ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમિત શાહનો આજે 61મો જન્મદિવસ, PM મોદીએ આગવા અંદાજમાં પાઠવી જન્મદિવસની શુભેચ્છા

ભારતીય રાજનીતિના ચાણક્યા એવા અમિતભાઈ શાહનો આજે 61મો જન્મ દિવસ છે, આજના દિવસે જ તેમને મુંબઈમાં રહેતા એક ગુજરાતી પરિવારના ઘરે જન્મ લીધો હતો. ગુજરાતની રાજનીતિથી પોતાની યાત્રા શરૂ કરીને કેન્દ્રીય રાજનીતિ સુધી પહોંચ્યા છે, આજે જન્મદિવસે તેમને તેમના પ્રિય મિત્ર અને દેશના વડાપ્રધાને પણ એક આગવા અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
10:38 AM Oct 22, 2025 IST | Mujahid Tunvar
ભારતીય રાજનીતિના ચાણક્યા એવા અમિતભાઈ શાહનો આજે 61મો જન્મ દિવસ છે, આજના દિવસે જ તેમને મુંબઈમાં રહેતા એક ગુજરાતી પરિવારના ઘરે જન્મ લીધો હતો. ગુજરાતની રાજનીતિથી પોતાની યાત્રા શરૂ કરીને કેન્દ્રીય રાજનીતિ સુધી પહોંચ્યા છે, આજે જન્મદિવસે તેમને તેમના પ્રિય મિત્ર અને દેશના વડાપ્રધાને પણ એક આગવા અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પોતાનો 61મો જન્મદિવસ મનાવી રહ્યા છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ થયો હતો. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. શાહને શુભેચ્છા આપતાં PM મોદીએ ભારતની આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવા માટેના તેમના પ્રયાસોની પ્રશંસા કરી છે.

PM મોદીએ અમિત શાહ વિશે શું કહ્યું?

PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું, ‘‘ગૃહમંત્રી અમિત શાહજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. જનસેવા પ્રત્યેની સમર્પણની ભાવના અને મહેનતુ હોવાને કારણે તેમને વ્યાપકપણે પ્રશંસા મળે છે.’’ PM મોદીએ કહ્યું, ‘‘તેમણે ભારતના આંતરિક સુરક્ષા તંત્રને મજબૂત બનાવવાનું કામ કર્યું છે અને દરેક ભારતીય સુરક્ષિત તેમજ સન્માનજનક જીવન જીવે તે સુનિશ્ચિત કરવા માટે તેમણે પ્રશંસનીય પ્રયાસો કર્યા છે. હું તેમના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની કામના કરું છું.’’

આ પણ વાંચો- PM Narendra Modi એ દેશવાસીઓને પાઠવી નવા વર્ષાની હાર્દિક શુભેચ્છા : “નવું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે”

પોતાની રણનીતિથી બધાને બનાવ્યા મુરીદ

અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈમાં રહેતા એક ગુજરાતી દંપતી કુસુમ બેન અને અનિલચંદ્ર શાહના ઘરે થયો હતો. અમિત શાહના દાદા ગાયકવાડના વડોદરા રાજ્યની એક નાની રિયાસત માણસામાં ધનિક વેપારી (નગર સેઠ) હતા. અમિત શાહ દેશના ગૃહમંત્રી બનતા પહેલાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, ભારતના ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ભાજપના મહાસચિવ રહી ચૂક્યા છે. 2019ની લોકસભા ચૂંટણીઓમાં તેઓ ગાંધીનગરથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા.

2014ની ચૂંટણીઓમાં જ્યારે ભાજપે નરેન્દ્ર મોદીને પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા ત્યારે અમિત શાહને રાજકીય રીતે મહત્વપૂર્ણ રાજ્ય ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવીને મોકલવામાં આવ્યા હતા. દેશે નરેન્દ્ર મોદીના પક્ષમાં જનાદેશ આપ્યો અને ભાજપને ઉત્તર પ્રદેશમાંથી 73 બેઠકો મળી અને તેનો વોટ પર્સન્ટેજ 42% સુધી પહોંચી ગયો. આ પાર્ટી માટે એક શાનદાર સફળતા હતી અને સાથે જ શાહની રણનીતિક કુશળતાનો પણ પુરાવો હતો.

આ પણ વાંચો- ગુજરાતી નૂતન વર્ષે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ CM ભુપેન્દ્ર પટેલને પાઠવી શુભેચ્છા, પગે લાગી લીધા આશીર્વાદ

Tags :
#AmitShahBirthday#BJPPolicy#GandhinagarMP#GujaratiLeague#UPElectionsbirthdaywishesBJPIndianPoliticsInternalSecurityPMModi
Next Article