Amreli : અમરેલી-ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, સિંહણનું મોત
- Amreli-ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત
- અજાણ્યા કારચાલકે સિંહણને અડફેટે લેતા મોત
- નાગેશ્રી ટોલનાકા પાસે પુરપાટ ઝડપે મારી ટક્કર
- કારચાલક ટોલનાકામાં પ્રવેશ કરી ઉના તરફ ફરાર
- જાફરાબાદ રેન્જનો વનવિભાગ ઘટનાસ્થળે પહોંચ્યો
Amreli-ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર આજે અકસ્માતની ગોઝારી ઘટના બની છે. અજાણ્યા કારચાલકે અડફેટે લેતા સિંહણનું મોત નીપજ્યું છે. નાગેશ્રી ટોલનાકા પાસે પૂરપાટ ઝડપે આવતા કારચાલકે સિંહણને જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં સિંહણનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જાફરાબાદ રેન્જનો વનવિભાગ (Jafrabad Range Forest Department) ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા એક માસમાં 2 સિંહ અને 1 દીપડાના મોત નીપજ્યા છે. વનવિભાગ દ્વારા CCTV ફૂટેજની ચકાસણી શરૂ કરાઈ છે.
Amreli-ભાવનગર સોમનાથ હાઇવે પર અકસ્માત, સિંહણનું મોત
પ્રાથમિક માહિતી અનુસાર, ગીરનાં જાફરાબાદ રેન્જમાં અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે (Amreli-Bhavnagar-Somnath National Highway) પર નાગેશ્રી ટોલનાકા નજીક અજાણ્યા વાહનચાલકે પૂરપાટ ઝડપે આવતી કારથી સિંહણને ટક્કર મારી દીધી હતી, જેના કારણે ગંભીર ઇજાઓ થતાં સિંહણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ હિટ એન્ડ રન કેસમાં કારચાલક ટોલનાકામાંથી પસાર થઈ ઊના તરફ ફરાર થઈ ગયો હોવાની પ્રાથમિક માહિતી છે.
અમરેલી-ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત
અજાણ્યા કારચાલકે સિંહણને અડફેટે લેતા મોત
નાગેશ્રી ટોલનાકા પાસે પુરપાટ ઝડપે મારી ટક્કર
કારચાલક ટોલનાકામાં પ્રવેશ કરી ઉના તરફ ફરાર
જાફરાબાદ રેન્જનો વનવિભાગ ઘટનાસ્થળે પહોંચ્યો
છેલ્લા એક માસમાં 2 સિંહ અને 1 દીપડાના મોત
વન્યપ્રાણીઓની… pic.twitter.com/n6RfWyVooj— Gujarat First (@GujaratFirst) January 31, 2026
આ પણ વાંચો- GPSC Recruitment 2026 : વર્ગ 1-2 ની 279 જગ્યાઓ માટે ભરતી જાહેર
વનવિભાગે તપાસ શરૂ કરી, ફરાર કારચાલકને શોધવા તજવીજ
માહિતી મુજબ, ઘટના રાત્રિના સમયે બની હતી, જ્યારે સિંહણ હાઈવે ક્રોસ કરી રહી હતી. પૂરપાટ ઝડપે આવતી કારે તેને અડફેટે લીધી અને ગંભીર ઈજાઓને કારણે સિંહણનું તાત્કાલિક મોત થયું. જાફરાબાદ રેન્જની વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. વનવિભાગ (Forest Department) દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી કારચાલકની શોધખોળ આદરી છે. માહિતી અનુસાર, છેલ્લા એક માસમાં 2 સિંહ અને 1 દીપડાના અકસ્માતમાં મોત નીપજ્યા છે.
આ પણ વાંચો- Gandhinagar : બિલ્ડર પુત્ર ઋષભ પટેલ આપઘાત કેસમાં આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર


