Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Ahmedabad : રહસ્યમયી હત્યાનો ઉકેલાયો ભેદ, પતિ જ નિકળ્યો પત્નીનો હત્યારો

Ahmedabad :  અમદાવાદ ગ્રામ્ય પોલીસને કણભા વિસ્તારમાં થયેલી એક મહિલાની હત્યાના કેસમાં મોટી સફળતા મળી છે. આ હત્યાનો ભેદ ઉકેલવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસે તનતોડ મહેનત કરી છે. પાછલા આઠ દિવસની મહેનત બાદ અંતે રહસ્યમી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. આ મહિલાનો હત્યારો પતિ જ નિકળ્યો છે.
ahmedabad   રહસ્યમયી હત્યાનો ઉકેલાયો ભેદ  પતિ જ નિકળ્યો પત્નીનો હત્યારો
Advertisement
  • Ahmedabad :  કણભામાં પત્ની હત્યા કેસ : પતિ રાજકુમાર ઝડપાયો, આડસંબંધની શંકાએ કરી હત્યા
  • આડસંબંધની શંકાએ પત્નીની હત્યા : અમદાવાદ ગ્રામ્ય પોલીસે આરોપી પતિને પકડ્યો
  • કણભા વિસ્તારમાં મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો : પતિ રાજકુમારે કરી હતી હત્યા
  • DySP આસ્થા રાણાના નેતૃત્વમાં સફળતા : અમદાવાદમાં પત્ની હત્યા કેસ સોલ્વ
  • 16 ડિસેમ્બરે હત્યા, 22મીએ મળ્યો મૃતદેહ : અમદાવાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

Ahmedabad :  અમદાવાદ ગ્રામ્ય પોલીસને કણભા વિસ્તારમાં થયેલી એક મહિલાની હત્યાના કેસમાં મોટી સફળતા મળી છે. આ હત્યાનો ભેદ ઉકેલવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસે તનતોડ મહેનત કરી છે. પાછલા આઠ દિવસની મહેનત બાદ અંતે રહસ્યમી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. આ મહિલાનો હત્યારો પતિ જ નિકળ્યો છે. પોલીસે આરોપી પતિ રાજકુમાર દીવાકરને ઝડપી પાડ્યો છે, જેણે પોતાની પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત આપી છે. આરોપી રાજકુમાર દીવાકર મજૂરી કામ કરતો હતો અને તેને પત્નીના આડસંબંધ હોવાની શંકા હતી, જેના કારણે તેણે આ ઘાતકી ઘટના આચરી હોવાનું સામે આવ્યું છે.

રાજકુમારે પોતાની પત્નીની કરી હત્યા

મળી રહેલી માહિતી અનુસાર, 16 ડિસેમ્બરે રાજકુમાર દીવાકરે પોતાની પત્નીની હત્યા કરી હતી. ત્યારબાદ 22 ડિસેમ્બરે કણભા વિસ્તારમાં અવાવરુ જગ્યા પરથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની ઓળખ માટે પોલીસે અલગ-અલગ ટેક્નિકલ તપાસ હાથ ધરી હતી, જેમાં ફોરેન્સિક અને અન્ય આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો. તપાસ દરમિયાન મૃતક મહિલાની ઓળખ થતાં જ તેના પતિ રાજકુમાર પર શંકા ગઈ અને તેને ઝડપી પાડવામાં આવ્યો.

Advertisement

આડાસંબંધની શંકામાં કરાઈ હત્યા

DySP આસ્થા રાણા (અમદાવાદ ગ્રામ્ય)ના નેતૃત્વમાં પોલીસ ટીમે આ કેસની તપાસ કરી હતી. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે, પત્નીના આડસંબંધ હોવાની શંકાના કારણે તેણે હત્યા કરી હતી. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, જેમાં હત્યાના હથિયાર અને અન્ય પુરાવાઓની શોધ ચાલુ છે.

Advertisement

Ahmedabad પોલીસની પ્રશંસનીય કામગીરી

આ કેસે ફરી એક વખત પારિવારિક વિવાદો અને શંકાના કારણે થતી હિંસા પર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આવા કેસમાં ઝડપી તપાસ અને ટેક્નિકલ સપોર્ટથી આરોપીને પકડવામાં સફળતા મળી છે. DySP આસ્થા રાણાએ મીડિયાને જાણકારી આપતા કહ્યું કે, "અમારી ટીમે સતત પ્રયાસોથી આ કેસ સોલ્વ કર્યો છે અને ન્યાય મળે તે માટે તમામ પગલાં લેવામાં આવશે." આમ અમદાવાદ ગ્રામ્ય પોલીસે પ્રશંસનીય કામગીરી કરતાં ગણતરીના દિવસોમાં જ હત્યાનો કેસ ઉકેલીને હત્યારાની ધરપકડ કરી લીધી છે.

વર્તમાન સમયમાં નાની-મોટી વાત પણ હત્યા સુધી પહોંચી જઈ રહી છે. તેવામાં વિવાદોને વાતચીતથી ઉકેલવા જોઈએ કેમ કે હિંસા ક્યારેય ઉકેલ નથી. પત્નીની હત્યા અને પતિ જેલમાં, તો પછી હવે બાળકોનું શું?

આ પણ વાંચો- સુશાસન દિવસ પર Jitubhai Vaghani ની પ્રેસ કોન્ફરન્સ : CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી પોલિસીઓ જાહેર

Tags :
Advertisement

.

×