Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AHMEDABAD : ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા સમાચાર

AHMEDABAD : ત્રણના જામીન મંજુર કરાયા, આગામી સમયમાં ખ્યાતિ હોસ્પિટલકાંડમાં કોર્ટ કાર્યવાહીમાં શું સામે આવે છે, તેના પર સૌની નજર રહેશે.
ahmedabad   ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા સમાચાર
Advertisement
  • અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડ ને લઈને મોટા સમાચાર
  • ખોટા ઓપરેશન કરનારા ડો. પ્રશાંત વજીરાનીને રાહત નહીં
  • સંબંધિત કેસ સાથે સંકળાયેલ અન્ય ત્રણ આરોપીઓના જામીન મંજૂર

AHMEDABAD : અમદાવાદ (AHMEDABAD) ની ખ્યાતિ હોસ્પિટલકાંડ (KHYATI HOSPITAL - AHMEDABAD) ને લઇને સૌથી મોટી સમાચાર સામે આવી રહ્યા છે. ખોટા ઓપરેશન કરીને ગજવું ભરતા ડો. પ્રશાંત વજીરાનીને હાઇકોર્ટમાંથી (GUJARAT HIGH COURT) રાહત નહીં. ડો. પ્રશાંત વજીરાનીને રાહતના આપવાનો હાઇકોર્ટે કર્યો ઇનકાર. બીજી તરફ સંબંધિત કેસ સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓના જામીન મંજુર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી સમયમાં ખ્યાતિ હોસ્પિટલકાંડમાં કોર્ટ કાર્યવાહીમાં શું સામે આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.

ડો. પ્રશાંત વજીરાનીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

તાજેતરમાં અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલકાંડ સામે આવ્યું હતું. જેમાં પૈસા માટે દર્દીઓને બીનજરૂરી ચીરી નાંખવામાં આવતા હતા. આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને એક પછી એક આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. આ મામલે આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ખોટા ઓપરેશન કરનાર ડો. પ્રશાંત વજીરાનીને કોર્ટમાં કોઇ રાહત મળી નથી. ડો. પ્રશાંત વજીરાનીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.

Advertisement

ત્રણેય આરોપીઓના જામીન મંજુર કરવામાં આવ્યા

બીજી તરફ સંબંધિત કેસ સાથે સંકળાયેલા રાજશ્રી કોઠારી, ડો. સંજય પટોલીયા અને રાહુલ જૈનને કોર્ટ તરફથી રાહત મળી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓના જામીન મંજુર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

Advertisement

આ પણ વાંચો ---- VADODARA : પ્લાસ્ટીકના રોલની આડમાં જતો દારૂનો રૂ. 68 લાખથી વધુનો જથ્થો જપ્ત

Tags :
Advertisement

.

×