આ પણ વાંચોઃ Gandhinagar: ગટરમાં પડેલા 6 વર્ષિય બાળકનું અંતે થયું મોત


