Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

એર ઇન્ડિયાની ફલાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા મંગોલિયામાં ઇમરજન્સી લેન્ડિંગ,મોટી દુર્ઘટના ટળી

સાન ફ્રાન્સિસ્કોથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI174 માં ટેકનિકલ ખામીની શંકાના પગલે પાઇલટે તેને મંગોલિયાની રાજધાની ઉલાનબાતરમાં સુરક્ષિત રીતે લેન્ડ કરાવી. વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સંપૂર્ણપણે સુરક્ષિત છે. એરલાઇને મુસાફરો માટે રહેવાની અને ભોજનની વ્યવસ્થા કરી છે અને વિમાનની ટેકનિકલ નિરીક્ષણની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાઇલટની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી છે.
એર ઇન્ડિયાની ફલાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા મંગોલિયામાં ઇમરજન્સી લેન્ડિંગ મોટી દુર્ઘટના ટળી
Advertisement
  • એર ઇન્ડિયાની ફલાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઇ
  • સાન ફ્રાન્સિસ્કોથી દિલ્હી આવતી ફલાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ
  • મંગોલિયાની રાજધાની ઉલાનબાતરમાં કરાયું સુરક્ષિત લેન્ડિંગ

સોમવારે સાન ફ્રાન્સિસ્કો (SFO) થી દિલ્હી (DEL) જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સંભવિત ટેકનિકલ ખામી હોવાની શંકાના પગલે મોટી ઘટના ટળી હતી. વિમાનના પાઇલટે અત્યંત સાવધાનીપૂર્વક અને સમયસૂચકતા વાપરીને વિમાનને મંગોલિયાની રાજધાની ઉલાનબાતરમાં સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું. એરલાઇને તાત્કાલિક એક નિવેદન બહાર પાડીને ખાતરી આપી હતી કે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સંપૂર્ણપણે સુરક્ષિત છે, અને વિમાનનું ટેકનિકલ નિરીક્ષણ ચાલી રહ્યું છે.

Tags :
Advertisement

.

×