Ajit Pawar : CM ભૂપેન્દ્રભાઈ પટેલ, DyCM હર્ષભાઈ સંઘવી સહિત આ નેતાઓએ વ્યક્ત કર્યું દુ:ખ, જાણો શું કહ્યું ?
- મહારાષ્ટ્રનાં DyCM અજિત પવારનું (Ajit Pawar) વિમાન દુર્ઘટનામાં નિધન
- CM ભૂપેન્દ્રભાઈ પટેલ, DyCM હર્ષભાઈ સંઘવી સહિત નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ
- કેન્દ્રીય જળશક્તિમંત્રી CR પાટીલ, પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપી શ્રદ્ધાંજલિ
- અજીતજીના નિધનનાં સમાચાર ઘણા હૃદયવિદારક છે : CM ભૂપેન્દ્રભાઈ પટેલ
- આ જાહેર જીવન માટે એક અપૂર્ણ નુકસાન છે : DyCM હર્ષભાઈ સંઘવી
Ahmedabad : મહારાષ્ટ્રનાં (Maharashtra) સૌથી લોકપ્રિય, પ્રભાવશાળી અને દિગ્ગજ નેતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar) નું આજે ભયાવહ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. આ દુર્ઘટનામાં તેમની સાથે પાયલટ સહિત કુલ 5 લોકોનાં મોત નીપજ્યા છે. અજિતભાઈ પવારના આકસ્મિક નિધનથી મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ છે. પરિવારજનો અને સમર્થકોમાં ભારે ગમગીની જોવા મળી છે. ત્યારે, ગુજરાતનાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીઓ, નેતાઓ દ્વારા પણ મીડિયા, સોશિયલ મીડિયા સહિત વિવિધ માધ્યમ થકી અજીત પવારને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.
અજીત પવારના નિધનથી રાજનીતિમાં શોકની લહેર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વ્યક્ત કર્યુ દુ:ખ
અજીતજીના નિધનના સમાચાર ઘણા હ્રદયવિદારકઃ CM
લોકકલ્યાણમાં તેમનું યોગદાન અવિસ્મરણીયઃ CM
પરિજનો અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી@CMOGuj @Bhupendrapbjp #AjitPawar #RIP #BhupendraPatel… pic.twitter.com/RPKwvMugHy— Gujarat First (@GujaratFirst) January 28, 2026
Ajit Pawar ના નિધનનાં સમાચાર ઘણા હૃદયવિદારક છે : CM ભૂપેન્દ્રભાઈ પટેલ
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આક્સ્મિક અવસાન પર દુ:ખ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, 'અજીતજીના નિધનનાં સમાચાર ઘણા હૃદયવિદારક છે. લોક કલ્યાણમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે.' આ સાથે મુખ્યમંત્રીએ અજિત પવારના પરિજનો અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
महाराष्ट्र के उपमुख्यमंत्री श्री अजीत पवार जी के निधन का समाचार अत्यंत दुःखद एवं हृदयविदारक है। यह सार्वजनिक जीवन के लिए एक अपूरणीय क्षति है।
ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करें तथा शोकाकुल परिजनों एवं समर्थकों को यह गहन दुःख सहने की शक्ति दें।
ॐ शांति। pic.twitter.com/ne6D7F4bgC— Harsh Sanghavi (@sanghaviharsh) January 28, 2026
આ જાહેર જીવન માટે એક અપૂર્ણ નુકસાન છે : DyCM હર્ષભાઈ સંઘવી
ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ (DyCM Harshabhai Sanghvi) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી લખ્યું કે, 'મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધનનાં સમાચાર ખૂબ જ દુઃખદ અને હૃદયદ્રાવક છે. આ જાહેર જીવન માટે એક અપૂર્ણ નુકસાન છે. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર અને સમર્થકોને આ ગંભીર નુકસાન સહન કરવાની શક્તિ આપે.'
આ પણ વાંચો - Baramati Plane Crash: બારામતી વિમાન દુર્ઘટનાના CCTV આવ્યા સામે
महाराष्ट्र के उपमुख्यमंत्री श्री अजीतभाई पवार के निधन का समाचार अत्यंत दुःखद है। यह एक अपूरणीय क्षति है।
इस शोकाकुल समय में ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करें और शोक-संतप्त परिजनों तथा समर्थकों को यह गहन दुःख सहने की शक्ति दें।
ॐ शांति।
— C R Paatil (@CRPaatil) January 28, 2026
આ મહારાષ્ટ્ર માટે ખૂબ જ મોટી ક્ષતિ છે : સી.આર. પાટીલ
કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલે (C.R. Paatil) શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, 'મહારાષ્ટ્રનાં દિગ્ગજ નેતા અજિત પવારના (Ajit Pawar) નિધનનાં સમાચાર ખૂબ જ દુ:ખદ છે. ભગવાન તેમના પરિવારને દુ:ખ સહન કરવાની શક્તિ આપે. આ મહારાષ્ટ્ર માટે ખૂબ જ મોટી ક્ષતિ છે. આ દુઃખદ સમયમાં, ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.'
बारामती में हुए विमान हादसे में महाराष्ट्र के उपमुख्यमंत्री श्री अजित पवार जी के निधन का समाचार अत्यंत दुःखद एवं हृदयविदारक है।
ईश्वर उनकी पुण्य आत्मा को शांति प्रदान करें।
इस अपूरणीय क्षति पर हम उन्हें भावपूर्ण श्रद्धांजलि अर्पित करते हैं 🙏
उनके परिजनों एवं समर्थकों के प्रति… pic.twitter.com/wpeW4lsmFk
— Jitu Vaghani (@jitu_vaghani) January 28, 2026
પ્રવક્તામંત્રી જીતુભાઈ વાઘાણીએ Ajit Pawar ને પાઠવી શ્રદ્ધાંજલિ
ગુજરાત સરકારનાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ (Jitubhai Vaghani) પણ આજની કેબિનેટ બેઠકમાં દુઃખની લાગણી વ્યક્ત કરી અને શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, 'અજિત પવારને મહારાષ્ટ્રમાં સફળ અને લોક નેતા તરીકે સ્વીકૃતિ મળી હતી. એક સંમેલનમાં જવા માટે નીકળ્યા હતા. ત્યારે આ દુર્ઘટના બની. રાજ્ય સરકાર દુઃખ વ્યક્ત કરે છે. ભગવાન એમના પરિવાર પર પડેલ આ દુઃખને સહન કરવાની શક્તિ આપે.'
महाराष्ट्र के बारामती में विमान दुर्घटना में महाराष्ट्र के उपमुख्यमंत्री श्री अजीत पवार जी के निधन के समाचार दुखद हैं।
ईश्वर उनकी आत्मा को शांति दे और उनके परिवार को इस कठिन परिस्थिति में हिम्मत प्रदान करे। 🙏@supriya_sule @PawarSpeaks pic.twitter.com/RzXZOzE8gK
— Amit Chavda (@AmitChavdaINC) January 28, 2026
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે વ્યક્ત કર્યું દુ:ખ
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ (Amitbhai Chavda) પણ અજિત પવારને શ્રદ્ધાંજલિ આપતા પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે, 'મહારાષ્ટ્રનાં બારામતીમાં વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધનના સમાચાર દુઃખદ છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ મુશ્કેલ સમયમાં હિંમત આપે.'
આ પણ વાંચો - Shahibaug Underbridge : અમદાવાદીઓ માટે ખુશખબર, શાહીબાગ અંડરબ્રિજ 16 કલાક વહેલા શરૂ


