હર્ષભાઇ સંઘવીનો એક્શન પ્લાન: રથયાત્રામાં AI કેમેરા અને એન્ટી-ડ્રોન ગન તૈનાત, શંકાસ્પદ તત્વોની ખેર નથી!
Ahmedabad Rath Yatra 2026: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાની સુરક્ષા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ વર્ષે પ્રથમવાર હાથીઓ માટે ‘ગજરક્ષક સ્માર્ટ ટ્રેકિંગ’ અને સંચાલકો માટે ‘પ્રતિરક્ષા’ એપ વપરાશે. આ સિવાય એઆઈ ફેસ રેકગ્નિશન, એન્ટી-ડ્રોન ગન અને સીસીટીવી નેટવર્ક દ્વારા ચુસ્ત લાઈવ સર્વેલન્સ અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
Advertisement
Ahmedabad Rath Yatra 2026: આગામી અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદ (Ahmedabad) શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજી (Lord Jagannath) ની 149મી ઐતિહાસિક રથયાત્રા (Rath Yatra) શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે સરકારે તૈયારીઓ તેજ કરી દીધી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (Harsh Sanghavi) ની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ વિવિધ સરકારી વિભાગોની પૂર્વ તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.

