Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Ajit Pawar : CM ભૂપેન્દ્રભાઈ પટેલ, DyCM હર્ષભાઈ સંઘવી સહિત આ નેતાઓએ વ્યક્ત કર્યું દુ:ખ, જાણો શું કહ્યું ?

મહારાષ્ટ્રનાં સૌથી લોકપ્રિય, પ્રભાવશાળી અને દિગ્ગજ નેતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું આજે ભયાવહ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. આ દુર્ઘટનામાં તેમની સાથે પાયલટ સહિત કુલ 5 લોકોનાં મોત નીપજ્યા છે. અજિતભાઈ પવારના આકસ્મિક નિધનથી મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ છે. ગુજરાતનાં CM, DyCM સહિત મંત્રીઓ દ્વારા પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.
ajit pawar   cm ભૂપેન્દ્રભાઈ પટેલ  dycm હર્ષભાઈ સંઘવી સહિત આ નેતાઓએ વ્યક્ત કર્યું દુ ખ  જાણો શું કહ્યું
Advertisement
  1. મહારાષ્ટ્રનાં DyCM અજિત પવારનું (Ajit Pawar) વિમાન દુર્ઘટનામાં નિધન
  2. CM ભૂપેન્દ્રભાઈ પટેલ, DyCM હર્ષભાઈ સંઘવી સહિત નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ
  3. કેન્દ્રીય જળશક્તિમંત્રી CR પાટીલ, પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપી શ્રદ્ધાંજલિ
  4. અજીતજીના નિધનનાં સમાચાર ઘણા હૃદયવિદારક છે : CM ભૂપેન્દ્રભાઈ પટેલ
  5. આ જાહેર જીવન માટે એક અપૂર્ણ નુકસાન છે : DyCM હર્ષભાઈ સંઘવી

Ahmedabad : મહારાષ્ટ્રનાં (Maharashtra) સૌથી લોકપ્રિય, પ્રભાવશાળી અને દિગ્ગજ નેતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar) નું આજે ભયાવહ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. આ દુર્ઘટનામાં તેમની સાથે પાયલટ સહિત કુલ 5 લોકોનાં મોત નીપજ્યા છે. અજિતભાઈ પવારના આકસ્મિક નિધનથી મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ છે. પરિવારજનો અને સમર્થકોમાં ભારે ગમગીની જોવા મળી છે. ત્યારે, ગુજરાતનાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીઓ, નેતાઓ દ્વારા પણ મીડિયા, સોશિયલ મીડિયા સહિત વિવિધ માધ્યમ થકી અજીત પવારને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.

Advertisement

Ajit Pawar ના નિધનનાં સમાચાર ઘણા હૃદયવિદારક છે : CM ભૂપેન્દ્રભાઈ પટેલ

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આક્સ્મિક અવસાન પર દુ:ખ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, 'અજીતજીના નિધનનાં સમાચાર ઘણા હૃદયવિદારક છે. લોક કલ્યાણમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે.' આ સાથે મુખ્યમંત્રીએ અજિત પવારના પરિજનો અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

Advertisement

આ જાહેર જીવન માટે એક અપૂર્ણ નુકસાન છે : DyCM હર્ષભાઈ સંઘવી

ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ (DyCM Harshabhai Sanghvi) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી લખ્યું કે, 'મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધનનાં સમાચાર ખૂબ જ દુઃખદ અને હૃદયદ્રાવક છે. આ જાહેર જીવન માટે એક અપૂર્ણ નુકસાન છે. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર અને સમર્થકોને આ ગંભીર નુકસાન સહન કરવાની શક્તિ આપે.'

આ પણ વાંચો - Baramati Plane Crash: બારામતી વિમાન દુર્ઘટનાના CCTV આવ્યા સામે

આ મહારાષ્ટ્ર માટે ખૂબ જ મોટી ક્ષતિ છે : સી.આર. પાટીલ

કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલે (C.R. Paatil) શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, 'મહારાષ્ટ્રનાં દિગ્ગજ નેતા અજિત પવારના (Ajit Pawar) નિધનનાં સમાચાર ખૂબ જ દુ:ખદ છે. ભગવાન તેમના પરિવારને દુ:ખ સહન કરવાની શક્તિ આપે. આ મહારાષ્ટ્ર માટે ખૂબ જ મોટી ક્ષતિ છે. આ દુઃખદ સમયમાં, ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.'

પ્રવક્તામંત્રી જીતુભાઈ વાઘાણીએ Ajit Pawar ને પાઠવી શ્રદ્ધાંજલિ

ગુજરાત સરકારનાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ (Jitubhai Vaghani) પણ આજની કેબિનેટ બેઠકમાં દુઃખની લાગણી વ્યક્ત કરી અને શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, 'અજિત પવારને મહારાષ્ટ્રમાં સફળ અને લોક નેતા તરીકે સ્વીકૃતિ મળી હતી. એક સંમેલનમાં જવા માટે નીકળ્યા હતા. ત્યારે આ દુર્ઘટના બની. રાજ્ય સરકાર દુઃખ વ્યક્ત કરે છે. ભગવાન એમના પરિવાર પર પડેલ આ દુઃખને સહન કરવાની શક્તિ આપે.'

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે વ્યક્ત કર્યું દુ:ખ

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ (Amitbhai Chavda) પણ અજિત પવારને શ્રદ્ધાંજલિ આપતા પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે, 'મહારાષ્ટ્રનાં બારામતીમાં વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધનના સમાચાર દુઃખદ છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ મુશ્કેલ સમયમાં હિંમત આપે.'

આ પણ વાંચો - Shahibaug Underbridge : અમદાવાદીઓ માટે ખુશખબર, શાહીબાગ અંડરબ્રિજ 16 કલાક વહેલા શરૂ

Tags :
Advertisement

.

×