ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: પોલીસે Pravin Ram અને Raju Karpada ની કરી અટકાયત

પોલીસ દ્વારા રાજુ કરપડા પર વિવિધ કલમો લગાવવામાં આવી છે. આ સમગ્ર કેસ ખેડૂતોના મુદ્દા પર કેન્દ્રિત છે, અને પોલીસે ખેડૂતોના નિવેદનો પણ લઈ લીધા છે. રાજુ કરપડાએ આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોના અવાજને દબાવવાની કોશિશ થઈ રહી છે અને તેમને જુઠ્ઠા કેસમાં ફસાવવાની કોશિશ
01:47 PM Oct 16, 2025 IST | SANJAY
પોલીસ દ્વારા રાજુ કરપડા પર વિવિધ કલમો લગાવવામાં આવી છે. આ સમગ્ર કેસ ખેડૂતોના મુદ્દા પર કેન્દ્રિત છે, અને પોલીસે ખેડૂતોના નિવેદનો પણ લઈ લીધા છે. રાજુ કરપડાએ આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોના અવાજને દબાવવાની કોશિશ થઈ રહી છે અને તેમને જુઠ્ઠા કેસમાં ફસાવવાની કોશિશ
Ahmedabad, Police, Pravin Ram, Raju Karpada, AAP, Gujarat

Ahmedabad: આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની અમદાવાદ ખાતે પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચતાની સાથે જ અટકાયત કરવામાં આવી છે. આ બંને નેતાઓ બોટાદવાળી ઘટના સંબંધિત હાજર થવાના હતા, અને પોલીસની નજરમાં તેઓ ઘટનાના મુખ્ય આરોપી છે. તેમના આગમન પહેલા જ, કાર્યાલય ખાતે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રાજુ કરપડા અને પ્રવીણ રામની અટકાયતથી ખેડૂતો અને કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો છે.

પોલીસ દ્વારા રાજુ કરપડા પર વિવિધ કલમો લગાવવામાં આવી

પોલીસ દ્વારા રાજુ કરપડા પર વિવિધ કલમો લગાવવામાં આવી છે. આ સમગ્ર કેસ ખેડૂતોના મુદ્દા પર કેન્દ્રિત છે, અને પોલીસે ખેડૂતોના નિવેદનો પણ લઈ લીધા છે. રાજુ કરપડાએ આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોના અવાજને દબાવવાની કોશિશ થઈ રહી છે અને તેમને જુઠ્ઠા કેસમાં ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ લડાઈ સત્ય માટે લડવામાં આવી રહી છે, કારણ કે સરકાર નીચે માર્કેટિંગ કે વેપારીઓની લૂંટેલી અવાજ બનાવવાની કોશિશ થઈ, ત્યારે આ અવાજને દબાવવાનો પ્રયત્ન થયો છે.

AAP નેતા આમરણ ઉપવાસ પર ઉતરે પહેલા X પર પોસ્ટ કરી છે. જેમાં પ્રવીણ રામ અને રાજુ કરપડા જેલ જઈ રહ્યા હોવાનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે લાંબી લડાઈ બાદ આજે જેલમાં જઈ રહ્યા છીએ. ખેડૂતો માટે શરૂ કરેલી ક્રાંતિ ચાલુ રહેશે. ગાંધીચિંધ્યા તેના માર્ગ પર ચાલુ રાખવાની ખેડૂતોને અપીલ કરી છે. આપ ધારાસભ્ય હેમંત ખવાનો પોલીસ પર મોટો આરોપ છે. જેમાં પોલીસ કારમાંથી જ હાથમાં પથ્થર લઈને કોઈ વ્યક્તિ નીચે ઉતર્યો હતો. લોકોના ટોળામાં વ્યક્તિ ઉભા રહી ગયો અને પથ્થર મારો કર્યો હતો. આજે આ વીડિયો અમે મીડિયા સમક્ષ બતાવીશું. અમારી લિગલ ટીમ તમામ ખેડૂતો અને જેમની સામે ફરિયાદ થઈ છે તમેના સાથે છે. બર્બરતા પૂર્વક ખેડૂતોને માર મારવામાં આવ્યો છે.

Gujarat AAP: જાણો સમગ્ર મામલો શું હતો

‘કળદા પ્રથા’ના વિરોધમાં બોટાદના હડદડ ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ‘કિસાન મહાપંચાયત’માં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસ વાન પર પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી. આ મામલે આમ આદમી પાર્ટીએ ભાજપના નેતાઓ અને પોલીસ દ્વારા જ શાંતિનો ભંગ કરવામાં આવ્યો હોવાનો આરોપ કર્યો હતો. ત્યારે હવે આ મામલે પોલસી ફરિયાદ નોંધવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.

બોટાદમાં પથ્થરમારા સંબંધમાં આપના નેતાઓ સામે FIR

બોટાદમાં પથ્થરમારા સંબંધમાં આપના નેતાઓ સામે FIR નોંધવામાં આવી છે. આપ નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત 85 લોકો સામે ખુનની કોશિશ, ષડયંત્ર અને ગેરકાયદેસર મંડળીના આરોપ સાથે ફરિયાદ નોંધવામાં આવી હોવાના અહેવાલો છે. અન્ય લોકોની પણ ધરપકડ થવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જો કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આરોપ કર્યો હતો કે હજુ સુધી કોઈને પણ એફઆઈઆરની કોપી આપવામાં આવી નથી. આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓ પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત કુલ 85 લોકો સામે નામજોગ FIR દાખલ કરવામાં આવી હોવાના અહેવાલો છે.

3 પોલીસકર્મીઓને ઇજાગ્રસ્ત પહોંચી હતી

આ સંઘર્ષ મુદ્દે બોટાદ જિલ્લા પોલીસ વડાએ વાત કરતાં કહ્યું હતું કે 3 પોલીસકર્મીઓને ઇજાગ્રસ્ત પહોંચી હતી અમે તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં બોટાદ DySP મહર્ષિ રાવલ, LCB PI એ.જી. સોલંકી સહિત ચારથી વધુ પોલીસ કર્મચારીઓને ઈજાઓ થઈ હતી.

આ પણ વાંચો: LIVE: Gujarat New Cabinet 2025 : આ ધારાસભ્યોને આવી ગયા ફોન, Gujarat First પાસે EXCLUSIVE માહિતી

 

Tags :
AAPAhmedabadGujaratpolicePravin RamRaju Karpada
Next Article