AHMEDABAD PLANE CRASH : રજા ગાળવા લંડન જવા ફ્લાઇટમાં દંપતિ બેઠું, ક્રેશમાં મૃત્યું
AHMEDABAD PLANE CRASH : અમદાવાદ-લંડનની ફ્લાઇટમાં નીરજ અને અપર્ણા લવાનિયા પોતાની રજાઓ ગાળવા માટે લંડન જઇ રહ્યા હતા
Advertisement
- રજા ગાળવા ફ્લાઇટમાં બેઠેલા દંપતીનું મૃત્યું થયું
- મુળ આગ્રાનું દંપતી વેકેશન માણવા માટે લંડન જઇ રહ્યું હતું
- દંપતી પૈકી પતિએ પોતાના ભાઇ સાથે આખરમાં ટેલિફોનિક વાત કરી હતી
AHMEDABAD PLANE CRASH : અમદાવાદ પ્લેન ક્રેશની (AHMEDABAD PLANE CRASH) ઘટનામાં 240 થી વધુ મુસાફરોના મોતની થયા હોવાનું હાલ તબક્કે સામે આવ્યું છે. આ ફ્લાઇટમાં લવાનિયા દંપતી પણ મુસાફરી કરી રહ્યું હતું. બંને પોતાની રજા ગાળવા માટે લંડન જવાના હતા. તેઓ એર ઇન્ડિયાના ફ્લાઇટમાં અમદાવાદથી લંડન જવા નીકળ્યા અને બાદમાં ગણતરીની સેકંડોમાં જ પ્લેન ક્રેશ થઇ ગયું હતું. આ ઘટનામાં દંપતીનું મૃત્યું (COUPLE DEATH) થયું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, દંપતીના 15 વર્ષના સંતાને માતા-પિતાનું છત્ર ગુમાવ્યું છે.

