ભગવાનને ચાંદીની વાંસળી, સુદર્શન ચક્ર, હળ મામેરામાં અર્પણ કરાશે અને સુભદ્રાજીને સોનાચાંદીના આભૂષણ અને શૃંગાળ મામેરામાં કરવામાં આવશે, 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીના સરસપુર આગમન પ્રસંગે મહાપ્રસાદનું આયોજન.
પરંપરા અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે સર્વેને સહયોગની અપીલ
સરસપુરના નાગરિકો અને ભાવિકોને કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ પર મંદિર ટ્રસ્ટે ભાર મૂકયો છે. મામેરા પ્રસંગે સંતો-મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિ રહેશે અને ભાવિકો માટે દર્શન અને મહાપ્રસાદની વિશેષ વ્યવસ્થા કરાશે.
રથયાત્રાના ઈતિહાસમાં પ્રથમવાર એવું બનશે કે ભગવાન જગન્નાથજી માટે બે મામેરા કરવામાં આવશે. સરસપુરના નવા અને જૂના બંને રણછોડરાયજી મંદિરો દ્વારા ભગવાનનું મામેરું કરવામાં આવશે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો
મંદિર ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ટ્રસ્ટીઓનું માનવું છે કે આવી પ્રાચીન પરંપરાઓનું જતન કરવું એ આપણી ફરજ છે. બે મંદિરો દ્વારા અલગ-અલગ મામેરા કરવા પાછળનો હેતુ પરંપરાને જીવંત રાખવાનો અને ભક્તોની શ્રદ્ધાને વધુ દ્રઢ કરવાનો છે.
સરસપુરના નાગરિકો માટે આ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ એક ભાવનાત્મક પ્રસંગ છે, જેમાં દરેક પરિવાર એક સભ્યની જેમ જોડાઈને ભગવાનનું આતિથ્ય કરશે. મંદિર ટ્રસ્ટે તમામ ભાવિકોને આ સાંસ્કૃતિક વારસાના જતનમાં સહભાગી થવા અને કાર્યક્રમમાં જોડાવા ભાવભીનું આમંત્રણ આપ્યું છે.
આ પણ વાંચો : Jagannath Rathyatra 2026 : શાંતિ અને એકતાનો સંદેશ, અમદાવાદમાં 149મી રથયાત્રા પૂર્વે દરિયાપુરમાં પોલીસની ભવ્ય 'તિરંગા યાત્રા'