ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મંત્રીમંડળમાં સ્થાન ન મળતા Alpesh Thakor ને ફરીથી યાદ આવ્યું બનાસકાંઠા? સમાજને જગાડવા અડધી રાત્રે સભા

ભારતની આઝાદી અંગેની જાણકારી માટે જાણિતું પુસ્તક 'અડધી રાત્રે આઝાદી', જે લેરી કોલિન્સ-ડોમિનક લેપિએર લખી છે. જે આઝાદી પહેલા અને આઝા ભારત વિશેની જાણકારી આપે છે. હવે અડધી રાત્રે આઝાદીની જેમ જ Alpesh Thakor પણ પોતાના સમાજને જગાડવા માટે અડધી રાત્રે સભાનું આયોજન કરવા માટે ગ્રાઉન્ડ લેવલે ઉતર્યા છે.
04:00 PM Oct 26, 2025 IST | Mujahid Tunvar
ભારતની આઝાદી અંગેની જાણકારી માટે જાણિતું પુસ્તક 'અડધી રાત્રે આઝાદી', જે લેરી કોલિન્સ-ડોમિનક લેપિએર લખી છે. જે આઝાદી પહેલા અને આઝા ભારત વિશેની જાણકારી આપે છે. હવે અડધી રાત્રે આઝાદીની જેમ જ Alpesh Thakor પણ પોતાના સમાજને જગાડવા માટે અડધી રાત્રે સભાનું આયોજન કરવા માટે ગ્રાઉન્ડ લેવલે ઉતર્યા છે.

ગાંધીનગર :  ગુજરાતના ઠાકોર સમાજના મુખ્ય આગેવાન અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોરને ( Alpesh Thakor ) ફરીથી બનાસકાંઠાની યાદ આવી ગઈ છે. તાજેતરમાં મંત્રીમંડળ વિસ્તરણમાં સ્થાન ન મળતા તેઓએ ફરીથી સક્રિય થયા છે. પોતાની સક્રિયતા સાથેની કામગીરી દેખાડવા માટે તેઓ દિયોદરની ધરતી પરથી "હુંકાર" કરશે છે. અલ્પેશ ઠાકોર પોતાના સમાજને સમાજને જગાડવા માટે 26 જાન્યુઆરીની રાત્રે 3 વાગ્યે રાત્રિ સભા યોજવાની જાહેરાત કરી છે.

અલ્પેશભાઈ ઠાકોરે પોતાની પ્લાનિંગ વિશે વાત કરતાં તેમણે કહ્યું છે કે, "ઠાકોર સમાજને જગાડવા માટે સભા કરીશું. આ યાત્રા રોકાવવાની નથી." આ સક્રિયતા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના નામે થશે, જે અલ્પેશભાઈ ઠાકોરની મુખ્ય પ્લેટફોર્મ છે. આ પગલું મંત્રીમંડળમાં અવગણનાને કારણે લેવાયેલું માનવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના રાજકારણમાં અલ્પેશ ઠાકોર પોતાની નવી લહેર લાવીને રાજકીય રીતે ઉપલી હરોળમાં આવવાની કોશિશના ભાગરૂપે પણ આને દેખવામાં આવી રહી છે.

Alpesh Thakor ઠાકોર સમાજને જગાડવા કરશે અડધી રાત્રે જનસભાઓ

અલ્પેશભાઈ ઠાકોર જે 2017માં કોંગ્રેસથી ધારાસભ્ય બન્યા અને 2022માં ભાજપમાં જોડાઈને ગાંધીનગર દક્ષિણથી જીત્યા તેમને તાજેતરના મંત્રીમંડળ વિસ્તરણમાં સ્થાન ન મળતા નિરાશા વ્યક્ત કરી છે. તેમનું કહ્યું, "ઠાકોર સમાજને જગાડવા માટે સભા કરીશું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના નામે આ સક્રિયતા ચાલુ રાખીશું. આ યાત્રા રોકાવવાની નથી." આ સભા 26 જાન્યુઆરીની રાત્રે 3 વાગ્યે દિયોદરમાં યોજાશે, જે બનાસકાંઠા જિલ્લાની મુખ્ય સીટ છે. અલ્પેશની આ સક્રિયતા 2022ની ચૂંટણી પછી લાંબા સમય પછી જોવા મળી છે.

આ પહેલા ગાંધીનગરમાં પણ ઠાકોર સેનાની એક સભા બોલાવી હતી. જોકે, તે મંત્રીમંડળના વિસ્તરણ પહેલાની સભા હોવાના કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે, અલ્પેશભાઈ ઠાકોરે મંત્રીમંડળમાં સામેલ થવા માટે સભા યોજીને પોતાની હાજરી વિશે સંકેત આપતા હતા. ઉત્તર ગુજરાતના ઓબીસી નેતા તરીકે પોતાને સ્થાપિત કરવા માટે તેઓ સક્રિય થયાં હતા. જોકે, મંત્રીમંડળમાં અલ્પેશ ઠાકોરને જગ્યા ન મળતા નિરાશ થયા હતા. તેથી એક વખત ફરીથી પોતાને ગ્રાઉન્ડ લેવલે મજબૂત બનાવવા માટે તેઓ ફરીથી સક્રિય થયાં છે.

અલ્પેશભાઈ ઠાકોરની રાજકારણીય પ્રવાસમાં ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનો મોટો ભાગ છે, અને તેમની 2017ની ચૂંટણીમાં ઠાકોર સેનાના આંદોલનથી ભાજપને નુકસાન થયું હતું. 2022માં ભાજપમાં જોડાઈને તેઓએ ગાંધીનગરમાંથી જીત મેળવી પરંતુ મંત્રીમંડળમાં સ્થાન ન મળવાથી તેઓએ ફરીથી સમાજીય કાર્યક્રમો શરૂ કર્યા છે. આ સભા ઠાકોર સમાજને જગાડવા અને રાજકારણમાં તેમની ભૂમિકા વધારવા માટે છે, જે ઉત્તર ગુજરાતની 14 સીટો પર અસર કરી શકે છે.

ઠાકોર સમાજ ઉત્તર ગુજરાતમાં મજબૂત નેતા છે અને અલ્પેશ તેમના નેતા તરીકે જાણીતા છે. તાજેતરમાં પાટણમાં ક્ષત્રિય-ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું. જ્યાં અલ્પેશના સમર્થકોએ સમાજના હક-અધિકારો પર ચર્ચા કરી હતી. 2024માં વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં અલ્પેશભાઈ ઠાકોરે પ્રચાર કરીને ભાજપને જીત અપાવી પરંતુ મંત્રીમંડળમાં અવગણનાને કારણે તેઓએ ફરીથી સમાજિક પ્લેટફોર્મ પર કામ કરવાનું નક્કી કર્યું. આ સભા ઠાકોર સમાજને એકત્ર કરવા અને રાજકારણમાં તેમની તાકાત વધારવા માટે છે, જે 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં મહત્ત્વપૂર્ણ બનશે.

આ પણ વાંચો- Jamnagar : બાળકી સાથે અડપલા કરનાર આધેડ પકડાયો

Tags :
ALPESH THAKORBanaskantha MeetingDeodar Night MeetingGujarat PoliticsMinistry IgnoreThakor SamajTHAKOR SENA
Next Article